Posts

Showing posts with the label Hitu Kanodia

પરિવાર માટે સિદ્ધાંતોને નેવે મૂકશે કનૈયાલાલ

Image
માત્ર 18 દિવસમાં તૈયાર થયેલી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આજથી સિનેમાઘરોમાં વર્ષ 2026 ના પહેલા મહિનાની પહેલી મોટી કહી શકાય એવી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. ગુજજુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરિયા, બા બહુ ઔર બેબી ફેમ વૈશાલી ઠક્કર સહિત હિતુ કનોડિયા, શ્રેય મરડિયા અને અનેરી વજાણી આ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે. સિદ્ધાર્થ ભાઈની છેલ્લી ફિલ્મ રત્ના પાઠક શાહ સાથેની ‘બચુની બેનપણી’ હતી જેણે ઇન્ડસ્ટ્રીમાં હાસ્યની લહેર ફેલાવી દીધી હતી અને આજની આ ફિલ્મ પણ એ જ દિશામાં આગળ વધવાની સાથે કંઈક નવું રજૂ કરવાના દ્રષ્ટિકોણથી રિલીઝ કરવામાં આવી છે.  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શરૂઆતના 500 જેટલા એપિસોડના ડિરેક્ટર રહી ચૂકેલા ધર્મેશ મહેતાએ ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ ડિરેક્ટ કરી છે. આ પહેલા તેઓ ‘મોમ તને નહીં સમજાય’, ‘જયસુખ ઝડપાયો’ જેવી ફિલ્મો ઢોલીવૂડને આપી ચૂક્યા છે. વૈશાલી ઠક્કર (પુષ્પા) પણ પહેલીવાર સિદ્ધાર્થ રાંદેરિયા અને હિતુ કનોડિયા સાથે કામ કરી રહી છે. શ્રેય મરડિયા અને અનેરી વજાણી કનૈયાલાલના દીકરા-દીકરીના પાત્રમાં જોવા મળશે જ્યારે દસથી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં પોલીસ અધિકારીનું પાત્ર ભજવી ...

1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ

Image
નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી.  નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ.  નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન...

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’

Image
પાર્ટ 2 ને વધારે સફળ બનાવવા અને વાર્તાને ફરીથી સજીવન કરવા ‘વશ’ પાર્ટ 1  22મી ઓગસ્ટે થશે રી-રિલીઝ  તાજેતરમાં વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મને નૅશનલ એવોર્ડ મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ‘વશ’ ને અને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે જાનકી બોડીવાળાને આ જ ફિલ્મ માટે નૅશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. અને હવે આ જ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ‘વશ લેવલ 2’ ગણેશ ચતુર્થી ના દિવસે એટલે કે 27મી ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યો છે.  ગણેશ ચતુર્થીના શુભ દિવસે ‘વશ લેવલ 2’ સાથે ‘બચુની બેનપણી’ નામની ફિલ્મ પણ રિલીઝ થવાની છે જેની વાત આપણે આવતા લેખમાં કરીશું પણ આજે આપણે ‘વશ લેવલ 2’ ની વાત કરીશું. સૌથી પહેલા તો એ જાણીયે કે વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વશ’ બોક્સ ઓફિસ પર ખાસ્સો એવો કોઈ કમાલ કરી શકી ન હતી, પણ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયા પહેલા જ માઉથ પબ્લિસિટીના લીધે દર્શકોને ગમવા લાગી હતી. ખાસ કરીને હિતેન કુમાર અને જાનકી બોડીવાલાની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીયે તો અંદાજે ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ સુપર નેચરલ સાયકોલો...

હોરર કોમેડી ફિલ્મ 'ફાટી ને?' લોકોને ડરાવશે કે હસાવશે?

