Posts

Showing posts with the label Kajol Vajani

‘મારણ’ આજથી થિયેટરમાં

Image
વેબસરીઝમાંથી ફિલ્મરૂપે બનેલી આ ફિલ્મ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો 72 મો નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે ગુજરાતી સિનેમા જગતમાં આજે ૭૨ માં નેશનલ ફિલ્મ્સ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પોતાના નામે કરી ચૂકેલી ફિલ્મ 'મારણ' રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની લોકપ્રિયતા એટલી હતી કે તેના ટ્રેલરને ફરી એકવાર રિલીઝ કરવામાં આવ્યું હતું. 'બે યાર', 'રોંગ સાઇડ રાજુ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અભિષેક જૈન દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ 'મારણ' તેની શક્તિશાળી વાર્તા, પ્રભાવશાળી સ્ક્રીનલે, અસરકારક સંગીત, અદ્ભુત લાઈટિંગ અને સંવેદનશીલતાને કારણે પોતાની એક અલગ છાપ ઊભી કરે છે. આ ઉપરાંત ફિલ્મ 'મારણ' સમાજમાં થતા હ્યુમન ટ્રાફિકિંગ અને બળજબરીથી કરાતા શોષણને અત્યંત પરિપક્વતા અને જવાબદારી સાથે રજૂ કરે છે. યશ સોની આ ફિલ્મમાં એક અલગ જ ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનો નાયક જ ફિલ્મનો મુખ્ય ખલનાયક હોય એવી આ ફિલ્મમાં યશ રતન નામના પાત્રમાં જોવા મળશે. જ્યારે તેની સાથે દીક્ષા જોશી - બીરવા નામની એક એવી છોકરીનું પાત્ર ભજવે છે જે ઘણા વર્ષોથી ખોવાઈ ગઈ છે. રતનને તેના કુકર્મોમાં સાથ આપનાર બાબુ તરીકે શ્રૃહ...

લંડનમાં શૂટ થયેલી ‘લાયક નાલાયક’ આજથી સિનેમા ઘરોમાં

Image
30 થી પણ વધારે કલાકારો લઈને આવ્યા છે કોમેડી ફિલ્મ ગુજરાતી સિનેમા જગતમાં એક બાજુ ગામડાની લોક સંસ્કૃતિને ઉજાગર કરતી 'કડકનાથ' જેવી ફિલ્મો લોકોના મન મોહી રહી છે ત્યાં આજે એ જ સિનેમાઘરોમાં અંદાજે 30 થી પણ વધારે કલાકારોને એક સાથે ચમકાવતી મલ્ટી સ્ટારર ફિલ્મ 'લાયક નાલાયક' રિલીઝ થઈ ચુકી છે. શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ ‘લાયક નાલાયક’ નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીતનું ભવ્ય લોન્ચિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના કલાકારો, નિર્માતાઓ, મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ફિલ્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલા ટીઝર અને ટ્રેલરને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ફિલ્મ પ્રત્યેની આતુરતા વધુ વધી છે. ‘લાયક નાલાયક’ની સૌથી વિશેષ વાત એ છે કે ફિલ્મનું અંદાજે 95 ટકા શૂટિંગ લંડનના વિવિધ આકર્ષક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. ભવ્ય દૃશ્યો અને ઉચ્ચ કક્ષાના નિર્માણ સાથે ફિલ્મ દર્શકોને એક અલગ જ સિનેમેટિક અનુભવ કરાવશે તેવી અપેક્ષા છે.  ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના અનેક જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભ...

