પારકાઓને પણ પોતાના કરી જાણે એ દીના પાઠક
એક સમયે જે ફિલ્મોને નકારતા હતા તેમને જ એક સમયે નાણાકીય સંઘર્ષ સામે ટકી રહેવા ફિલ્મો સ્વીકારવી પડી બ્રિટીશ કાળમાં અંગ્રેજો સામે ભવાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓમાં દીના પાઠક પણ એક હતા અને એ માટે તેમને એક નહીં પણ ત્રણવાર જેલવાસો ભોગવ્યો હતો. 1947 માં દેશ આઝાદ થયો ત્યારબાદ 1949 માં સરકારે કેટલાક ડાબેરીઓની ધરપકડ કરી હતી જેમાં દીના પાઠક પણ સામેલ હતા અને ત્યારે તેમણે નવ માસ કારાવાસ ભોગવ્યો હતો. નાટ્યજીવ હોવાને લીધે આ જેલવાસો ભોગવ્યા બાદ 1949 માં જ તેમણે ફરીથી પોતાની નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. 1949માં તેમણે ‘લોકભવાઈ’ નામનું નાટક લખ્યું એનું દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતે આ નાટકને વધાવી લીધું હતું અને તે ખૂબ વખણાયું હતું. 1950માં દીના અમદાવાદ આવ્યાં અને ગુજરાત વિદ્યાસભાના નાટ્યવિદ્યામંદિરમાં નાટ્યશિક્ષિકા તરીકે જોડાયાં. 1952માં તેમણે નટમંડળની સ્થાપના કરી અને તેનાં નાયબ નિયામક બન્યાં. એ દરમ્યાન જ તેમણે ‘વિરાજવહુ’, ‘લોકશત્રુ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘મેના ગુર્જરી’ (જેની વાત આપણે પાછલા લેખ કરી હતી), ‘મિથ્યાભિમાન’ જેવા નાટકોમાં કામ કર્યું અને...