Posts

Showing posts with the label Naresh Kanodia

1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ

Image
નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી.  નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ.  નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન...

પોંજરામાં પોપટ બોલે... પણ કેટલા ??

Image
આ ગુજરાતી લોકગીત આજે ઢોલીવૂડનું પહેલું આઇટમ સોન્ગ બનીને રજૂ થઈ રહ્યું છે જેને દર્શકો માણતા અચકાતા નથી ‘હે ગોરી લીલું પીળું પાંજરુ ઘડાઓ, કે પાંજરામાં પોપટ બોલે’... આ લોકગીત દરેક ગુજરાતી જાણતો જ હશે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગીતને અલગ અલગ સંગીતકારોને તાલબદ્ધ કરીને, અલગ અલગ ગીતકારો પાસે ગવડાવ્યું છે. તો વળી ગીતકારોએ પણ મૂળ લોકગીતનો ભાવ જાળવી રાખી કેટલાક શબ્દિક સુધારા કરી નવી કડીઓ પણ રચી છે.  હાલના સમયમાં ઢોલીવૂડમાં આ ગીતની એક નવી ધૂન સાંભળવા મળી રહી છે જેને ફિલ્મ ‘ચણિયા ટોળી’ માં સામેલ કરવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે આ લોકગીતમાં સુધારા વધારા કરી એને આઇટમ નંબર તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને એ ગીત ગુજરાતી સિને જગતનું પહેલું આઇટમ નંબર સોન્ગ બની ગયું છે. આ આઇટમ નંબરમાં જાનકી બોડીવાલા, યસ સોની સાથે ડાન્સ કરતી જોવા મળે છે, જે યુવાઓમાં ઘણું લોકપ્રિય બની રહ્યું છે. રાકેશ બારોટ તથા જાહન્વી શ્રીમાંકરે આ ગીત ગાયું છે અને મનુ રબારીએ લખ્યું છે. તેમ છતાં ‘પાંજરામાં પોપટ બોલે’ એ લોકગીત આઇટમ નંબર બનતા પહેલા અનેકોવાર ફિલ્મો અને ગુજરાતી આલ્બમ રૂપે રજૂ થતું રહ્યું છે, જેના પર આજે આપણે નજર કરીએ....

નહીં રાજાની, નહીં રાણીની, આ વાર્તા છે અસરાનીની

Image
1980ના ગાળામાં જેમણે ઢોલીવૂડ ગજાવ્યું હતું એ અસરાની 2025ની જુલાઈમાં પોતાની છેલ્લી ગુજરાતી ફિલ્મ કરી ગયા હતા ‘અમદાવાદનો રિક્ષાવાળો’ બસ એટલું જ કહીએ ત્યાં કિશોર કુમારનો સ્વર અને અમદાવાદના અલગ અલગ લોકેશન પર રીક્ષા હાંકતા અસરાનીનો ચહેરો યાદ આવી જાય. 1977 માં આવેલી ફિલ્મ ‘મા બાપ’ નું આ ગીત સુપરડુપરહિટ થતા તેમના માટે આજીવન ઓળખ બની જાય છે. ન માત્ર આ ગીત પણ આ ફિલ્મ જ એક હિટ ફિલ્મ હતી જેની વાર્તાથી માંડીને કલાકારોના અભિનય અને ગીતો ખૂબ જ વખણાયા હતા.  20 મી ઓક્ટોબર ના રોજ ગોવર્ધન અસરાનીએ આ ફાની દુનિયામાંથી વિદાય તો લીધી પણ તેઓ પોતાની પાછળ મૂકી ગયા છે ન માત્ર હિન્દી ફિલ્મોનો પણ ગુજરાતી ફિલ્મોનો બહુમૂલો ખજાનો. આ એક એવો ખજાનો છે જે એ સમયે તૈયાર થયો જ્યારે ગુજરાતી સિનેમા એના કપરા કહી શકાય એવા સમયમાંથી પસાર થઈ રહી હતી. 1980 ના સમયમાં ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી ઉપરાંત અન્ય નવા કલાકારો પ્રવેશી ચૂક્યા હતા. મહેશ-નરેશ કનોડીયાની સાથે, હિતેન કુમાર સહિત કિરણ કુમાર, રાજીવ, અસરાની, અરુણા ઈરાની, રીટા ભાદુરી, જયશ્રી ટી અને અરવિંદ પંડ્યા, પદ્મારાણી, વિષ્ણુકુમાર વ્યાસ જેવા પીઢ ક...

