નલિની જયવંતની એકમાત્ર ગુજરાતી ફિલ્મ એટલે 'વારસદાર'
આ એક ફિલ્મ થકી નલિની જયવંતે ગુજરાતી ફિલ્મોમાં પોતાની છાપ છોડી અને ગીતને પોતાનો સ્વર પર આપ્યો ગુજરાતી ફિલ્મજગતમાં ૧૯૪૮માં રજૂ થયેલી ફિલ્મ 'વારસદાર' એક મહત્વપૂર્ણ સામાજિક ફિલ્મ તરીકે આજની તારીખે પણ ઓળખાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન મગનલાલ ઠક્કરે કર્યું હતું, જ્યારે તેનું નિર્માણ લક્ષ્મીચંદ શાહે શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શનના બેનર હેઠળ કર્યું હતું. ફિલ્મની કથા દામુ સાંગાણીએ લખી હતી અને સંગીત ગુજરાતી ફિલ્મસંગીતના પ્રખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસે આપ્યું હતું. ફિલ્મ 'વારસદાર' માં હરસુખ કિકાણી અને નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા અમદાવાદના એક શ્રીમંત વેપારી બિહારીલાલ અને તેના ભત્રીજા વિનય (હરસુખ કિકાણી) ની આસપાસ ફરે છે જે બેરોજગાર હોવાથી બિહારીલાલની સાથે રહે છે. આ દરમિયાન વિનયનો પરિચય નીલા (નલિની જયવંત) નામની યુવતી સાથે થાય છે. સટ્ટામાં ઘણાં પૈસા ગુમાવી ચૂકેલા નીલાના કાકા જયપ્રસાદ નીલાના લગ્ન નિઃસંતાન એવા બિહારીલાલ કરાવવાની યોજના બનાવે છે. નીલાને તેના કાકાની આ યોજના વિશે ખબર પડતા તે વિનયને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરે છે પણ, વિનય બિહારીલાલની મંજૂરી વિના કો...