Posts

Showing posts with the label Arvind Pandya

ફિલ્મ એક પણ રજૂઆત ત્રણ

Image
'જોગીદાસ ખુમાણ' પર બનેલી ત્રણે ફિલ્મો પોતપોતાની વિવિધ ખાસિયતોને કારણે સફળત રહી  ગુજરાતી સિનેમા જગતમાં ઘણી ફિલ્મો એવી રહી છે જે અનેકવાર નિર્માણ પામી છે અને એમાંની એક ફિલ્મ એટલે 'જોગીદાસ ખુમાણ'. આ ફિલ્મ 1948 થી લઈને 1975 સુધી ત્રણ વાર બની ચૂકી છે અને ત્રણેય વાર આ ફિલ્મ સફળતાના શિખરો સર કરી શકી છે.  સૌથી પહેલા વર્ષ 1948 માં રૂપ છાયાના નેજા હેઠળ આ ફિલ્મ નિર્માણ પામી હતી જેનું દિગ્દર્શન મધુસુદન અને મનહર રસકપૂરે કર્યું હતું. ફિલ્મની મુખ્ય વાર્તા અને તેના સંવાદ કવિ જામન એટલે કે ગુજરાતી રંગભૂમિના અગ્રણી અને ક્રાંતિકારી નાટ્યકાર જમનાદાસ મોરારજી સંપટે લખ્યા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ, દલપત, વિમલ, ચાંપશીભાઈ નાગડા, રતીકુમાર વ્યાસ, ચીમનલાલ, સંજય, નર્મદાશંકર, બળવંત લોબાન, કુસુમ ઠક્કર, પ્રમિલા, ફૂલરાણી અને કુમુદ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો જ્યારે આજની તારીખના લોકપ્રિય સંગીતકાર લક્ષ્મીકાંતે આ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. 1948 ની આ ફિલ્મમાં ગીતો અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, પ્રહલાદ પારેખ તથા કૈલાશ પંડ્યાએ લખ્યા હતા જેમાં રતીકુમાર વ્યાસ, આમિરભાઈ કર્ણાટકી, ઇન્દુ ...

1973 ની સફળ ફિલ્મોમાંની એક ‘રાણક દેવી’

Image
રાણક દેવીની દંતકથા વિશ્વસનીયતા પર આજે પણ સવાલ ઊભા થઈ શકે એમ છે ઐતિહાસિક ઘટના પર આધારિત અને 1946 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાણક દેવી’ ની સફળતા બાદ આજ નામ પરથી છેક 1973માં વધુ એક ફિલ્મ બની અને આ ફિલ્મ પણ લોકહૃદય સુધી પહોંચવામાં સફળ રહી. ખાસ કરીને ફિલ્મના કલાકારો અને આ ફિલ્મ માટેની ટેકનોલોજીનો અહીં સારો એવો ઉપયોગ જોવા મળ્યો હતો. બાબુભાઈ મિસ્ત્રી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને 1973 માં રિલીઝ થયેલી ગુજરાતી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘રાણક દેવી’ માં રાણક દેવી તરીકેનું મુખ્ય પાત્ર તરલા મહેતાએ ભજવ્યું હતું જ્યારે તેમની સાથે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, દીના પાઠક, જયશ્રી ટી., જયશ્રી પરીખ, જયંત વ્યાસ અને બાળ કલાકાર સમીર યાજ્ઞિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  અંદાજે 138 મિનિટની આ ફિલ્મના સંવાદ રામજીભાઈ વાણીયાએ લખ્યા હતા જ્યારે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું બીડું જીતુભાઈ મહેતાએ ઉપાડ્યું હતું.  ચાંપશીભાઈ નાગડા નિર્મીત ફિલ્મ ‘રાણક દેવી’ ના મેકિંગની વાત કરીએ તો આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ચિત્રકલા મંદિર સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મના કેટલાક મહત્વના દ્રશ્યો અંબિકા મ...

એક ઐતિહાસિક ગુજરાતી ગીત અને અરવિંદ પંડ્યા વચ્ચે શું સંબંધ છે?

Image
આજની તારીખે કોઈપણ એવી ગુજરાતી મહેફિલ નહીં હોય જ્યાં એ ગીત ન ગવાતુ હોય કેમ કે વિલન પર ફિલ્માવાયેલું એ રોમેન્ટિક ગીત અજરાઅમર છે જે સમયે ભારત દેશ આઝાદીની ચળવળમાં વ્યસ્ત હતો એવા સમયે અરવિંદ પંડ્યાનો સિતારો ચમકવાનો શરૂ થયો હતો. 1946 અને 1947 માં પહેલા હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં ગાયક તથા અભિનેતા તરીકે તેમની કારકિર્દી શરૂ થઈ. 1946 માં હિન્દી ફિલ્મ ‘માનસરોવર’ અને 1947 માં ગુજરાતી ફિલ્મ ‘ભક્ત સૂરદાસ’ કર્યા બાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મો કરી.  અરવિંદ પંડ્યાના સંગીત સાથે જોડાયેલી એક વાત 1946 ની છે. આકાશવાણીમાં એ સમયે સંઘ ગાનનું એક ગ્રુપ બનાવવાનું કામ સંગીતકાર અજીત મર્ચન્ટને સોંપવામાં આવ્યું હતું. અજીત મર્ચન્ટ અને અરવિંદ પંડ્યા કોલેજકાળના મિત્રો હતા એટલે સ્વાભાવિક છે કે અજીતભાઈ અરવિંદભાઈના સંગીતથી પરિચિત હતા અને પ્રભાવિત પણ હતા. જ્યારે અજીતભાઈને ઓલ ઇન્ડિયા રેડિયોનું કામકાજ મળ્યું ત્યારે તેમણે અરવિંદભાઈને એ પ્રોજેક્ટમાં સામેલ કર્યા. અજીતભાઈની મદદથી અરવિંદભાઈને સ્વતંત્ર કડીઓ ગાવાની તક પણ મળતી. તેમના સંગીતથી ખુદ આકાશવાણી સંગીત વિભાગના અધિકારી દિનકર રાવ પણ પ્રભાવિત થ...