Posts

Showing posts with the label Sheth Sagadsha

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

Image
જૂનાગઢથી વિસાવદર જતા બીલખા ગામે આજે પણ ચેલૈયાનો ખાંડણીયો જોવા લોકો આવી પહોંચે છે ગુજરાતી સિને જગત માટે 1960થી 1980 નો ગાળો ગોલ્ડન પિરીયડ હતો. આ સમયમાં અનેક સુપરહિટ ફિલ્મો આવી જેમાંની એક 1975 ના ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ અને વિવાદોમાં સપડાઈ પણ. આ ફિલ્મ એટલે ‘શેઠ સગાળશા’. ગુજરાતી ફિલ્મોમાં શ્રીકૃષ્ણનો રોલ કરવા માટે અતિફેમસ એવા શ્રીકાંત સોની શેઠ સગાળશાના રોલમાં અને તેમની ધર્મપત્ની ચંગાવતીના પાત્રમાં આપણને સ્નેહલતા જોવા મળે છે. આ બંને દિગ્ગજ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નારણ રાજગોર, અભય શાહ, લીલાબેન શાહ, પી. ખસરાણી, રમેશ મહેતા, મંજરી દેસાઈ અને ચેલૈયાના રોલમાં બાળ કલાકાર સમીર યાજ્ઞિક અભિનય કરતાં જોવા મળે છે.  કર્ણના અવતારસમાં શેઠ સગાળશાની લોકવાર્તા આમ તો જગજાહેર છે જે પૃથ્વીલોક પર આવી અન્નદાનની નેમ સ્વીકારે છે. બીલખાને પોતાની કર્મભૂમિ બનાવનારા આ શેઠ-શેઠાણી અન્નદાન કરી લોકચાહના તો મેળવે છે પણ નિઃસંતાન હોવાને લીધે તેમની દુનિયા ઉજ્જળ વિરાન છે. સંતાનની પ્રાપ્તિ માટે શેઠ-શેઠાણી સદાવ્રતનું આચરણ કરે છે. સમય જતા તેમના ઘેર દીકરો અવતરે છે, નામ રખાય છે ચેલૈયો. દીકરો પણ મા-બાપ જેવો જ ગુણી અને જ્ઞાની....