21 વર્ષે આવ્યા દેવલો અને જીવલી

Image
નવી ટેક્નોલોજીના વાઘા પહેરી રી-રિલીઝ થઈ  ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ 21 વર્ષ બાદ આજે ફરીથી એક એવી ફિલ્મ રી-રિલીઝ થવા જઈ રહી છે જેણે અને ગુજરાતી સિનેમા પ્રેમીઓની આંખ ભીની કરી દીધી હતી. હિતેન કુમાર અને રાજલક્ષ્મીને ચમકાવતી જશવંત ગાંગાણી લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ એટલે ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’.  વર્ષ 2005 માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ એક સફળ ફિલ્મ રહી હતી જે એક પ્રેમિકાના એના પ્રેમી સાથેના સુખી સંસારની લાગણીઓને દર્શાવતી હતી. સામાન્યપણે જશવંત ગાંગાણીની ફિલ્મોમાં આપણને પારિવારિક મૂલ્યો ખૂબ જ સારી રીતે જાણવા અને માણવા મળે છે અને આ ફિલ્મમાં પણ એ મૂલ્યો કાયમ રહ્યા છે, ફરક છે ફિલ્મની વાર્તામાં અને ખાસ કરીને તેના ક્લાઈમેક્સમાં.  જીવલી (રાજલક્ષ્મી) અને દેવલા (હિતેન કુમાર) ની આ પ્રેમ કથામાં જીવલીના કાકાનો ભાઈ ભુવન (દિનેશ લાંબા) મુખ્ય વિલનનું પાત્ર ભજવે છે. ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ અભિનેત્રીના એટલે કે સ્ત્રીપક્ષના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી છે અને એટલે જ તેના પરિવારની વાર્તા કેન્દ્રસ્થાને છે. જીવલીના મા બાપ ન હોવા છતાં તે કાકા કાકીની છત્ર છાયા...

આવતા ત્રણ મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો જાણી લો

Image
કોમેડી સાથે એક્શન ડ્રામા લઈને આવ્યો છે આ મહિનો જેમાં 21 વર્ષ બાદ રી-રિલીઝ થશે એક ફિલ્મ વર્ષના શરૂઆતના છ મહિનામાં ગુજરાતી સિનેમા જગતમાં અંદાજે 50 જેટલી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને હવે આવનારા છ મહિનામાં હજુ અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.  જુલાઈ મહિનાના ચાર અઠવાડિયામાં છ ફિલ્મ રિલીઝ થવાની છે એમાં પહેલા અઠવાડિયામાં જ એટલે કે આજે ત્રીજી જુલાઈએ બે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પહેલી ફિલ્મ 'કર્માનું રહસ્યમ' એ ક્રાઈમ ફિલ્મ છે જે આસિફ સિલાવતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ઉત્સવ નાયક અને સપના વ્યાસ, મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેમની સાથે અરવિંદ વેગડા, બંસી રાજપુત, મકરંદ શુક્લા અને ખુદ આસિફ સિલાવત અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ સાથે 'અઘરું છે યાર' નામની ડ્રામા ફિલ્મ રિલીઝ થશે જે તપન પટેલે ડિરેકટ કરી છે. આ ફિલ્મમાં જયદીપ ગાંગાણી તથા ઉર્વશી ચૌહાણ, મેહુલ બુચ, ઓમ ભટ્ટ અને અન્ય કલાકારો જોવા મળશે. આ ઉપરાંત બીજા અઠવાડિયામાં 'રંગા' અને 'શાતિર' નામની બે ક્રાઈમ ફિલ્મ રિલીઝ થશે જે અનુક્રમે શ્રીકાંત ચૌધરી અને રૂપીન શાહે ડિરેકટ કરી છે. આ બે અઠવાડિયા બાદ થોડી હલકી ફુલકી કોમેડી ફિલ્...

સમયસર વળતર માટે કલાકાર-કસબીઓનો સંઘર્ષ યથાવત્

Image
આર્ટ ડિરેક્ટર કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવૂડમાં કલાકાર-કસબીઓને સમયસર વળતર ન મળી રહ્યું હોવાની ચર્ચા ફરી જાગી વાદવિવાદ સાથે ચર્ચા વિચારણા એ દરેક ઇન્ડસ્ટ્રીનો એક ભાગ હોય છે. હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક ચર્ચા વિચારણાઓનો દૌર ચાલી રહ્યો છે, જેણે ફિલ્મના અનેક સ્ટેક હોલ્ડર્સને અનેક વિષયો પર વિચારવા માટે મજબૂર કરી દીધા છે.  ગુજરાતી ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવુડમાં કાલકારો અને ટેક્નિશ્યનોને તેમનું યોગ્ય વળતર સમયસર મળી રહે એવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો પણ તેમને સપોર્ટ આપી રહ્યા છે. વાસ્તવમાં કુંજ ઠક્કરના નિધન પહેલા તેઓ શારીરિક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્ય સામે પણ સંઘર્ષ કરી રહ્યા હોવાની વાત સામે આવી હતી અને ખાસ તો તેમની મહેનતના પૈસા સમયસર ન મળ્યા હોવાનું સામે આવ્યું હતું જેના લીધે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા કલાકાર કસબીઓને સમયસર મહેનતાણું ન મળી રહ્યા હોવાની ચર્ચા ફરી એકવાર જાગી હતી. કુંજ ‘પાતકી’, ‘શસ્ત્ર’, ‘ડ્રામેબાજ’, ‘તીખી મીઠી લાઇફ’ જેવી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.  કુંજના સમ...

