Posts

Showing posts with the label Jigar Ane Ami

ગુજરાતી ફિલ્મોનું વેલેન્ટાઇન બદલાઈ રહ્યું છે

Image
‘જીગર અને અમી’થી માંડી ‘21 મુ ટિફીન’ જેવી ફિલ્મોમાં પ્રેમની ભિન્ન ભિન્ન ભાષા જોવા અને માણવા મળી છે પ્રેમની ભાષા વ્યક્ત કરવાની દરેક સમાજ, દરેક વર્ગની એક અલગ ખાસિયત હોય છે અને સમય જતાં એમાં ફેરફાર પણ જોવા મળે છે. પહેલાની ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ, પ્રણય વ્યક્ત કરવાની એક રીત, અલગ પદ્ધતિનો વપરાશ કરવામાં આવતો હતો અને આજની તારીખમાં, એ જ પ્રેમની વ્યાખ્યા બદલાઈ ચૂકી છે. વેલેન્ટાઇનને એટલે કે પ્રેમના પર્યાયવાચીને વ્યક્ત કરવા માટે ફિલ્મમેકર્સ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ફિલ્મની વાર્તાને અનુરૂપ પ્રેમની વ્યાખ્યા નક્કી કરવામાં આવે છે, અને એને દર્શકો સામે મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મની વાર્તાની વાત કરીયે તો હીરોઇનને મેળામાં મળતો હીરો, હીરોઇનની નાતનો ન હોવાથી કે તેના ભાઈ-બાપ સાથે બે પેઢી જૂનો કટ્ટર મતભેદ હોવાથી પોતાના પ્રેમને હાંસલ કરવા માટે લડે છે, ખૂન-ખરાબા કરે છે. તો ક્યારેક પોતાના પ્રેમીથી પતિ બનેલા પ્રિયવરના જીવને બચાવવા પ્રેમીકા પોતે જાત-જાતના ઉપવાસ, જાત-જાતના વ્રત કરે છે અને સમાજ તથા પરિવાર સામે બાથ ભીડે છે.  મધુરજની (આ શબ્દ આજની પેઢીએ ભાગ્યે જ સાંભળ્યો હશે – એટલે કે...

સંજીવ કુમારની છેલ્લી ગુજરાતી ફિલ્મ રહી ‘મારે જાવું પેલે પાર’

Image
આ ફિલ્મ બાદ હરિભાઈ એકપણ ગુજરાતી ફિલ્મ ન કરી શક્યા પણ તેમની આ સફળ ફિલ્મો સિવાય ગુજરાતી ફિલ્મનો ઈતિહાસ જરૂરથી અધૂરો કહેવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ‘શૈતાન’ (2024) ફિલ્મ રિલીઝ થઈ હતી જે 2023 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની ઓફિશ્યલ રિમેક હતી. આ બંને ફિલ્મમાં વાર્તા ઉપરાંત જાનકી બોડીવાલા કોમન હતી. જાનકીએ પોતે ‘વશ’ માં જે પાત્ર ભજવ્યું હતું એ જ પાત્ર તેણે ‘શૈતાન’ માં પણ ભજવ્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો કે એક જ કલાકારે પોતાનું એકને એક પાત્ર ઓરિજીલ અને રિમેક એમ બંને ફિલ્મોમાં ભજવ્યું હોય એવા કિસ્સા આપણે ત્યાં ગણ્યાગાઠ્યા જોવા મળતા હોય છે. જોકે સંજીવ કુમાર પણ એવા જ કલાકારોમાંના એક છે જેમણે એક જ વાર્તાની ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં વિસ્મૃતિ દોષવાળી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને બંને ફિલ્મોએ સફળતાના તમામ શિખરો સર કર્યા હતા. બોલીવુડની એ ફિલ્મ એટલે 1970 માં આવેલી ફિલ્મ ‘ખિલૌના’ અને 1978 માં આવેલી આ જ ફિલ્મની ગુજરાતી રિમેક ‘મારે જાવું પેલે પાર’, જે હરિભાઈની છેલ્લી ગુજરાતી ફિલ્મ બની રહી. ‘મારે જાવું પેલે પાર’ ની વાત શરૂ કરતા પહેલા એ જાણી લઈએ આ ફિલ્મની વાર્તાનો દબદબો વાસ્તવમાં કેટ...

‘જીગર અને અમી’ એટલે વાર્તા અને ગીત-સંગીતની સુપરહિટ જુગલબંદી

Image
લાગણીઓના દરિયામાં તરબતોડ કરી દેતી આ ફિલ્મે ઢોલીવુડમાં સંજીવ કુમારની ફેન ફોલોઇંગ વધારી દીધી અને ચાર વર્ષનો વનવાસ જાણે ક્ષણભરમાં ભૂલાવી દીધો મનહર રસકપૂરની 1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી અભિનેતા તરીકે સંજીવ કુમારની છાપ વધારે વખણાવા લાગી હતી. તેમ છતાં તેમની બીજી ગુજરાતી ફિલ્મ જોવા ચાહકોએ ચાર વર્ષનો ઇંતેજાર કરવો પડ્યો હતો. સંજીવ કુમારની આ બીજી ગુજરાતી ફિલ્મની વાત કરતાં પહેલા એ જાણી લઈએ 1966થી 1970 સુધી તેમની કઈ કઈ ફિલ્મોએ રિલીઝ થઈ.    1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ એ જ વર્ષે સંજીવ કુમારની ‘હુસ્ન ઔર ઈશ્ક’ અને ‘બાદલ’ એમ બે હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. 1967માં ‘આયેગા આનેવાલા’, ‘નૌનિહાલ’, ‘ગુનેહગાર’, અને ‘છોટી સી મુલાકાત’ એમ ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી જ્યારે 1968માં ‘સંઘર્ષ’, ‘શિખર’, ‘રાજા ઔર રંક’, ‘અનોખી રાત’, ‘આશીર્વાદ’ સહિત કુલ 10 ફિલ્મો તેમણે આપી હતી. 1969નું વર્ષ સંજીવ કુમાર માટે વધારે સફળ રહ્યું કેમ કે એ વર્ષે તેમણે ‘બંધન’, ‘ઉસ રાત કે બાદ’, ‘સચ્ચાઈ’, ‘જીને કી રાહ’, ‘ધરતી કહે પુકાર કે’, ‘ચંદા ઔર બિજલી’ જેવી 11 ફિલ્મો કરી જેમાંની બે-એક ફિલ્મોમાં તેમણે મહે...