Posts

Showing posts with the label Ranak Devi 1946

1946 ની એકમાત્ર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે ‘રાણક દેવી’

Image
આઝાદીના કાળમાં રિલીઝ થયેલી આ ફિલ્મથી જ નિરૂપા રૉયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આઝાદીના કાળમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી. આ અસર તાત્કાલિક નહોતી દેખાઈ પણ કેટલાક વર્ષો એવા રહ્યા હતા જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ. 1947 માં ભારત દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલા એટલે કે 1946 માં પણ એકમાત્ર ગુજરાતી રિલીઝ થઈ શકી હતી અને એ ફિલ્મ એટલે ‘રાણક દેવી’.  ‘રાણક દેવી’ આ ગુજરાતી સિનેમા જગતની પહેલી એવી ઐતિહાસિક નાટક કથા પર આધારિત ફિલ્મ હતી જેણે લોકોના મનમાં જગ્યા બનાવી અને આ ફિલ્મ પછી જ ગુજરાતી સિનેમા જગતમાં ઐતિહાસિક લોકકથાઓ ઉપર ફિલ્મ બનવાની મોટા પાયે શરૂઆત થઈ હતી. ‘રાણક દેવી’ નું ડિરેક્શન અને નિર્માણ વી.એમ. વ્યાસે કર્યું હતું. ‘રાણક દેવી’ ની દંતકથાને ફિલ્મના પ્રારૂપમાં ઢાળવા માટે વી.એમ. વ્યાસ સહિત મોહનલાલ દવેએ વાર્તા તૈયાર કરવાની જવાબદારી સંભાળી હતી જ્યારે કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા.  ‘રાણક દેવી’ ની દંતકથા પાટણના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા ખેંગારની આજુબાજુ ફરે છે જેમાં એક યુદ્ધ બાદ રાણક પાટણ ફરતી વખતે ભોગાવો નદીના કિનારે...