Posts

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

Image
જૂનાગઢથી વિસાવદર જતા બીલખા ગામે આજે પણ ચેલૈયાનો ખાંડણીયો જોવા લોકો આવી પહોંચે છે ગુજરાતી સિને જગત માટે 1960થી 1980 નો ગાળો ગોલ્ડન પિરીયડ હતો. આ સમયમાં અનેક સુપરહિટ ફિલ્મો આવી જેમાંની એક 1975 ના ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ અને વિવાદોમાં સપડાઈ પણ. આ ફિલ્મ એટલે ‘શેઠ સગાળશા’. ગુજરાતી ફિલ્મોમાં શ્રીકૃષ્ણનો રોલ કરવા માટે અતિફેમસ એવા શ્રીકાંત સોની શેઠ સગાળશાના રોલમાં અને તેમની ધર્મપત્ની ચંગાવતીના પાત્રમાં આપણને સ્નેહલતા જોવા મળે છે. આ બંને દિગ્ગજ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નારણ રાજગોર, અભય શાહ, લીલાબેન શાહ, પી. ખસરાણી, રમેશ મહેતા, મંજરી દેસાઈ અને ચેલૈયાના રોલમાં બાળ કલાકાર સમીર યાજ્ઞિક અભિનય કરતાં જોવા મળે છે.  કર્ણના અવતારસમાં શેઠ સગાળશાની લોકવાર્તા આમ તો જગજાહેર છે જે પૃથ્વીલોક પર આવી અન્નદાનની નેમ સ્વીકારે છે. બીલખાને પોતાની કર્મભૂમિ બનાવનારા આ શેઠ-શેઠાણી અન્નદાન કરી લોકચાહના તો મેળવે છે પણ નિઃસંતાન હોવાને લીધે તેમની દુનિયા ઉજ્જળ વિરાન છે. સંતાનની પ્રાપ્તિ માટે શેઠ-શેઠાણી સદાવ્રતનું આચરણ કરે છે. સમય જતા તેમના ઘેર દીકરો અવતરે છે, નામ રખાય છે ચેલૈયો. દીકરો પણ મા-બાપ જેવો જ ગુણી અને જ્ઞાની....

ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી

Image
ઇન્ડસ્ટ્રીમાં બનશે નવી ફિલ્મો, સર્જાશે રોજગાર અને દર્શકો માટે અનલિમીટેડ એન્ટરટેઇનમેન્ટની ગેરંટી  જે પુષ્પમાં સુગંધ વધારે હોય ત્યાં ભમરાઓને આવતા વાર ન લાગે અને આવું જ કાંઈક હવે ઢોલીવુડ સાથે થઈ રહ્યું છે. ગયા વર્ષે 'લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે' ફિલ્મને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ ઘણા નવા પ્રોડ્યુસર્સ ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે અને નવા નવા પ્રોજેક્ટોની જાહેરાત કરી રહ્યાં છે, જે ગુજરાતી સિનેમા જગત માટે એક સારી ઘટના કહી શકાય એમ છે. સૌથી પહેલા વાત કરીએ તો ગયા વર્ષે એઇજેઇ - ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક ભવ્ય શોનું આયોજન કરીને અંદાજે 27 ગુજરાતી ફિલ્મો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આમાંની કેટલીક ફિલ્મોના નામ કાસ્ટ સહિત જાહેર કરાયા હતા. આ 27 ફિલ્મોમાં 'ધમપછાડા', 'અંતરાલ', 'અબ્બા ડબ્બા જબ્બા' જેવી ફિલ્મોના નામ સામેલ હતા જેમાં આકાશ ઝાલા, શેખર શુક્લ, સ્મિત પંડ્યા, ચેતન દૈયા, હેમાંગ દવે જવા કલાકારોના નામ ઉમેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે દરેક ફિલ્મ અંદાજે એક કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે અને આ 27 ફિલ્મો આવતા ત્રણ વર્ષમાં રિલીઝ કરવામાં આવશે જેમ...

‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ને સાર્થક કરે છે ફિલ્મ ‘ક ખ ગ ઘ’