નલિની જયવંતની એકમાત્ર ગુજરાતી ફિલ્મ એટલે 'વારસદાર'

Image
આ એક ફિલ્મ થકી નલિની જયવંતે ગુજરાતી ફિલ્મોમાં પોતાની છાપ છોડી અને ગીતને પોતાનો સ્વર પર આપ્યો ગુજરાતી ફિલ્મજગતમાં ૧૯૪૮માં રજૂ થયેલી ફિલ્મ 'વારસદાર' એક મહત્વપૂર્ણ સામાજિક ફિલ્મ તરીકે આજની તારીખે પણ ઓળખાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન મગનલાલ ઠક્કરે કર્યું હતું, જ્યારે તેનું નિર્માણ લક્ષ્મીચંદ શાહે શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શનના બેનર હેઠળ કર્યું હતું. ફિલ્મની કથા દામુ સાંગાણીએ લખી હતી અને સંગીત ગુજરાતી ફિલ્મસંગીતના પ્રખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસે આપ્યું હતું. ફિલ્મ 'વારસદાર' માં હરસુખ કિકાણી અને નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા અમદાવાદના એક શ્રીમંત વેપારી બિહારીલાલ અને તેના ભત્રીજા વિનય (હરસુખ કિકાણી) ની આસપાસ ફરે છે જે બેરોજગાર હોવાથી બિહારીલાલની સાથે રહે છે. આ દરમિયાન વિનયનો પરિચય નીલા (નલિની જયવંત) નામની યુવતી સાથે થાય છે. સટ્ટામાં ઘણાં પૈસા ગુમાવી ચૂકેલા નીલાના કાકા જયપ્રસાદ નીલાના લગ્ન નિઃસંતાન એવા બિહારીલાલ કરાવવાની યોજના બનાવે છે. નીલાને તેના કાકાની આ યોજના વિશે ખબર પડતા તે વિનયને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરે છે પણ, વિનય બિહારીલાલની મંજૂરી વિના કો...

ફિલ્મ એક પણ રજૂઆત ત્રણ

Image
'જોગીદાસ ખુમાણ' પર બનેલી ત્રણે ફિલ્મો પોતપોતાની વિવિધ ખાસિયતોને કારણે સફળત રહી  ગુજરાતી સિનેમા જગતમાં ઘણી ફિલ્મો એવી રહી છે જે અનેકવાર નિર્માણ પામી છે અને એમાંની એક ફિલ્મ એટલે 'જોગીદાસ ખુમાણ'. આ ફિલ્મ 1948 થી લઈને 1975 સુધી ત્રણ વાર બની ચૂકી છે અને ત્રણેય વાર આ ફિલ્મ સફળતાના શિખરો સર કરી શકી છે.  સૌથી પહેલા વર્ષ 1948 માં રૂપ છાયાના નેજા હેઠળ આ ફિલ્મ નિર્માણ પામી હતી જેનું દિગ્દર્શન મધુસુદન અને મનહર રસકપૂરે કર્યું હતું. ફિલ્મની મુખ્ય વાર્તા અને તેના સંવાદ કવિ જામન એટલે કે ગુજરાતી રંગભૂમિના અગ્રણી અને ક્રાંતિકારી નાટ્યકાર જમનાદાસ મોરારજી સંપટે લખ્યા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ, દલપત, વિમલ, ચાંપશીભાઈ નાગડા, રતીકુમાર વ્યાસ, ચીમનલાલ, સંજય, નર્મદાશંકર, બળવંત લોબાન, કુસુમ ઠક્કર, પ્રમિલા, ફૂલરાણી અને કુમુદ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો જ્યારે આજની તારીખના લોકપ્રિય સંગીતકાર લક્ષ્મીકાંતે આ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. 1948 ની આ ફિલ્મમાં ગીતો અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, પ્રહલાદ પારેખ તથા કૈલાશ પંડ્યાએ લખ્યા હતા જેમાં રતીકુમાર વ્યાસ, આમિરભાઈ કર્ણાટકી, ઇન્દુ ...