Image
ઓસ્ટ્રેલિયામાં શૂટ કરાયેલી આ ફિલ્મને ગુજરાતીઓ કેટલી આવકારશે એ જોવા જેવું રહેશે ગયા વર્ષે રિલીઝ થયેલી હોરર કોમેડી ફિલ્મ ‘ઝમકૂડી’ એ વર્ષનું સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન કરનારી ફિલ્મ બની હતી અને આજે હવે વર્ષ 2025ના પહેલા જ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતી જનતાને વધુ એક હોરર કોમેડી ફિલ્મ ‘ફાટી ને?’ માણવા મળશે.  ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘ફાટી ને?’ આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે, જેમાં હિતુ કનોડિયા પરમ લાલ અને કિશોર કાકા ફેમ કોમેડિયન અને રેડિયો જોકે સ્મિત પંડ્યા પદમ લાલના મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ બે કલાકારો ઉપરાંત ફિલ્મમાં હેમીન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દૈયા, કૌશામ્બી ભટ્ટ, મોનાથીબા કનોડિયા અને અન્ય વિદેશી કલાકારો અભિનય કરતા જોવા મળશે. ફિલ્મની વાર્તા ફૈઝલ હાશ્મી અને ફેનિલ દવે દ્વારા તૈયાર કરવામાં આવી છે જ્યારે સોહન નાયક દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.  ફિલ્મ ‘ફાટી ને?’ આ પહેલા એપ્રિલ 2023માં રિલીઝ થવાની હતી પણ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવામાં આવી હતી. જોકે ફિલ્મની રિલીઝ પહેલા અનેક પોસ્ટર્સ રિલીઝ કરી હળવી શૈલીમાં પ્રમોશન કરવામાં આવ્યું હતું.  પ્રાપ્ત ...

'તારો થયો' અને 'માલિક ની વાર્તા' આવી આમને-સામને

Image
વર્ષના પહેલા મહિનાના આ બીજા ફિલ્મી ક્લેશમાં દર્શકોને મળશે એક રોમેન્ટિક ફિલ્મ અને બીજી મળશે સસ્પેન્સ કોમેડી ફિલ્મ જાન્યુઆરી 2025ના પહેલા અઠવાડિયામાં ‘વિક્ટર 303’ અને ‘કાશી રાઘવ’ ના ક્લેશ બાદ હવે ત્રીજા અઠવાડિયામાં પણ બે ફિલ્મો એકસાથે રિલીઝ થઈ રહી છે. આ બે ફિલ્મોમાંની એક ફિલ્મ હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્યની રોમેન્ટિક ફિલ્મ છે જેનું નામ છે ‘તારો થયો’ અને બીજી અનંગ દેસાઈ, મોનલ ગજ્જર, મૌલિક ચૌહાણ, રાજીવ મેહતાની ફિલ્મ છે જેનું શીર્ષક છે ‘માલિક ની વાર્તા’ જે આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે.    સૌથી પહેલા લીલા મોહન પ્રોડક્શન દ્વારા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ‘તારો થયો’ ની વાત કરીયે તો મોટી ઉંમરે કરવામાં આવતા પ્રેમના એકરારને આ ફિલ્મ સારી રીતે વ્યક્ત કરી રહી છે. સુપરસ્ટાર હિતેન કુમાર સાથે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યની જોડી મોટા પડદે જોવા મળશે. આ બે કલાકારો ઉપરાંત ફિલ્મમાં વ્યોમા નંદી, સની પંચોલી, સોનું ચંદ્રપાલ, રિવા રાચ્છ, નમન ગૌર, વિસ્તાપ ગોટાલા, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ, જીગ્નેશ મોદી અને જાન્હવી પટેલ અભિનય કરતા જોવા મળશે જ્યારે હિતુ કનોડિયા મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. ધ...

પ્રેમ અને વાસના વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવતી વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ એટલે ‘31st'

Image
31 મી ડિસેમ્બરની પ્લાનિંગ અમલમાં મૂકતા પહેલા આ ફિલ્મ અચૂક જોવા જેવી છે ઢોલીવૂડ માટે વર્ષ 2014 ની શરૂઆત ‘ડેની જીગર’ ના એક નવા પ્રકારના પ્રયોગથી થઈ હતી અને આ વર્ષનો અંત પણ એક અનોખા પ્રકારની ફિલ્મથી થવા જઈ રહ્યો છે. આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘31st' (થર્ટી ફસ્ટ) 2013 માં થયેલી અમદાવાદમાં 31 મી ડિસેમ્બરના રોજ બનેલી ગેંગેરપની સત્ય ઘટના પર આધારિત છે. સત્ય ઘટના પર આધારિત આ મલ્ટી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મને અત્યાર સુધીની ગુજરાતી સિનેમા જગતની એક અલગ પ્રકારની ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે.  પ્રાચી ઠાકર ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યાર સુધી એવી ઘણી ઓછી ફિલ્મો બની છે જે સત્ય ઘટના પર આધારિત હોય અથવા તો કોઈ એક ચો ક્કસ ઘટનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. આ ફિલ્મના નામ, પોસ્ટર અને ટ્રેલર જોતા જ ખબર પડે છે કે ફિલ્મ ‘31st' બળાત્કાર જેવા મુદ્દા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ન માત્ર બળાત્કારના મુદ્દાની વાત કરી રહી છે પણ કૃત્યનો ભોગ બનનાર વ્યક્તિ, તેના પરિવાર, તેની આજુબાજુનો સમાજ, આ હિન કૃત્ય કરનાર વ્યક્તિ, તેની માનસિકતા, પોલીસ અને કોર્ટ રૂમ જેવા કાનૂની પ્રશાસન સારી-નરસી વાત કરે છે. આ...

