Posts

Showing posts with the label Arvind Joshi

100 અઠવાડિયા થિયેટરમાં ચાલી હતી ‘વણઝારી વાવ’

Image
સંગીત અને ગીતોની લોકપ્રિયતાને લીધે આ ફિલ્મ આજે પણ લોકહૈયૈ જીવંત છે 1970-80 માં મહેશ-નરેશની બેલડીનો જાદુ ગુજરાતી સિનેમા જગતમાં ચોમેર ફેલાયેલો હતો. એવામાં 1977 માં તેમની એક ફિલ્મ આવે છે ‘વણઝારી વાવ’. આ ફિલ્મ ચંદ્રકાન્ત સાંગાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા તેઓ 1968 પણ ‘મારે જેવું પેલે પાર’, 1970 માં ‘જીગર અને અમી’, 1975 માં ‘તાનારીરી’ અને 1976 માં ‘સતી જસમા ઓઢણ’ જેવી લોકપ્રિય ફિલ્મ આપી ચૂક્યા હતા.  1977 માં આવેલી ફિલ્મ ‘વણઝારી વાવ’ વાસ્તવમાં શયદાની એ જ નામથી પ્રગટ થયેલી નવલકથાનું ફિલ્મી સ્વરુપ હતું જેમાં કેટલીક છૂટ લઈને ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. 1948 માં આ જ વાર્તા ‘કરિયાવર’ નામે ફિલ્મી પડદે રજૂ થઈ હતી. ઘણા ઓછાને એ વાતનો અંદાજો હશે કે આ ફિલ્મ કનોડિયા બ્રધર્સની પહેલી રંગીન ગુજરાતી ફિલ્મ હતી જેમાં નરેશ કનોડીયા સહિત લક્ષ્મી છાયા, અરવિંદ જોશી, રમેશ મહેતા, મંજરી દેસાઈ તથા જયશ્રી તલપડે મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા હતા. એની સાથે સહ કલાકારોમાં આપણને શેખર પુરોહિત, ઉર્મિલા ભટ્ટ, પ્રભાકર જોશી, ઈન્દુમતી રાજડા, કનુ ઠાકર, દેવેન્દ્ર પંડિત, ચીમન મારવાડી, દેવ્યાની ઠક્કર, કાંતિ પટે...

1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ

Image
નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી.  નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ.  નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન...
Image
ગુજરાતી ફિલ્મો અને રંગમંચ સાથે સંકળાયેલા હોવા છતાં બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા ઘણી મહેનત કરવી પડી ઢોલીવુડમાં આપણને એવા અનેક કલાકારો ખબર છે જેમના નામ આજે તેમની ઓળખાણ બની ચૂક્યા છે. જે તે કલાકારોએ માત્ર ઢોલીવુડ પૂરતા જ સીમિત ન રહેતા બોલીવુડમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે અને એ બાબતે અગાઉના લેખમાં આપણે વિગતવાર વાત પણ કરી હતી. આજે એવા એક ગુજરાતી કલાકારની જ વાત કરવી છે જેને આપણે ‘થ્રી ઇડિટ્સ’ ના રાજુ તરીકે ઓળખીયે છીએ અથવા તો રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ફિલ્મના લક્ષ્મણ તરીકે અથવા તો ‘રંગ દે બસંતી’ ના રાજગુરુ એટલે કે સુખી તરીકે. હા, આ કલાકાર છે શર્મન જોશી જેમને કળાની સેવા કરવાની તક ગડથૂથીમાં જ મળી છે. ગુજરાતી સિને જગતનો ઈતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે એમાં ખ્યાતનામ કલાકાર અરવિંદ જોશીનું નામ અચૂક ઉમેરાશે. આ જ અરવિંદ જોશીના સુપુત્ર તરીકે શર્મનનો જન્મ 28 મી એપ્રિલ 1979 માં મુંબઈ ખાતે થયો. વિલેપાર્લાની કેળવણી મંડળમાં કોલેજનું ભણતર પૂરુ કરવાની સાથે તે રંગમંચ સાથે જોડાયો હતો. 1999 ની ત્રીજી સપ્ટેમ્બરે વિનય શુક્લા લિખીત અને દિગ્દર્શિત ફિલ્મ ‘ગોડમધર’ રિલીઝ થઈ હતી જેમાં શર્મન જોશીએ પહેલીવાર અભિનય કર્યો હતો. ...