ઢોલીવૂડને પુર્નજીવીત કરવામાં ‘જેસલ તોરલ’ મોખરે

Image
1971 માં રિલીઝ થેયલી ફિલ્મ વિશે સૌ કોઈ જાણે છે પણ 1948 ની ફિલ્મ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે લોકકથાઓ પર બનતી ફિલ્મો હંમેશા સફળ રહે છે. ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને અનુપમાને ચમકાવતી સુપરહીટ ફિલ્મ ‘જેસલ તોરલ’ સૌ કોઈને યાદ હશે પણ ભાગ્યે જ લોકોને ખબર હશે કે 1971 માં આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા 1948 માં આ જ નામે પહેલી ‘જેસલ તોરલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. 1948 માં નિર્માતા પી.બી. ઝવેરીના કીર્તિ પીક્ચર્સ દ્વારા ‘જેસલ તોરલ’ નામની બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું ડિરેક્શન ચતુર્ભુજ દોશીએ સંભાળ્યું હતું. આ ગીતના સંવાદો ગીતો અને તેની વાર્તા પ્રફુલ દેસાઈએ લખી હતી. ફિલ્મના મુખ્ય પાત્રમાં રાણી પ્રેમલતા સતી તોરલના પાત્રમાં જોવા મળી હતી જ્યારે છન્ના લાલ, ચીમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમીલ અને મૂળચંદ (ખીચડી) જેવા કલાકારો અન્ય પાત્રમાં અભિનય કરતા જોવા મળ્યા હતા.  આ ઉપરાંત 1971 માં આવેલી ‘જેસલ તોરલ’ ની વાત કરીએ તો આ એક એવી ફિલ્મ હતી જેણે ઢોલીવૂડના પુર્નજન્મમાં પાયાની ભૂમિકા ભજવી. ન માત્ર એટલું જ પણ ફિલ્મના ડિરેક્ટર રવિન્દ્ર દવેને આ ફિલ્મ બ...

સુપરહિટ નાટક ‘વડિલોના વાંકે’ ની ફિલ્મ ફ્લોપ

Image
  દેશી નાટક સમાજને ફરીથી પગભર કરનારી આ વાર્તાનો દાખલો આજે પણ આપવામાં આવે છે ૧૯૪૭-૪૮ ના ગાળામાં ગુજરાતી સિનેમા જગતમાં એક એવી ફિલ્મ આવે છે જેણે નાટકરૂપે ઘણી વાહવાહી મેળવી પણ ફિલ્મરૂપે તે નિષ્ફળ સાબિત થઈ. પ્રભુલાલ દ્વિવેદી લિખિત અને રામચંદ્ર ઠાકુર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ હતી ‘વડિલોના વાંકે’. જોકે ફિલ્મ કરતા નાટકની વાત વધારે રોચક છે કેમકે એણે દેવામાં ડૂબેલા દેશી નાટક સમાજને ફરીથી સદ્ધર થવામાં મદદ કરી. ફિલ્મ ‘વડિલોના વાંકે’ ની વાત કરીએ તો આ ફિલ્મમાં મોતીબાઈ, વસંત નાયક, પ્રતિમા દેવી, લતાબાઈ, રમેશ વ્યાસ, અનંત વિન, અમૃત, અંજના, નીલમ, ચુનીલાલ નાયક, માસ્ટર પ્રાણસુખ, બેબી સરોજ, વિજયા, કેશવ પુરોહિત, જયશંકર અને છગન રોમિયોનો અભિનય જોવા મળ્યો હતો. ૧૩૨ મિનિટની આ ફિલ્મમાં મોહન જુનિયર અને પ્રભુલાલ દ્વિવેદીએ સાથે મળીને ગીતો રચ્યા હતા. અને આ  ફિલ્મના તથા નાટકના ગીતો ખૂબ જ વખણાયા હતા અને આજે પણ વખણાય છે. ‘દિલ હોય અમીરી બિરાદર તો’ અને મોતીબાઈએ ગાયેલું ગીત ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’ આજે પણ ઈતિહાસ થઈ ગયેલા એ જૂના દિવસોને સજીવન કરવા સક્ષમ છે.  ‘વડિલોના વાંકે’ આ મેલોડ્રામેટિક ફિલ્મમાં ભારત...

