Posts

શયદાની વાર્તા પરથી બની છે ‘કરિયાવર’

Image
1948 બાદ છેક 1977 માં આ જ વાર્તા નવલકથાના મૂળ શીર્ષક સાથે રિલીઝ થાય છે, જે હતું ‘વણઝારી વાવ’ ગુજરાતી ફિલ્મ જગતમાં કેટલીક એવી ફિલ્મો છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજ, સંસ્કૃતિ અને લોકવાર્તાઓને પડદા પર જીવંત બનાવી ગઈ છે. એવી જ એક નોંધપાત્ર ફિલ્મ છે ‘કરિયાવર’, જે વર્ષ ૧૯૪૮માં રજૂ થઈ હતી. ચતુર્ભુજ દોશીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે ગુજરાતી લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની ભાવનાને ઊંડાણથી સ્પર્શી હતી. સાગર મૂવીટોનના બેનર હેઠળ નિર્માતા ચીમનલાલ દેસાઈએ બનાવેલી આ ફિલ્મ શયદાની લોકપ્રિય વાર્તા ‘વણઝારી વાવ’ પર આધારિત હતી. ફિલ્મની વાર્તામાં પ્રેમ, વિશ્વાસ, ઈર્ષ્યા અને બલિદાન જેવા તત્વોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે તે દર્શકોના મનમાં આજે પણ જીવંત છે. ફિલ્મની કથા એક ગામથી શરૂ થાય છે, જ્યાં નવા મંદિરની સ્થાપનાને લઈને એક અદ્દભુત પડકાર મૂકવામાં આવે છે — ઝેરી નાગને ઘડામાંથી બહાર કાઢનારને વિશેષ સન્માન મળશે. ગામની નિર્ભય યુવતી રાજુ (દીના સંઘવી) આ પડકાર સ્વીકારી સફળ થાય છે. રાજુની હિંમતથી પ્રસન્ન થયેલા નાગદેવતા તેને વચન આપે છે કે જરૂર પડ્યે તે તેની મદદ માટે આવશે. આગળ કથામાં પ્રેમ અને સંઘર...

પાંચમા મહિને પાંચ ફિલ્મોનો પંચ

Image
 અલગ અલગ જોનરની આ પાંચેય ફિલ્મો એકમેકથી ચડિયાતી હોવાને લીધે તેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની થઈ શકે છે સ્પર્ધા  છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે અટકી ગઈ હતી. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ઘણી નાની ફિલ્મો આવીને જતી રહી જેની કોઈને જાણ પણ નહોતી. પણ હવે મે મહિનાના પાંચેય અઠવાડિયામાં અલગ અલગ જોનરની પાંચ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની સ્પર્ધા સર્જાઈ શકે છે.  24 એપ્રિલે રાજા સંજય ચોકસી દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘બેહરૂપિયો’ રિલીઝ થઈ હતી જેને શરૂઆતના એક અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર પોતાની પકડ બનાવવા ખાસી એવી મહેનત કરવી પડી હતી. પણ મે મહિનાની શરૂઆત નૅશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ ના ડિરેક્ટર અભિષેક શાહની ફિલ્મથી થવા જઈ રહી છે જેનું ટાઈટલ છે ‘ધબકારો’. આ ફિલ્મમાં દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ વાર્તા એક એવા વ્યક્તિની આજુબાજુ ફરે છે જેને જીવનના છેલ્લા તબક્કે આવતા પોતાની ભૂલો સમજાય છે અને તેને આ તબક્કે એવી વ્યક્તિઓ મળે છે જેવો એક સમયે તેનો પોતાનો સ્વભાવ હતો. આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાને દીકરા જુનૈદ ખાન સાથ...

