સમયસર વળતર માટે કલાકાર-કસબીઓનો સંઘર્ષ યથાવત્
આર્ટ ડિરેક્ટર કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવૂડમાં કલાકાર-કસબીઓને સમયસર વળતર ન મળી રહ્યું હોવાની ચર્ચા ફરી જાગી વાદવિવાદ સાથે ચર્ચા વિચારણા એ દરેક ઇન્ડસ્ટ્રીનો એક ભાગ હોય છે. હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક ચર્ચા વિચારણાઓનો દૌર ચાલી રહ્યો છે, જેણે ફિલ્મના અનેક સ્ટેક હોલ્ડર્સને અનેક વિષયો પર વિચારવા માટે મજબૂર કરી દીધા છે. ગુજરાતી ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવુડમાં કાલકારો અને ટેક્નિશ્યનોને તેમનું યોગ્ય વળતર સમયસર મળી રહે એવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો પણ તેમને સપોર્ટ આપી રહ્યા છે. વાસ્તવમાં કુંજ ઠક્કરના નિધન પહેલા તેઓ શારીરિક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્ય સામે પણ સંઘર્ષ કરી રહ્યા હોવાની વાત સામે આવી હતી અને ખાસ તો તેમની મહેનતના પૈસા સમયસર ન મળ્યા હોવાનું સામે આવ્યું હતું જેના લીધે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા કલાકાર કસબીઓને સમયસર મહેનતાણું ન મળી રહ્યા હોવાની ચર્ચા ફરી એકવાર જાગી હતી. કુંજ ‘પાતકી’, ‘શસ્ત્ર’, ‘ડ્રામેબાજ’, ‘તીખી મીઠી લાઇફ’ જેવી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. કુંજના સમ...