100 અઠવાડિયા થિયેટરમાં ચાલી હતી ‘વણઝારી વાવ’

Image
સંગીત અને ગીતોની લોકપ્રિયતાને લીધે આ ફિલ્મ આજે પણ લોકહૈયૈ જીવંત છે 1970-80 માં મહેશ-નરેશની બેલડીનો જાદુ ગુજરાતી સિનેમા જગતમાં ચોમેર ફેલાયેલો હતો. એવામાં 1977 માં તેમની એક ફિલ્મ આવે છે ‘વણઝારી વાવ’. આ ફિલ્મ ચંદ્રકાન્ત સાંગાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા તેઓ 1968 પણ ‘મારે જેવું પેલે પાર’, 1970 માં ‘જીગર અને અમી’, 1975 માં ‘તાનારીરી’ અને 1976 માં ‘સતી જસમા ઓઢણ’ જેવી લોકપ્રિય ફિલ્મ આપી ચૂક્યા હતા.  1977 માં આવેલી ફિલ્મ ‘વણઝારી વાવ’ વાસ્તવમાં શયદાની એ જ નામથી પ્રગટ થયેલી નવલકથાનું ફિલ્મી સ્વરુપ હતું જેમાં કેટલીક છૂટ લઈને ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. 1948 માં આ જ વાર્તા ‘કરિયાવર’ નામે ફિલ્મી પડદે રજૂ થઈ હતી. ઘણા ઓછાને એ વાતનો અંદાજો હશે કે આ ફિલ્મ કનોડિયા બ્રધર્સની પહેલી રંગીન ગુજરાતી ફિલ્મ હતી જેમાં નરેશ કનોડીયા સહિત લક્ષ્મી છાયા, અરવિંદ જોશી, રમેશ મહેતા, મંજરી દેસાઈ તથા જયશ્રી તલપડે મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા હતા. એની સાથે સહ કલાકારોમાં આપણને શેખર પુરોહિત, ઉર્મિલા ભટ્ટ, પ્રભાકર જોશી, ઈન્દુમતી રાજડા, કનુ ઠાકર, દેવેન્દ્ર પંડિત, ચીમન મારવાડી, દેવ્યાની ઠક્કર, કાંતિ પટે...

શયદાની વાર્તા પરથી બની છે ‘કરિયાવર’

Image
1948 બાદ છેક 1977 માં આ જ વાર્તા નવલકથાના મૂળ શીર્ષક સાથે રિલીઝ થાય છે, જે હતું ‘વણઝારી વાવ’ ગુજરાતી ફિલ્મ જગતમાં કેટલીક એવી ફિલ્મો છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજ, સંસ્કૃતિ અને લોકવાર્તાઓને પડદા પર જીવંત બનાવી ગઈ છે. એવી જ એક નોંધપાત્ર ફિલ્મ છે ‘કરિયાવર’, જે વર્ષ ૧૯૪૮માં રજૂ થઈ હતી. ચતુર્ભુજ દોશીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે ગુજરાતી લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની ભાવનાને ઊંડાણથી સ્પર્શી હતી. સાગર મૂવીટોનના બેનર હેઠળ નિર્માતા ચીમનલાલ દેસાઈએ બનાવેલી આ ફિલ્મ શયદાની લોકપ્રિય વાર્તા ‘વણઝારી વાવ’ પર આધારિત હતી. ફિલ્મની વાર્તામાં પ્રેમ, વિશ્વાસ, ઈર્ષ્યા અને બલિદાન જેવા તત્વોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે તે દર્શકોના મનમાં આજે પણ જીવંત છે. ફિલ્મની કથા એક ગામથી શરૂ થાય છે, જ્યાં નવા મંદિરની સ્થાપનાને લઈને એક અદ્દભુત પડકાર મૂકવામાં આવે છે — ઝેરી નાગને ઘડામાંથી બહાર કાઢનારને વિશેષ સન્માન મળશે. ગામની નિર્ભય યુવતી રાજુ (દીના સંઘવી) આ પડકાર સ્વીકારી સફળ થાય છે. રાજુની હિંમતથી પ્રસન્ન થયેલા નાગદેવતા તેને વચન આપે છે કે જરૂર પડ્યે તે તેની મદદ માટે આવશે. આગળ કથામાં પ્રેમ અને સંઘર...

