Posts

Showing posts with the label Mahesh Kumar

મહેશકુમાર એન્ડ પાર્ટીને ઓળખ જરૂરત છે ખરી?

Image
સંઘર્ષથી સફળતા સુધીની સુંદર સફરનો શહેનશાહ એટલે મહેશ કુમાર જે 30થી પણ વધારે અવાજોમાં ગીતો ગાઈ શકતા ગુજરાતી ફિલ્મ જગતમાં આમ તો અનેક વાસ્તવિક પિતા-પુત્ર, મા-દીકરીની જોડી આપણને જોવા મળે છે પણ ભાઈ-ભાઈ કે બહેન-બહેનની જોડી ભાગ્યે જ જોવા મળે છે. ત્રિવેદી ભાઈઓ એટલે કે અરિવંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી જે પ્રમાણે ગુજરાતી અભિનેતાની પ્રથમ પંક્તિમાં પોંખાતા આવે એવી જ રીતે કનોડિયા બ્રધર્સ એટલે કે મહેશ કુમાર અને નરેશ કુમારને પણ કોઈ ખાસ ઓળખની જરૂરત રહેતી નથી. સંગીતકાર તરીકે મહેશ કુમારે જે ગીતોનું સર્જન કર્યું છે એ આજે પણ માણવા ગમે એવા છે જ્યારે નરેશ કુમારના અભિનયને જરા પણ ઓછું આંકી શકાય એવું નથી.  આજે (25મી ઑક્ટોબર) મહેશ કુમારની પુણ્યતિથી હોવાથી ફક્ત મહેશ કુમાર અને તેમના ફિલ્મ ક્ષેત્રમાં યોગદાનને યાદી કરીયે તો આજે ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ ને કોઈ ઓળખની જરૂરત નથી, પણ આ ક્ષેત્રમાં તેમની શરૂઆત જરાય સરળ નહોતી. મહેસાણા જિલ્લામાં આવેલા કનોડા ગામે 27 જાન્યુઆરી 1937 ના રોજ જન્મેલા મહેશ કનોડિયા અને તેમના પરિવારનું જીવન અનેક સંઘર્ષો બાદ સફળતાના શિખરે પહોંચ્યું હતું. પિતા હતા મીઠાલાલ રૂપાભાઈ પ...

કરાવે ધાર્યા કામ ને અંતે ‘રમત રમાડે રામ’

Image
સંજીવ કુમારની આ સુપરડુપર હિટ ફિલ્મે ગુજરાતી સિને જગત પર એક એવી છાપ છોડી છે જે આજની તારીખે પણ અકબંધ છે ગુજરાતી સિનેજગતમાં સંજીવ કુમારની શરૂઆતની બે ફિલ્મ એટલે કે ‘કલાપી’ (1966) અને ‘જીગર અને અમી’ (1970) માં રિલીઝ થયા બાદ તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ અંગે મોટાભાગે એમ કહેવામાં આવે છે કે ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં નહીં પણ 1964 માં રિલીઝ થઈ હતી પણ લેખની શરૂઆતમાં આ વાતની સ્પષ્ટતા કરી દેવી ઘટે છે કે સુહાગ ચિત્ર દ્વારા રજૂ કરાયેલી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975ની 17 મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મના સેન્સર બોર્ડ સર્ટિફિકેટમાં પણ આપણને આ તારીખ નોંધાયેલી જોવા મળે છે.  ફિલ્મ ‘રમત રમાડે રામ’ એક ઉમદા વાર્તા અને કલાકારોથી ભરપૂર સુપરહિટ ફિલ્મ રહી હતી. સંજીવ કુમાર સાથે મુખ્ય અદાકારા હતી પદ્મારાણી જેમણે એકસાથે ‘કલાપી’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મની મુખ્ય જોડી હતી તરલા મહેતા, મહેશ કુમાર અને અરવિંદ પંડ્યાની. આ પાંચ મુખ્ય કલાકારો ઉપરાંત ફિલ્મમાં વનલતા મહેતા, વિષ્ણુકુમાર વ્યાસ, આશુતોષ શાસ્ત્રી, ડી.એસ. મહેતા, ચંપકલાલજી, ...

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

Image
આ ફિલ્મના સાતેય ગીતો સુપરહિટ રહ્યા, એમાં પણ એક ગીત એવું જે ગઈ કાલે 97મી વર્ષગાંઠ ઉજવી 98માં વર્ષે પ્રવેશ કરી ચૂક્યું છે, તેમ છતાં આજે પણ એ ગીતની રમણીયતા યથાવત્ છે ઢોલીવૂડના પીટારામાંથી આજે વાત કરવી છે 1963માં આવેલી એક એવી ફિલ્મની જે એક પ્યોર બોલીવૂડ મસાલા ફિલ્મ જેવી જ હતી. આ ફિલ્મની વાર્તા સાધારણ હોવા છતાં તે લોકોના દિલમાં આજે પણ યાદગાર એવું અમૂલ્ય સ્થાન ધરાવે છે. ફિલ્મનું ગીત-સંગીત તેના પ્રબળ પાસા હતા જેને લીધે ફિલ્મ સુપરહિટ રહી. આ ફિલ્મ જેની આપણે વાત કરી રહ્યા છીએ એ છે ‘અખંડ સૌભાગ્યવતી’. આ ફિલ્મની સફળતામાં માત્ર એના ગીત-સંગીત જ નહીં પરંતુ દમદાર ડાયલોગ્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1963માં રજત ફિલ્મ્સ દ્વારા ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ બનાવવામાં આવી હતી જેનું દિગ્દર્શન કર્યું હતું મનહર રસકપુરે. આ ફિલ્મની વિગતવાર વાત શરૂ કરતા પહેલા ફિલ્મમાં યોગદાન આપનારા વ્યક્તિઓને જાણી લઈએ. ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ માં બોલીવૂડની ફેમસ પણ મૂળ ગુજરાતી અભિનેત્રી આશા પારેખ અને મેહશ કુમારની જોડી જોવા મળી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ, આગા, ઉમાકાંત, પદ્મારાણી, દેવિકા રોય, ચંદ્રવદન ભટ્ટ, શમ્મી જી...