સંબંધોની સોડમ મહેકાવશે નાનખટાઈ
ઢોલીવૂડની આ પહેલી એન્થોલૉજી ફિલ્મમાં મૌન પણ ઘણું બધું કહી જશે ગયા વર્ષે ઢોલીવૂડમાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર ખાસ્સો કમાલ તો નહોતી કરી શકી પણ તેના ગીત-સંગીતે લોકોના મનના તાર છેડી દીધા હતા અને એ ફિલ્મ હતી ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’. આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી પ્રીત સિંહ ગોહિલે જેમાં મિત્ર ગઢવી, હિતેન કુમાર, તત્સત મુનશી, દેવર્ષિ શાહ, સિદ્ધિ ઇદનાની, સૂચેતા ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળ્યા હતા. આજ ડિરેક્ટર અને કેટલાક કલાકારો અન્ય એક ફિલ્મ લઈને આજે થિયેટરમાં આવ્યા છે જેનું શીર્ષક છે ‘નાનખટાઈ’. ફિલ્મ ‘નાનખટાઈ’ ગુજરાતી સિનેમા જગતની પહેલી એન્થોલૉજી ફિલ્મ છે. એન્થોલૉજી એટલે એમાં ત્રણ જુદી જુદી કથાઓ જોવા મળશે અને એ દરેક વાર્તા એકબીજાથી અલગ હશે પણ એક સાથે મળીને તેઓ જીવનની મીઠાશ અને જીવનમાં સંબંધોની સોડમ કઈ રીતે મહેકી શકે છે એ વાત રજૂ કરશે. જે પ્રમાણે આ એન્થોલૉજી ફિલ્મ બનાવવામાં આવી છે એ પ્રમાણે ત્રણ અલગ અલગ કથાઓને વર્ણવવા માટે સ્ટારકાસ્ટ પણ દમદાર પસંદ કરવામાં આવી છે, જેમાંના મોટાભાગના કલાકારોની જોડી પહેલીવાર રૂપેરી પડદે જોવા મળશે. ત્રણ કથાઓમાંની પહેલી કથા રઘુવીર સિંહ ચુડાસમા...