મહેનતુ નરેશ કનોડિયાની આજે ખોટ વર્તાય છે

Image
જીવવના દરેક તબક્કાનો અનુભવ કરનારા આ કલાકાર સેટ પર ક્રૂ મેમ્બરોનું ધ્યાન પરિવારની જેમ રાખતા ગુજરાતી ફિલ્મ જગતમાં સંખ્યાબંધ સફળ અભિનેતાઓ થઈ ગયા છે તેમ છતાં દર્શકોના દ્રષ્ટિકોણથી બે કલાકારોના નામ લીધા વિના ગુજરાતી ફિલ્મ જગતનો ઈતિહાસ કદાચ અધૂરો કહેવાશે. એક ઉપેન્દ્ર ત્રિવેદી અને બીજા નરેશ કનોડિયા. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં જે ફિલ્મો કરી છે એની એક અલગ જ ઓળખ છે.    મહેશ-નરેશની જોડીમાંના નરેશ કનોડિયાનો જન્મ ગુજરાતના કનોડા ગામે 20 મી ઑગસ્ટ 1943 ના રોજ થયો હતો જે ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ છે. પોતાના મોટાભાઈ મહેશની જેમ નાનપણથી જ નરેશે ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેમને જે પણ સફળતા મળી છે એ તમામે તમામ સફળતાનો શ્રેય તેમણે પોતાના મોટા ભાઈ મહેશ કનોડિયાને જ આપ્યો છે. નરેશ કનોડિયા જ્યારે છ માસના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. ફિલ્મોમાં આવતા પહેલા નરેશ કુમાર બુટપૉલિશ કરતા, એટલું જ નહીં ઘરેઘરે જઈને કચરો વીણતા. સવારે લોકો દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતા અને પછી એને તડકામાં સૂકવતા અને તે ચૂલામાં નાખતા અને પછી ચા બ...

મહેશકુમાર એન્ડ પાર્ટીને ઓળખ જરૂરત છે ખરી?

Image
સંઘર્ષથી સફળતા સુધીની સુંદર સફરનો શહેનશાહ એટલે મહેશ કુમાર જે 30થી પણ વધારે અવાજોમાં ગીતો ગાઈ શકતા ગુજરાતી ફિલ્મ જગતમાં આમ તો અનેક વાસ્તવિક પિતા-પુત્ર, મા-દીકરીની જોડી આપણને જોવા મળે છે પણ ભાઈ-ભાઈ કે બહેન-બહેનની જોડી ભાગ્યે જ જોવા મળે છે. ત્રિવેદી ભાઈઓ એટલે કે અરિવંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી જે પ્રમાણે ગુજરાતી અભિનેતાની પ્રથમ પંક્તિમાં પોંખાતા આવે એવી જ રીતે કનોડિયા બ્રધર્સ એટલે કે મહેશ કુમાર અને નરેશ કુમારને પણ કોઈ ખાસ ઓળખની જરૂરત રહેતી નથી. સંગીતકાર તરીકે મહેશ કુમારે જે ગીતોનું સર્જન કર્યું છે એ આજે પણ માણવા ગમે એવા છે જ્યારે નરેશ કુમારના અભિનયને જરા પણ ઓછું આંકી શકાય એવું નથી.  આજે (25મી ઑક્ટોબર) મહેશ કુમારની પુણ્યતિથી હોવાથી ફક્ત મહેશ કુમાર અને તેમના ફિલ્મ ક્ષેત્રમાં યોગદાનને યાદી કરીયે તો આજે ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ ને કોઈ ઓળખની જરૂરત નથી, પણ આ ક્ષેત્રમાં તેમની શરૂઆત જરાય સરળ નહોતી. મહેસાણા જિલ્લામાં આવેલા કનોડા ગામે 27 જાન્યુઆરી 1937 ના રોજ જન્મેલા મહેશ કનોડિયા અને તેમના પરિવારનું જીવન અનેક સંઘર્ષો બાદ સફળતાના શિખરે પહોંચ્યું હતું. પિતા હતા મીઠાલાલ રૂપાભાઈ પ...

‘જીગર અને અમી’ એટલે વાર્તા અને ગીત-સંગીતની સુપરહિટ જુગલબંદી

Image
લાગણીઓના દરિયામાં તરબતોડ કરી દેતી આ ફિલ્મે ઢોલીવુડમાં સંજીવ કુમારની ફેન ફોલોઇંગ વધારી દીધી અને ચાર વર્ષનો વનવાસ જાણે ક્ષણભરમાં ભૂલાવી દીધો મનહર રસકપૂરની 1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી અભિનેતા તરીકે સંજીવ કુમારની છાપ વધારે વખણાવા લાગી હતી. તેમ છતાં તેમની બીજી ગુજરાતી ફિલ્મ જોવા ચાહકોએ ચાર વર્ષનો ઇંતેજાર કરવો પડ્યો હતો. સંજીવ કુમારની આ બીજી ગુજરાતી ફિલ્મની વાત કરતાં પહેલા એ જાણી લઈએ 1966થી 1970 સુધી તેમની કઈ કઈ ફિલ્મોએ રિલીઝ થઈ.    1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ એ જ વર્ષે સંજીવ કુમારની ‘હુસ્ન ઔર ઈશ્ક’ અને ‘બાદલ’ એમ બે હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. 1967માં ‘આયેગા આનેવાલા’, ‘નૌનિહાલ’, ‘ગુનેહગાર’, અને ‘છોટી સી મુલાકાત’ એમ ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી જ્યારે 1968માં ‘સંઘર્ષ’, ‘શિખર’, ‘રાજા ઔર રંક’, ‘અનોખી રાત’, ‘આશીર્વાદ’ સહિત કુલ 10 ફિલ્મો તેમણે આપી હતી. 1969નું વર્ષ સંજીવ કુમાર માટે વધારે સફળ રહ્યું કેમ કે એ વર્ષે તેમણે ‘બંધન’, ‘ઉસ રાત કે બાદ’, ‘સચ્ચાઈ’, ‘જીને કી રાહ’, ‘ધરતી કહે પુકાર કે’, ‘ચંદા ઔર બિજલી’ જેવી 11 ફિલ્મો કરી જેમાંની બે-એક ફિલ્મોમાં તેમણે મહે...