પાંચમા મહિને પાંચ ફિલ્મોનો પંચ

Image
 અલગ અલગ જોનરની આ પાંચેય ફિલ્મો એકમેકથી ચડિયાતી હોવાને લીધે તેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની થઈ શકે છે સ્પર્ધા  છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે અટકી ગઈ હતી. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ઘણી નાની ફિલ્મો આવીને જતી રહી જેની કોઈને જાણ પણ નહોતી. પણ હવે મે મહિનાના પાંચેય અઠવાડિયામાં અલગ અલગ જોનરની પાંચ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની સ્પર્ધા સર્જાઈ શકે છે.  24 એપ્રિલે રાજા સંજય ચોકસી દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘બેહરૂપિયો’ રિલીઝ થઈ હતી જેને શરૂઆતના એક અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર પોતાની પકડ બનાવવા ખાસી એવી મહેનત કરવી પડી હતી. પણ મે મહિનાની શરૂઆત નૅશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ ના ડિરેક્ટર અભિષેક શાહની ફિલ્મથી થવા જઈ રહી છે જેનું ટાઈટલ છે ‘ધબકારો’. આ ફિલ્મમાં દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ વાર્તા એક એવા વ્યક્તિની આજુબાજુ ફરે છે જેને જીવનના છેલ્લા તબક્કે આવતા પોતાની ભૂલો સમજાય છે અને તેને આ તબક્કે એવી વ્યક્તિઓ મળે છે જેવો એક સમયે તેનો પોતાનો સ્વભાવ હતો. આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાને દીકરા જુનૈદ ખાન સાથ...

1973 ની સફળ ફિલ્મોમાંની એક ‘રાણક દેવી’

Image
રાણક દેવીની દંતકથા વિશ્વસનીયતા પર આજે પણ સવાલ ઊભા થઈ શકે એમ છે ઐતિહાસિક ઘટના પર આધારિત અને 1946 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાણક દેવી’ ની સફળતા બાદ આજ નામ પરથી છેક 1973માં વધુ એક ફિલ્મ બની અને આ ફિલ્મ પણ લોકહૃદય સુધી પહોંચવામાં સફળ રહી. ખાસ કરીને ફિલ્મના કલાકારો અને આ ફિલ્મ માટેની ટેકનોલોજીનો અહીં સારો એવો ઉપયોગ જોવા મળ્યો હતો. બાબુભાઈ મિસ્ત્રી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને 1973 માં રિલીઝ થયેલી ગુજરાતી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘રાણક દેવી’ માં રાણક દેવી તરીકેનું મુખ્ય પાત્ર તરલા મહેતાએ ભજવ્યું હતું જ્યારે તેમની સાથે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, દીના પાઠક, જયશ્રી ટી., જયશ્રી પરીખ, જયંત વ્યાસ અને બાળ કલાકાર સમીર યાજ્ઞિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  અંદાજે 138 મિનિટની આ ફિલ્મના સંવાદ રામજીભાઈ વાણીયાએ લખ્યા હતા જ્યારે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું બીડું જીતુભાઈ મહેતાએ ઉપાડ્યું હતું.  ચાંપશીભાઈ નાગડા નિર્મીત ફિલ્મ ‘રાણક દેવી’ ના મેકિંગની વાત કરીએ તો આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ચિત્રકલા મંદિર સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મના કેટલાક મહત્વના દ્રશ્યો અંબિકા મ...

ઢોલીવૂડ માટે ‘આશા’ હંમેશા અમર રહેશે

Image
માતા ગુજરાતી હોવાને લીધે આ ભાષા પરની તેમની પકડ પહેલીથી જ મજબૂત રહી છે આશા ભોંસલના નિધનથી એક યાદગાર યુગનો અંત થયો પણ તેમના ગીતો ગુજરાતી પ્રજાના દિલ-ઓ-દિમાગમાં હંમેશા અમર રહેશે. તેમના ગુજરાતી ગીતો આજે પણ એટલા લોકપ્રિય છે કે એ સાંભળતા મન મહેકી ઉઠે. તેમનાં ગીતોમાં ફક્ત સંગીતનો જાદુ જ નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિ અને સંબંધોની ભાવના જોડાયેલી છે. આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે. 1976માં રજૂઆત પામેલી તેમની ગાયકી ધરાવતી કુલ એકવીસ ફિલ્મોમાં તેમણે આટલાં ગીતો ગાયેલાં. આશા ભોંસલેનો ગુજરાતી સિનેમા અને સંગીત જગત સાથેનો સંબંધ ગડથૂથીથી જોડાયેલો છે કેમ કે તેમની માતા સેવંતી (પછીથી બદલાયેલું નામ સુધામતી) એક ગુજરાતી સ્ત્રી હતા. પરિવારમાં સંગીતનો માહોલ નાનપણથી મળ્યો હોવાને લીધે શબ્દો પરની પકડ મજબૂત થવાની શરૂઆત થઈ ચૂકી હતી. પોતાની મા, નાની–મામા પાસેથી લોકગીતો અને હાલરડાં સાંભળીને તેમણે ગુજરાતી માટે એ...

