Posts

Showing posts with the label Kalapi

સંજીવ કુમારની છેલ્લી ગુજરાતી ફિલ્મ રહી ‘મારે જાવું પેલે પાર’

Image
આ ફિલ્મ બાદ હરિભાઈ એકપણ ગુજરાતી ફિલ્મ ન કરી શક્યા પણ તેમની આ સફળ ફિલ્મો સિવાય ગુજરાતી ફિલ્મનો ઈતિહાસ જરૂરથી અધૂરો કહેવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ‘શૈતાન’ (2024) ફિલ્મ રિલીઝ થઈ હતી જે 2023 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની ઓફિશ્યલ રિમેક હતી. આ બંને ફિલ્મમાં વાર્તા ઉપરાંત જાનકી બોડીવાલા કોમન હતી. જાનકીએ પોતે ‘વશ’ માં જે પાત્ર ભજવ્યું હતું એ જ પાત્ર તેણે ‘શૈતાન’ માં પણ ભજવ્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો કે એક જ કલાકારે પોતાનું એકને એક પાત્ર ઓરિજીલ અને રિમેક એમ બંને ફિલ્મોમાં ભજવ્યું હોય એવા કિસ્સા આપણે ત્યાં ગણ્યાગાઠ્યા જોવા મળતા હોય છે. જોકે સંજીવ કુમાર પણ એવા જ કલાકારોમાંના એક છે જેમણે એક જ વાર્તાની ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં વિસ્મૃતિ દોષવાળી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને બંને ફિલ્મોએ સફળતાના તમામ શિખરો સર કર્યા હતા. બોલીવુડની એ ફિલ્મ એટલે 1970 માં આવેલી ફિલ્મ ‘ખિલૌના’ અને 1978 માં આવેલી આ જ ફિલ્મની ગુજરાતી રિમેક ‘મારે જાવું પેલે પાર’, જે હરિભાઈની છેલ્લી ગુજરાતી ફિલ્મ બની રહી. ‘મારે જાવું પેલે પાર’ ની વાત શરૂ કરતા પહેલા એ જાણી લઈએ આ ફિલ્મની વાર્તાનો દબદબો વાસ્તવમાં કેટ...

‘કલાપી’ દ્વારા સંજીવ કુમારની થઈ હતી ઢોલીવુડમાં એન્ટ્રી

Image
બોલીવુડમાં અંદાજે પાંચ-છ વર્ષ સ્ટ્રગલ કર્યા બાદ ઢોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ આવે છે ‘કલાપી’ અને આ ફિલ્મ હરિભાઈને એક અનોખી ઓળખ આપવામાં સફળ રહે છે અભિનયના ક્ષેત્રમાં અનેક એવા કલાકારો થઈ ગયા છે જેમણે અનેક ભાષાની ફિલ્મોમાં અભિનય કરી નામના મેળવી છે. હરિહર જેઠાલાલ જરીવાલા એટલે કે સંજીવ કુમાર એક એવા ગુજરાતી કલાકાર છે જેમણે બોલીવુડની સાથે ઢોલીવુડમાં પણ પોતાના અભિનયનો પરચો આપ્યો છે. નવમી જુલાઈએ તેમની જન્મજયંતિ આવી રહી છે. 1960થી 1985 એમ કુલ 25 વર્ષના સક્રિય ફિલ્મી સફરમાં અંદાજે 100થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કરવાની સાથે તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મો પણ કરી છે, જેમાંની તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મની આજે આપણે વાત કરવાના છીએ.  મૂળ સુરતના એક બ્રાહ્મણ પરિવારમાં નવમી જુલાઈએ જન્મેલા હરિહરે રંગમંચથી જ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ઇન્ડિયન પીપલ્સ થિયેટર અસોસિએશન (ઇપ્ટા) અને ઇન્ડિયન નૅશનલ થિયેટર (આઇએનટી) સાથે જોડાયેલા હરિહરે, બોલીવુડના જાણીતા અભિનેતા અને પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં કપરા દિવસો જોનારા એ.કે. હંગલના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલા નાટક ‘ડમરુ’ માં છ બાળકોના પિતા એવા 60 વર્ષ...