Image
બાળ વિવાહ અને બાળકીઓના ભણતરને કેન્દ્રસ્થાને રાખીને આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વ મહિલા દિવસની ઉજવણીને હજુ વાર છે પણ ઢોલીવુડે કદાચ આ ઉજવણી ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરી લાગે છે. ગયા અઠવાડિયે, આ અઠવાડિયે અને હજુ આવતા અઠવાડિયે જે ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે એ મહિલા કેન્દ્રિત સામાજિક મુદ્દા ઉપર બની છે. ગયા અઠવાડિયે લવ જેહાદના સામાજિક મુદ્દા પર બનેલી 'બેહદ્' નામની ફિલ્મ રિલીઝ થઈ હતી તો આજે બાળવિવાહ અને બાળ શિક્ષણ પર આધારિત ફિલ્મ 'ક ખ ગ ઘ' રિલીઝ થઈ છે.  રાજભા ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ 'ક ખ ગ ઘ' ના નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા) છે અને ફિલ્મનું દિગ્દર્શન અખિલ કોટકે કર્યું છે. નિર્માતા તરીકે રાજભાની આ પહેલી ફિલ્મ છે. હિતુ કનોડિયાના પત્ની અને જાણીતા અભિનેત્રી મોના થીબા કનોડિયા ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે જોવા મળે છે જ્યારે તેમની સાથે શૌનક વ્યાસ, દીપા ત્રિવેદી, ભાવિની જાની, જીતેન્દ્ર ઠક્કર, તન્વી પંડ્યા (બાળ કલાકાર), અરવિંદ વેગડા અભિનય કરતા જોવા મળશે જ્યારે હિતુ કનોડિયા પણ મહત્વપૂર્ણ કેમિયો કરતા આ ફિલ્મમાં નજરે પડશે.  ફિલ્મનું નામ 'ક ખ ગ ઘ...

લવ જેહાદની વાત કરશે ‘બેહદ્’

Image
ઢોલીવુડની આ પહેલી એવી ફિલ્મ છે જે લવ જેહાદના મુદ્દાને મોટા પડદે રજૂ કરે છે. સામાજિક મુદ્દા પર ઢોલીવુડમાં ઘણી ફિલ્મ બની છે પણ જે ગુજરાતી ફિલ્મ આજે રિલીઝ થઈ છે એ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. રાજુ ગાંધી પ્રોડક્શન હેઠળ લવ જેહાદ જેવા અતિસંવેદનશીલ વિષય પર 'બેહદ્' નામની ફિલ્મ આજે રિલીઝ થઈ છે.  અંકુશ ભટ્ટ દ્વારા દિગ્દર્શક અને ચેતન ગાંધી દ્વારા નિર્મિત ફિલ્મ 'બેહદ્' માં દાનેશ ગાંધી અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેમની સાથે સંજય ગોરડીયા , નિમેશ દિલીપરાય , ભૂમિકા પટેલ , ધ્રુવી સોની, ભાવેશ ખત્રી, પ્રિયંકા પટેલ અને હિતુ કનોડિયા અભિનય કરતા જોવા મળશે. ફિલ્મની કથા અને પટકથા આલાપ ત્રિપાઠી લખી છે જ્યારે વધારાના સંવાદ રાજુ પટેલ અને વૈશાખ રાઠોડે લખ્યા છે.  સંગીતની વાત કરીએ તો ફિલ્મ 'બેહદ્' નું સંગીત અવધેશ બાબરીયા અને ઋત્વિજ પંડ્યાએ આપ્યું છે જ્યારે ગીતો દિલીપ રાવલ તથા મયુર લાલચરે લખ્યા છે. ગાયક કલાકારોમાં આપણને પિતા પુત્રની જોડી એટલે કે પાર્થ ઓઝા અને સંજય ઓઝાનો સ્વર ઉપરાંત યશ દેસાઈનો સ્વર સાંભળવા મળશે.  ફિલ્મની વાત કરીએ તો ગયા વર્ષે 'સરપ્રાઈઝ' જેવી ફિલ્મ ક...

‘લગન લાગી રે’ આજથી સિનેમાઘરોમાં

Image
મલ્હાર-આરોહીની જોડી ત્રણ વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરી ગયા વર્ષે એવી ઘણી ફિલ્મો હતી જે રિલીઝ થવાની હતી પણ કોઈકના કોઈક કારણોસર એ રિલીઝ થઈ શકી ન હતી અને હવે એ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ‘લગન લાગી રે’ પણ એમાંની જ એક ફિલ્મ છે જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે.  ‘લગન લાગી રે’  ફિલ્મ દ્વારા મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશીની જોડી ફરીપાછી રૂપેરી પડદે જોવા મળશે. આ પહેલા તેઓ 2022 માં આવેલી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ માં એકસાથે દેખાયા હતા. ‘ઓમ મંગલમ સિંગલમ’ બાદ ત્રણેય એક્ટરોની અલગ અલગ સ્વતંત્ર ફિલ્મો રિલીઝ થઈ હતી અને દર્શકોને ગમી હતી પણ ‘લગન લાગી રે’ થકી મલ્હાર-આરોહીની જોડીને મોટા પડદા પર જોવા ગુજરાતી પ્રજા ઘણી આતુર હતી. 2025 ના છેલ્લા મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે એવી સંભાવના જોવા મળી હતી પણ એ સમયે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હોવાને લીધે તથા ‘લાલો’ ની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ મોકૂફ કરવામાં આવી હતી. મલ્હાર, આરોહી અને તત્સત ઉપરાંત ફિલ્મમાં વેદિકા કૌલ વ્યાસ, આરતી પટેલ, રાગી જાની, હેમાંગ દવે, નિસર્ગ ત્રિવેદી અને મનીષા ત્રિવેદી પણ જોવા મળશે. ‘લગન લાગી રે’ ની વાત કરી...