મહેનતુ નરેશ કનોડિયાની આજે ખોટ વર્તાય છે

Image
જીવવના દરેક તબક્કાનો અનુભવ કરનારા આ કલાકાર સેટ પર ક્રૂ મેમ્બરોનું ધ્યાન પરિવારની જેમ રાખતા ગુજરાતી ફિલ્મ જગતમાં સંખ્યાબંધ સફળ અભિનેતાઓ થઈ ગયા છે તેમ છતાં દર્શકોના દ્રષ્ટિકોણથી બે કલાકારોના નામ લીધા વિના ગુજરાતી ફિલ્મ જગતનો ઈતિહાસ કદાચ અધૂરો કહેવાશે. એક ઉપેન્દ્ર ત્રિવેદી અને બીજા નરેશ કનોડિયા. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં જે ફિલ્મો કરી છે એની એક અલગ જ ઓળખ છે.    મહેશ-નરેશની જોડીમાંના નરેશ કનોડિયાનો જન્મ ગુજરાતના કનોડા ગામે 20 મી ઑગસ્ટ 1943 ના રોજ થયો હતો જે ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ છે. પોતાના મોટાભાઈ મહેશની જેમ નાનપણથી જ નરેશે ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેમને જે પણ સફળતા મળી છે એ તમામે તમામ સફળતાનો શ્રેય તેમણે પોતાના મોટા ભાઈ મહેશ કનોડિયાને જ આપ્યો છે. નરેશ કનોડિયા જ્યારે છ માસના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. ફિલ્મોમાં આવતા પહેલા નરેશ કુમાર બુટપૉલિશ કરતા, એટલું જ નહીં ઘરેઘરે જઈને કચરો વીણતા. સવારે લોકો દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતા અને પછી એને તડકામાં સૂકવતા અને તે ચૂલામાં નાખતા અને પછી ચા બ...

મહેશકુમાર એન્ડ પાર્ટીને ઓળખ જરૂરત છે ખરી?

Image
સંઘર્ષથી સફળતા સુધીની સુંદર સફરનો શહેનશાહ એટલે મહેશ કુમાર જે 30થી પણ વધારે અવાજોમાં ગીતો ગાઈ શકતા ગુજરાતી ફિલ્મ જગતમાં આમ તો અનેક વાસ્તવિક પિતા-પુત્ર, મા-દીકરીની જોડી આપણને જોવા મળે છે પણ ભાઈ-ભાઈ કે બહેન-બહેનની જોડી ભાગ્યે જ જોવા મળે છે. ત્રિવેદી ભાઈઓ એટલે કે અરિવંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી જે પ્રમાણે ગુજરાતી અભિનેતાની પ્રથમ પંક્તિમાં પોંખાતા આવે એવી જ રીતે કનોડિયા બ્રધર્સ એટલે કે મહેશ કુમાર અને નરેશ કુમારને પણ કોઈ ખાસ ઓળખની જરૂરત રહેતી નથી. સંગીતકાર તરીકે મહેશ કુમારે જે ગીતોનું સર્જન કર્યું છે એ આજે પણ માણવા ગમે એવા છે જ્યારે નરેશ કુમારના અભિનયને જરા પણ ઓછું આંકી શકાય એવું નથી.  આજે (25મી ઑક્ટોબર) મહેશ કુમારની પુણ્યતિથી હોવાથી ફક્ત મહેશ કુમાર અને તેમના ફિલ્મ ક્ષેત્રમાં યોગદાનને યાદી કરીયે તો આજે ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ ને કોઈ ઓળખની જરૂરત નથી, પણ આ ક્ષેત્રમાં તેમની શરૂઆત જરાય સરળ નહોતી. મહેસાણા જિલ્લામાં આવેલા કનોડા ગામે 27 જાન્યુઆરી 1937 ના રોજ જન્મેલા મહેશ કનોડિયા અને તેમના પરિવારનું જીવન અનેક સંઘર્ષો બાદ સફળતાના શિખરે પહોંચ્યું હતું. પિતા હતા મીઠાલાલ રૂપાભાઈ પ...