Posts

Showing posts with the label Old Gujarat Films

શયદાની વાર્તા પરથી બની છે ‘કરિયાવર’

Image
1948 બાદ છેક 1977 માં આ જ વાર્તા નવલકથાના મૂળ શીર્ષક સાથે રિલીઝ થાય છે, જે હતું ‘વણઝારી વાવ’ ગુજરાતી ફિલ્મ જગતમાં કેટલીક એવી ફિલ્મો છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજ, સંસ્કૃતિ અને લોકવાર્તાઓને પડદા પર જીવંત બનાવી ગઈ છે. એવી જ એક નોંધપાત્ર ફિલ્મ છે ‘કરિયાવર’, જે વર્ષ ૧૯૪૮માં રજૂ થઈ હતી. ચતુર્ભુજ દોશીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે ગુજરાતી લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની ભાવનાને ઊંડાણથી સ્પર્શી હતી. સાગર મૂવીટોનના બેનર હેઠળ નિર્માતા ચીમનલાલ દેસાઈએ બનાવેલી આ ફિલ્મ શયદાની લોકપ્રિય વાર્તા ‘વણઝારી વાવ’ પર આધારિત હતી. ફિલ્મની વાર્તામાં પ્રેમ, વિશ્વાસ, ઈર્ષ્યા અને બલિદાન જેવા તત્વોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે તે દર્શકોના મનમાં આજે પણ જીવંત છે. ફિલ્મની કથા એક ગામથી શરૂ થાય છે, જ્યાં નવા મંદિરની સ્થાપનાને લઈને એક અદ્દભુત પડકાર મૂકવામાં આવે છે — ઝેરી નાગને ઘડામાંથી બહાર કાઢનારને વિશેષ સન્માન મળશે. ગામની નિર્ભય યુવતી રાજુ (દીના સંઘવી) આ પડકાર સ્વીકારી સફળ થાય છે. રાજુની હિંમતથી પ્રસન્ન થયેલા નાગદેવતા તેને વચન આપે છે કે જરૂર પડ્યે તે તેની મદદ માટે આવશે. આગળ કથામાં પ્રેમ અને સંઘર...

1946 ની એકમાત્ર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે ‘રાણક દેવી’

Image
આઝાદીના કાળમાં રિલીઝ થયેલી આ ફિલ્મથી જ નિરૂપા રૉયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આઝાદીના કાળમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી. આ અસર તાત્કાલિક નહોતી દેખાઈ પણ કેટલાક વર્ષો એવા રહ્યા હતા જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ. 1947 માં ભારત દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલા એટલે કે 1946 માં પણ એકમાત્ર ગુજરાતી રિલીઝ થઈ શકી હતી અને એ ફિલ્મ એટલે ‘રાણક દેવી’.  ‘રાણક દેવી’ આ ગુજરાતી સિનેમા જગતની પહેલી એવી ઐતિહાસિક નાટક કથા પર આધારિત ફિલ્મ હતી જેણે લોકોના મનમાં જગ્યા બનાવી અને આ ફિલ્મ પછી જ ગુજરાતી સિનેમા જગતમાં ઐતિહાસિક લોકકથાઓ ઉપર ફિલ્મ બનવાની મોટા પાયે શરૂઆત થઈ હતી. ‘રાણક દેવી’ નું ડિરેક્શન અને નિર્માણ વી.એમ. વ્યાસે કર્યું હતું. ‘રાણક દેવી’ ની દંતકથાને ફિલ્મના પ્રારૂપમાં ઢાળવા માટે વી.એમ. વ્યાસ સહિત મોહનલાલ દવેએ વાર્તા તૈયાર કરવાની જવાબદારી સંભાળી હતી જ્યારે કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા.  ‘રાણક દેવી’ ની દંતકથા પાટણના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા ખેંગારની આજુબાજુ ફરે છે જેમાં એક યુદ્ધ બાદ રાણક પાટણ ફરતી વખતે ભોગાવો નદીના કિનારે...