1973 ની સફળ ફિલ્મોમાંની એક ‘રાણક દેવી’

Image
રાણક દેવીની દંતકથા વિશ્વસનીયતા પર આજે પણ સવાલ ઊભા થઈ શકે એમ છે ઐતિહાસિક ઘટના પર આધારિત અને 1946 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાણક દેવી’ ની સફળતા બાદ આજ નામ પરથી છેક 1973માં વધુ એક ફિલ્મ બની અને આ ફિલ્મ પણ લોકહૃદય સુધી પહોંચવામાં સફળ રહી. ખાસ કરીને ફિલ્મના કલાકારો અને આ ફિલ્મ માટેની ટેકનોલોજીનો અહીં સારો એવો ઉપયોગ જોવા મળ્યો હતો. બાબુભાઈ મિસ્ત્રી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને 1973 માં રિલીઝ થયેલી ગુજરાતી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘રાણક દેવી’ માં રાણક દેવી તરીકેનું મુખ્ય પાત્ર તરલા મહેતાએ ભજવ્યું હતું જ્યારે તેમની સાથે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, દીના પાઠક, જયશ્રી ટી., જયશ્રી પરીખ, જયંત વ્યાસ અને બાળ કલાકાર સમીર યાજ્ઞિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  અંદાજે 138 મિનિટની આ ફિલ્મના સંવાદ રામજીભાઈ વાણીયાએ લખ્યા હતા જ્યારે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું બીડું જીતુભાઈ મહેતાએ ઉપાડ્યું હતું.  ચાંપશીભાઈ નાગડા નિર્મીત ફિલ્મ ‘રાણક દેવી’ ના મેકિંગની વાત કરીએ તો આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ચિત્રકલા મંદિર સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મના કેટલાક મહત્વના દ્રશ્યો અંબિકા મ...

ઢોલીવૂડ માટે ‘આશા’ હંમેશા અમર રહેશે

Image
માતા ગુજરાતી હોવાને લીધે આ ભાષા પરની તેમની પકડ પહેલીથી જ મજબૂત રહી છે આશા ભોંસલના નિધનથી એક યાદગાર યુગનો અંત થયો પણ તેમના ગીતો ગુજરાતી પ્રજાના દિલ-ઓ-દિમાગમાં હંમેશા અમર રહેશે. તેમના ગુજરાતી ગીતો આજે પણ એટલા લોકપ્રિય છે કે એ સાંભળતા મન મહેકી ઉઠે. તેમનાં ગીતોમાં ફક્ત સંગીતનો જાદુ જ નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિ અને સંબંધોની ભાવના જોડાયેલી છે. આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે. 1976માં રજૂઆત પામેલી તેમની ગાયકી ધરાવતી કુલ એકવીસ ફિલ્મોમાં તેમણે આટલાં ગીતો ગાયેલાં. આશા ભોંસલેનો ગુજરાતી સિનેમા અને સંગીત જગત સાથેનો સંબંધ ગડથૂથીથી જોડાયેલો છે કેમ કે તેમની માતા સેવંતી (પછીથી બદલાયેલું નામ સુધામતી) એક ગુજરાતી સ્ત્રી હતા. પરિવારમાં સંગીતનો માહોલ નાનપણથી મળ્યો હોવાને લીધે શબ્દો પરની પકડ મજબૂત થવાની શરૂઆત થઈ ચૂકી હતી. પોતાની મા, નાની–મામા પાસેથી લોકગીતો અને હાલરડાં સાંભળીને તેમણે ગુજરાતી માટે એ...

1946 ની એકમાત્ર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે ‘રાણક દેવી’

