Posts

Showing posts with the label Motibai

સુપરહિટ નાટક ‘વડિલોના વાંકે’ ની ફિલ્મ ફ્લોપ

Image
  દેશી નાટક સમાજને ફરીથી પગભર કરનારી આ વાર્તાનો દાખલો આજે પણ આપવામાં આવે છે ૧૯૪૭-૪૮ ના ગાળામાં ગુજરાતી સિનેમા જગતમાં એક એવી ફિલ્મ આવે છે જેણે નાટકરૂપે ઘણી વાહવાહી મેળવી પણ ફિલ્મરૂપે તે નિષ્ફળ સાબિત થઈ. પ્રભુલાલ દ્વિવેદી લિખિત અને રામચંદ્ર ઠાકુર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ હતી ‘વડિલોના વાંકે’. જોકે ફિલ્મ કરતા નાટકની વાત વધારે રોચક છે કેમકે એણે દેવામાં ડૂબેલા દેશી નાટક સમાજને ફરીથી સદ્ધર થવામાં મદદ કરી. ફિલ્મ ‘વડિલોના વાંકે’ ની વાત કરીએ તો આ ફિલ્મમાં મોતીબાઈ, વસંત નાયક, પ્રતિમા દેવી, લતાબાઈ, રમેશ વ્યાસ, અનંત વિન, અમૃત, અંજના, નીલમ, ચુનીલાલ નાયક, માસ્ટર પ્રાણસુખ, બેબી સરોજ, વિજયા, કેશવ પુરોહિત, જયશંકર અને છગન રોમિયોનો અભિનય જોવા મળ્યો હતો. ૧૩૨ મિનિટની આ ફિલ્મમાં મોહન જુનિયર અને પ્રભુલાલ દ્વિવેદીએ સાથે મળીને ગીતો રચ્યા હતા. અને આ  ફિલ્મના તથા નાટકના ગીતો ખૂબ જ વખણાયા હતા અને આજે પણ વખણાય છે. ‘દિલ હોય અમીરી બિરાદર તો’ અને મોતીબાઈએ ગાયેલું ગીત ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’ આજે પણ ઈતિહાસ થઈ ગયેલા એ જૂના દિવસોને સજીવન કરવા સક્ષમ છે.  ‘વડિલોના વાંકે’ આ મેલોડ્રામેટિક ફિલ્મમાં ભારત...