Posts

Showing posts with the label Tatsat Munshi

‘લગન લાગી રે’ આજથી સિનેમાઘરોમાં

Image
મલ્હાર-આરોહીની જોડી ત્રણ વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરી ગયા વર્ષે એવી ઘણી ફિલ્મો હતી જે રિલીઝ થવાની હતી પણ કોઈકના કોઈક કારણોસર એ રિલીઝ થઈ શકી ન હતી અને હવે એ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ‘લગન લાગી રે’ પણ એમાંની જ એક ફિલ્મ છે જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે.  ‘લગન લાગી રે’  ફિલ્મ દ્વારા મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશીની જોડી ફરીપાછી રૂપેરી પડદે જોવા મળશે. આ પહેલા તેઓ 2022 માં આવેલી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ માં એકસાથે દેખાયા હતા. ‘ઓમ મંગલમ સિંગલમ’ બાદ ત્રણેય એક્ટરોની અલગ અલગ સ્વતંત્ર ફિલ્મો રિલીઝ થઈ હતી અને દર્શકોને ગમી હતી પણ ‘લગન લાગી રે’ થકી મલ્હાર-આરોહીની જોડીને મોટા પડદા પર જોવા ગુજરાતી પ્રજા ઘણી આતુર હતી. 2025 ના છેલ્લા મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે એવી સંભાવના જોવા મળી હતી પણ એ સમયે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હોવાને લીધે તથા ‘લાલો’ ની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ મોકૂફ કરવામાં આવી હતી. મલ્હાર, આરોહી અને તત્સત ઉપરાંત ફિલ્મમાં વેદિકા કૌલ વ્યાસ, આરતી પટેલ, રાગી જાની, હેમાંગ દવે, નિસર્ગ ત્રિવેદી અને મનીષા ત્રિવેદી પણ જોવા મળશે. ‘લગન લાગી રે’ ની વાત કરી...

સંબંધોની સોડમ મહેકાવશે નાનખટાઈ

Image
ઢોલીવૂડની આ પહેલી એન્થોલૉજી ફિલ્મમાં મૌન પણ ઘણું બધું કહી જશે ગયા વર્ષે ઢોલીવૂડમાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર ખાસ્સો કમાલ તો નહોતી કરી શકી પણ તેના ગીત-સંગીતે લોકોના મનના તાર છેડી દીધા હતા અને એ ફિલ્મ હતી ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’. આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી પ્રીત સિંહ ગોહિલે જેમાં મિત્ર ગઢવી, હિતેન કુમાર, તત્સત મુનશી, દેવર્ષિ શાહ, સિદ્ધિ ઇદનાની, સૂચેતા ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળ્યા હતા. આજ ડિરેક્ટર અને કેટલાક કલાકારો અન્ય એક ફિલ્મ લઈને આજે થિયેટરમાં આવ્યા છે જેનું શીર્ષક છે ‘નાનખટાઈ’.  ફિલ્મ ‘નાનખટાઈ’ ગુજરાતી સિનેમા જગતની પહેલી એન્થોલૉજી ફિલ્મ છે. એન્થોલૉજી એટલે એમાં ત્રણ જુદી જુદી કથાઓ જોવા મળશે અને એ દરેક વાર્તા એકબીજાથી અલગ હશે પણ એક સાથે મળીને તેઓ જીવનની મીઠાશ અને જીવનમાં સંબંધોની સોડમ કઈ રીતે મહેકી શકે છે એ વાત રજૂ કરશે. જે પ્રમાણે આ એન્થોલૉજી ફિલ્મ બનાવવામાં આવી છે એ પ્રમાણે ત્રણ અલગ અલગ કથાઓને વર્ણવવા માટે સ્ટારકાસ્ટ પણ દમદાર પસંદ કરવામાં આવી છે, જેમાંના મોટાભાગના કલાકારોની જોડી પહેલીવાર રૂપેરી પડદે જોવા મળશે. ત્રણ કથાઓમાંની પહેલી કથા રઘુવીર સિંહ ચુડાસમા...

સંગીત વિનાની ગુજરાતી ફિલ્મ કલ્પી શકાય?

Image
માત્ર સંગીત જ નહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને એક વેંત ઉંચી લઈ જવામાં પાયાની ભૂમિકા ભજવે છે શું તમે ક્યારેય ગીત સંગીત વિનાની ફિલ્મ કલ્પી શકો છો? જવાબ આપણે સૌ જાણીયે છીએ.. ના, એ શક્ય નથી. શક્યતા અને અશક્યતાની વાતને બાજુમાં મૂકી કહેવાનું તાત્પર્ય માત્ર એટલું કે આજની તારીખમાં બનતી દરેકે દરેક ફિલ્મ ગીત સંગીત વગર બનવી શક્ય નથી. ઢોલીવૂડમાં હાલમાં એવી ઘણી ફિલ્મો બની છે જે માત્ર ગીત-સંગીતને લીધે લોકોનું ધ્યાન આકર્ષી શકી છે.  વાસ્તવમાં ફિલ્મની વાર્તાને કેન્દ્રસ્થાને રાખીને ગીતકાર ગીતોનું નિર્માણ કરતા હોય છે અને ત્યાર બાદ સંગીતકાર એને સંગીતના બીબામાં ઢાળવાનો પ્રયાસ કરે છે. એમાં પણ સંગીતના સૂર, તાલ, લય, વાંજિત્રોનો જોઈએ એટલો ઉપયોગ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા પડે છે. ભારતીય અને એમાં પણ ખાસ ગુજરાતી પ્રજા સંગીતઘેલી ખરી એટલે ગીત-સંગીત વિનાની ગુજરાતી ફિલ્મ કલ્પી શકાય એમ નથી. તેમ છતાં કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ’ અને ‘રાડો’ એકપણ ગીત વગર બનેલી એવી ફિલ્મો છે જે સફળતા પામી છે. આ બંને ફિલ્મોમાં કોઈ ઓફિશ્યલ ગીત ન હોવા છતાં માત્ર ફિલ્મના થીમ મ્યુઝિકને લીધે ફિલ્મની વાર્તાને ન્યાય આપવ...