‘રાજા ભરથરી’ પર કેટલી ફિલ્મો બની છે, ખબર છે?

Image
સંત બનેલા રાજવી પર 1922-1973 સુધીમાં છ થી પણ વધારે ફિલ્મો બની છે જેનો અણસાર પણ આજની પેઢીને નહીં હોય ફિલ્મજગતમાં જ્યારે કોઈ લોકવાર્તા પરથી ફિલ્મ બનાવવામાં આવતી હોય છે ત્યારે એક ફિલ્મમેકર એને પોતાના અલગ દ્રષ્ટિકોણથી બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. અલગ અલગ ફિલ્મમેકરો દ્વારા કરાતા આ પ્રયાસને લીધે આપણને એકને એક વાર્તા અલગ અલગ અભિનેતાઓ દ્વારા વિવિધરૂપે જોવા મળે છે. ‘રાજા ભરથરી’ પણ એવી જ એક કથા છે જેના પરથી અનેક વાર અનેક ભાષામાં ફિલ્મો બનાવવામાં આવી.  મહાત્મા ગાંધી હોય, નરસિંહ મહેતા હોય, કે પછી કોઈ રાજા-મહારાજા હોય કે પછી ઈતિહાસની કોઈ ઘટના કે પ્રસંગ હોય ફિલ્મમેકર્સ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં વધારે રસ દાખવતા હોય છે. રાજા ભરથરીની લોકકથા ન માત્ર રાજસ્થાન કે ગુજરાત પણ પશ્ચિમ બંગાળથી લઈને હરિયાણા અને ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતમાં પણ ફેલાયેલી છે.  ગુજરાતી ભાષામાં 1973 માં ‘રાજા ભરથરી’ ફિલ્મ બની એ પહેલા અંદાજે છ વાર આ જ વિષય પર ફિલ્મ બની ચૂકી હતી. શરૂઆતથી શરૂ કરીયે તો સૌથી પહેલો પ્રયાસ મૂક ફિલ્મોના સમયે જ કરી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ 1922 માં શ્રીનાથ પાટણકર નામના ડિરેક...

‘રાજા ભરથરી’ ની લોકપ્રિયતા આજે પણ યથાવત્

Image
1973 ની આ ફિલ્મ દમદાર ગીત-સંગીત અને ધારદાર સંવાદોથી ભરેલી હતી 1970-75 ના સમયમાં અનેક એવી ગુજરાતી ફિલ્મો બની જે લોકકથા પર આધારિત હતી. ‘જેસલ તોરલ’ (1971), ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ (1972), ‘હોથલ પદમણી’ (1974), ‘તાના રીરી’ (1975) જેવી અનેક ફિલ્મો આ ગાળામાં રિલીઝ થઈ. આ જ સમયમાં 1973માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, જય શ્રી ટી જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘રાજા ભરથરી’ પણ રિલીઝ થઈ હતી.  ડિરેક્ટર રવિન્દ્ર દવે દ્વારા બનવવામાં આવેલી આ ફિલ્મ ‘રાજા ભરથરી’ માં અવિનાશ વ્યાસનું સંગીત હતું. ગાયક કલાકારોમાં સુમન કલ્યાણપૂર, આશા ભોસલે, ઉષા મંગેશકર, સુલોચના વ્યાસ અને મહેન્દ્ર કપૂરે સ્વર આપ્યો હતો. ફિલ્મની કથા અને સંવાદ રમેશ મહેતાએ લખ્યા હતા. ધારદાર સંવાદ અને સંગીતને લીધે ફિલ્મની સફળતા સોળે કળાએ ખીલી હતી. વળી સ્ટારકાસ્ટમાં એ સમયની સૌથી લોકપ્રિય ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી આકર્ષણનું કેન્દ્ર હતી. ત્રિવેદી બંધુઓએ પણ ‘જેસલ તોરલ’ (1971) ની જેમ ફરી એકવાર એકસાથે મોટા પડદે જોવા મળ્યા હતા.  ઉજ્જૈનના રાજા ગંધર્વસેનાના મોટા પુત્ર, રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ અને રૂપન...