1946 ની એકમાત્ર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે ‘રાણક દેવી’

Image
આઝાદીના કાળમાં રિલીઝ થયેલી આ ફિલ્મથી જ નિરૂપા રૉયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આઝાદીના કાળમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી. આ અસર તાત્કાલિક નહોતી દેખાઈ પણ કેટલાક વર્ષો એવા રહ્યા હતા જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ. 1947 માં ભારત દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલા એટલે કે 1946 માં પણ એકમાત્ર ગુજરાતી રિલીઝ થઈ શકી હતી અને એ ફિલ્મ એટલે ‘રાણક દેવી’.  ‘રાણક દેવી’ આ ગુજરાતી સિનેમા જગતની પહેલી એવી ઐતિહાસિક નાટક કથા પર આધારિત ફિલ્મ હતી જેણે લોકોના મનમાં જગ્યા બનાવી અને આ ફિલ્મ પછી જ ગુજરાતી સિનેમા જગતમાં ઐતિહાસિક લોકકથાઓ ઉપર ફિલ્મ બનવાની મોટા પાયે શરૂઆત થઈ હતી. ‘રાણક દેવી’ નું ડિરેક્શન અને નિર્માણ વી.એમ. વ્યાસે કર્યું હતું. ‘રાણક દેવી’ ની દંતકથાને ફિલ્મના પ્રારૂપમાં ઢાળવા માટે વી.એમ. વ્યાસ સહિત મોહનલાલ દવેએ વાર્તા તૈયાર કરવાની જવાબદારી સંભાળી હતી જ્યારે કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા.  ‘રાણક દેવી’ ની દંતકથા પાટણના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા ખેંગારની આજુબાજુ ફરે છે જેમાં એક યુદ્ધ બાદ રાણક પાટણ ફરતી વખતે ભોગાવો નદીના કિનારે...

ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ ‘બે ખરાબ જણ’

Image
શોભના સમર્થ અને મોતીલાલની એકસાથે આ પહેલી ફિલ્મ હતી જેના થકી તેમની યાદગાર જોડીના પાયા નખાયા  ગુજરાતી ફિલ્મ જગતના શરૂઆતના દિવસોમાં મોટાભાગની જે ફિલ્મ બનતી એ આધ્યાત્મિક અથવા તો સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હતી. તેમ છતાં ૧૯૩૬માં એક એવી ફિલ્મ આવી જેનો વિષય થોડો હટકે હતો. એક નાટક પર આધારિત આ ફિલ્મનું નામ હતું ‘બે ખરાબ જણ’, જે બની ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ.  દેશના રાજકારણ અને ગુજરાતી સાહિત્યમાં પાયાની ભૂમિકા ભજવનારા કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લખાયેલા નાટક ‘બે ખરાબ જણ’ પરથી આ ફિલ્મ ગુજરાતી ભાષામાં ‘બે ખરાબ જણ’ નામે બનાવવામાં આવી અને હિન્દીમાં આ ફિલ્મ ‘દો દીવાને’ ના શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. આ અગાઉના લેખમાં આપણે વાત કરી હતી કે એ બનવાની શરૂઆત થઈ એ સમયમાં મોટાભાગના ફિલ્મ મેકર ગુજરાતી અને હિન્દી ભાષામાં અલગ અલગ શીર્ષક સાથે ફિલ્મ રિલીઝ કરતાં જેથી કરીને બંને પ્રજાને આકર્ષી શકાય, અને આ ફિલ્મ પણ એ જ સ્ટ્રેટેજીનો એક ભાગ હતી. ફિલ્મ ‘બે ખરાબ જણ’ ની વાર્તા આજની તારીખમાં પણ વાસ્તવિક ઘટના હોય એવી દેખાય આવે છે, કારણ કે આ ફિલ્મની વાર્તા જનરેશન ગેપની વાત કરે છે. મોત...

