Posts

Showing posts with the label April 2026

ઢોલીવૂડ માટે ‘આશા’ હંમેશા અમર રહેશે

Image
માતા ગુજરાતી હોવાને લીધે આ ભાષા પરની તેમની પકડ પહેલીથી જ મજબૂત રહી છે આશા ભોંસલના નિધનથી એક યાદગાર યુગનો અંત થયો પણ તેમના ગીતો ગુજરાતી પ્રજાના દિલ-ઓ-દિમાગમાં હંમેશા અમર રહેશે. તેમના ગુજરાતી ગીતો આજે પણ એટલા લોકપ્રિય છે કે એ સાંભળતા મન મહેકી ઉઠે. તેમનાં ગીતોમાં ફક્ત સંગીતનો જાદુ જ નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિ અને સંબંધોની ભાવના જોડાયેલી છે. આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે. 1976માં રજૂઆત પામેલી તેમની ગાયકી ધરાવતી કુલ એકવીસ ફિલ્મોમાં તેમણે આટલાં ગીતો ગાયેલાં. આશા ભોંસલેનો ગુજરાતી સિનેમા અને સંગીત જગત સાથેનો સંબંધ ગડથૂથીથી જોડાયેલો છે કેમ કે તેમની માતા સેવંતી (પછીથી બદલાયેલું નામ સુધામતી) એક ગુજરાતી સ્ત્રી હતા. પરિવારમાં સંગીતનો માહોલ નાનપણથી મળ્યો હોવાને લીધે શબ્દો પરની પકડ મજબૂત થવાની શરૂઆત થઈ ચૂકી હતી. પોતાની મા, નાની–મામા પાસેથી લોકગીતો અને હાલરડાં સાંભળીને તેમણે ગુજરાતી માટે એ...

1946 ની એકમાત્ર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે ‘રાણક દેવી’

Image
આઝાદીના કાળમાં રિલીઝ થયેલી આ ફિલ્મથી જ નિરૂપા રૉયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આઝાદીના કાળમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી. આ અસર તાત્કાલિક નહોતી દેખાઈ પણ કેટલાક વર્ષો એવા રહ્યા હતા જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ. 1947 માં ભારત દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલા એટલે કે 1946 માં પણ એકમાત્ર ગુજરાતી રિલીઝ થઈ શકી હતી અને એ ફિલ્મ એટલે ‘રાણક દેવી’.  ‘રાણક દેવી’ આ ગુજરાતી સિનેમા જગતની પહેલી એવી ઐતિહાસિક નાટક કથા પર આધારિત ફિલ્મ હતી જેણે લોકોના મનમાં જગ્યા બનાવી અને આ ફિલ્મ પછી જ ગુજરાતી સિનેમા જગતમાં ઐતિહાસિક લોકકથાઓ ઉપર ફિલ્મ બનવાની મોટા પાયે શરૂઆત થઈ હતી. ‘રાણક દેવી’ નું ડિરેક્શન અને નિર્માણ વી.એમ. વ્યાસે કર્યું હતું. ‘રાણક દેવી’ ની દંતકથાને ફિલ્મના પ્રારૂપમાં ઢાળવા માટે વી.એમ. વ્યાસ સહિત મોહનલાલ દવેએ વાર્તા તૈયાર કરવાની જવાબદારી સંભાળી હતી જ્યારે કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા.  ‘રાણક દેવી’ ની દંતકથા પાટણના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા ખેંગારની આજુબાજુ ફરે છે જેમાં એક યુદ્ધ બાદ રાણક પાટણ ફરતી વખતે ભોગાવો નદીના કિનારે...

ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ ‘બે ખરાબ જણ’

Image
શોભના સમર્થ અને મોતીલાલની એકસાથે આ પહેલી ફિલ્મ હતી જેના થકી તેમની યાદગાર જોડીના પાયા નખાયા  ગુજરાતી ફિલ્મ જગતના શરૂઆતના દિવસોમાં મોટાભાગની જે ફિલ્મ બનતી એ આધ્યાત્મિક અથવા તો સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હતી. તેમ છતાં ૧૯૩૬માં એક એવી ફિલ્મ આવી જેનો વિષય થોડો હટકે હતો. એક નાટક પર આધારિત આ ફિલ્મનું નામ હતું ‘બે ખરાબ જણ’, જે બની ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ.  દેશના રાજકારણ અને ગુજરાતી સાહિત્યમાં પાયાની ભૂમિકા ભજવનારા કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લખાયેલા નાટક ‘બે ખરાબ જણ’ પરથી આ ફિલ્મ ગુજરાતી ભાષામાં ‘બે ખરાબ જણ’ નામે બનાવવામાં આવી અને હિન્દીમાં આ ફિલ્મ ‘દો દીવાને’ ના શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. આ અગાઉના લેખમાં આપણે વાત કરી હતી કે એ બનવાની શરૂઆત થઈ એ સમયમાં મોટાભાગના ફિલ્મ મેકર ગુજરાતી અને હિન્દી ભાષામાં અલગ અલગ શીર્ષક સાથે ફિલ્મ રિલીઝ કરતાં જેથી કરીને બંને પ્રજાને આકર્ષી શકાય, અને આ ફિલ્મ પણ એ જ સ્ટ્રેટેજીનો એક ભાગ હતી. ફિલ્મ ‘બે ખરાબ જણ’ ની વાર્તા આજની તારીખમાં પણ વાસ્તવિક ઘટના હોય એવી દેખાય આવે છે, કારણ કે આ ફિલ્મની વાર્તા જનરેશન ગેપની વાત કરે છે. મોત...