ઢોલીવૂડના પાયામાં વસેલી છે જૂની રંગભૂમિ

Image
જૂની રંગભૂમિ આજે ઈતિહાસ બની ગઈ છે પણ કેટલીક ફિલ્મોએ એ વારસાને જાળવવાનું કામ કરી બતાવ્યું છે વિશ્વ રંગભૂમિ દિવસ હોવાને લીધે આજનો દિવસ રંગકર્મીઓ દિવસ ખાસ હોવાનો જ છે પણ ન માત્ર આ રંગકર્મીઓ પણ સિનેમા, સિરીયલ્સ, વેબ સિરીઝ જેવા જે પણ એન્ટરટેઇમેન્ટના પ્રકાર છે એના પાયામાં ક્યાંકને ક્યાંક જૂની રંગભૂમિ રહેલી જ છે. ગુજરાતી સિનેમાજગત આજે નવી વાર્તા, નવા વિષયો સાથે દર્શકો સામે આવી રહ્યું છે અને એમાંથી ઘણાંય એવા આજના યુવા ગુજરાતી કલાકારો છે જે રંગમંચ સાથે સંકળાયેલા છે, પણ ગુજરાતી રંગભૂમિ અને ઢોલીવૂડનો સંબંધ વર્ષો જૂનો છે. વર્ષ 1932 માં પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ એ પહેલા રંગભૂમિનો ગોલ્ડન પિરીયડ ચાલી રહ્યો હતો. મુંબઈમાં દેશી નાટક સમાજ,પારસી નાટક સમાજ, નાટક ઉત્તેજક મંડળી, ભાંગવાડીના નામનો સિક્કો પડતો. માસ્ટર અશરફ ખાન, છગન રોમિયો, કાઠિયાવાડી કૂબતર, મોતીબાઈ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, ભગવાનદાસ જેવા અનેક રંગકર્મી, ગીતકાર, સંગીતકાર તરીકે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા. એ સમયની વાર્તા, ગીતો એવા તે ફેમસ થતાં અનેકોવાર વન્સમોરની ચિચયારીથી રાતો પસાર થતી અને પો ફાટી નીકળતો.  જોકે સમય જતા કેટલાક...

1936 માં જ્યારે ‘સ્નેહલતા’ નો વાગ્યો ડંકો

Image
આ ફિલ્મના હિન્દી કરતાં ગુજરાતી વર્જનના ગીત-સંગીતનો જાદુ આજે પણ કાયમ છે. 1932 માં ગુજરાતી ફિલ્મો બનવાની શરૂ થઈ હતી અને જે પહેલી ગુજરાતી ફિલ્મ બનીને લોકો સામે રજૂ થઈ એ હતી ‘નરસિંહ મહેતા’. જોકે આ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મો કાચબાગતિએ બની રહી હતી. ‘નરસિંહ મહેતા’ ઉપરાંત 1932 માં અન્ય એક-બે ફિલ્મ રિલીઝ થાય છે અને 1933 માં એકપણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નથી થતી. 1934 અને 1935 માં એક-એક ફિલ્મ રિલીઝ થાય છે અને છેક ચાર વર્ષે 1936 માં ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે. આ ચાર ફિલ્મોમાંની પહેલી ફિલ્મ એટલે ‘સ્નેહલતા’ જેનુ હિન્દી શીર્ષક હતું ‘ભારત કી બેટી’. પ્રકાશ પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ ‘સ્નેહલતા’ ની વાત કરીએ તો આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી એમ બે ભાષામાં અલગ અલગ નામે રિલીઝ થઈ હતી, જેના પ્રોડ્યુસર હતા વિજયશંકર ભટ્ટ અને ડિરેક્શન કર્યું હતું બળવંત ભટ્ટે. ઉલ્લેખનીય છે કે ભટ્ટ બ્રધર્સ દ્વારા 1934 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સંસાર લીલા’ ની સફળતા બાદ તેમણે એ જ ફિલ્મના મુખ્ય કલાકારોને લઈને ‘સ્નેહલતા’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. વળી એ સમયે બોલતી ફિલ્મોનો જમાનો શરૂ થયો હોવાને લીધે ફિલ્મ નિર્માતા હ...