Image
આઝાદીના કાળમાં રિલીઝ થયેલી આ ફિલ્મથી જ નિરૂપા રૉયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આઝાદીના કાળમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી. આ અસર તાત્કાલિક નહોતી દેખાઈ પણ કેટલાક વર્ષો એવા રહ્યા હતા જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ. 1947 માં ભારત દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલા એટલે કે 1946 માં પણ એકમાત્ર ગુજરાતી રિલીઝ થઈ શકી હતી અને એ ફિલ્મ એટલે ‘રાણક દેવી’.  ‘રાણક દેવી’ આ ગુજરાતી સિનેમા જગતની પહેલી એવી ઐતિહાસિક નાટક કથા પર આધારિત ફિલ્મ હતી જેણે લોકોના મનમાં જગ્યા બનાવી અને આ ફિલ્મ પછી જ ગુજરાતી સિનેમા જગતમાં ઐતિહાસિક લોકકથાઓ ઉપર ફિલ્મ બનવાની મોટા પાયે શરૂઆત થઈ હતી. ‘રાણક દેવી’ નું ડિરેક્શન અને નિર્માણ વી.એમ. વ્યાસે કર્યું હતું. ‘રાણક દેવી’ ની દંતકથાને ફિલ્મના પ્રારૂપમાં ઢાળવા માટે વી.એમ. વ્યાસ સહિત મોહનલાલ દવેએ વાર્તા તૈયાર કરવાની જવાબદારી સંભાળી હતી જ્યારે કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા.  ‘રાણક દેવી’ ની દંતકથા પાટણના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા ખેંગારની આજુબાજુ ફરે છે જેમાં એક યુદ્ધ બાદ રાણક પાટણ ફરતી વખતે ભોગાવો નદીના કિનારે...

ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ ‘બે ખરાબ જણ’

Image
શોભના સમર્થ અને મોતીલાલની એકસાથે આ પહેલી ફિલ્મ હતી જેના થકી તેમની યાદગાર જોડીના પાયા નખાયા  ગુજરાતી ફિલ્મ જગતના શરૂઆતના દિવસોમાં મોટાભાગની જે ફિલ્મ બનતી એ આધ્યાત્મિક અથવા તો સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હતી. તેમ છતાં ૧૯૩૬માં એક એવી ફિલ્મ આવી જેનો વિષય થોડો હટકે હતો. એક નાટક પર આધારિત આ ફિલ્મનું નામ હતું ‘બે ખરાબ જણ’, જે બની ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ.  દેશના રાજકારણ અને ગુજરાતી સાહિત્યમાં પાયાની ભૂમિકા ભજવનારા કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લખાયેલા નાટક ‘બે ખરાબ જણ’ પરથી આ ફિલ્મ ગુજરાતી ભાષામાં ‘બે ખરાબ જણ’ નામે બનાવવામાં આવી અને હિન્દીમાં આ ફિલ્મ ‘દો દીવાને’ ના શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. આ અગાઉના લેખમાં આપણે વાત કરી હતી કે એ બનવાની શરૂઆત થઈ એ સમયમાં મોટાભાગના ફિલ્મ મેકર ગુજરાતી અને હિન્દી ભાષામાં અલગ અલગ શીર્ષક સાથે ફિલ્મ રિલીઝ કરતાં જેથી કરીને બંને પ્રજાને આકર્ષી શકાય, અને આ ફિલ્મ પણ એ જ સ્ટ્રેટેજીનો એક ભાગ હતી. ફિલ્મ ‘બે ખરાબ જણ’ ની વાર્તા આજની તારીખમાં પણ વાસ્તવિક ઘટના હોય એવી દેખાય આવે છે, કારણ કે આ ફિલ્મની વાર્તા જનરેશન ગેપની વાત કરે છે. મોત...

ઢોલીવૂડના પાયામાં વસેલી છે જૂની રંગભૂમિ

Image
જૂની રંગભૂમિ આજે ઈતિહાસ બની ગઈ છે પણ કેટલીક ફિલ્મોએ એ વારસાને જાળવવાનું કામ કરી બતાવ્યું છે વિશ્વ રંગભૂમિ દિવસ હોવાને લીધે આજનો દિવસ રંગકર્મીઓ દિવસ ખાસ હોવાનો જ છે પણ ન માત્ર આ રંગકર્મીઓ પણ સિનેમા, સિરીયલ્સ, વેબ સિરીઝ જેવા જે પણ એન્ટરટેઇમેન્ટના પ્રકાર છે એના પાયામાં ક્યાંકને ક્યાંક જૂની રંગભૂમિ રહેલી જ છે. ગુજરાતી સિનેમાજગત આજે નવી વાર્તા, નવા વિષયો સાથે દર્શકો સામે આવી રહ્યું છે અને એમાંથી ઘણાંય એવા આજના યુવા ગુજરાતી કલાકારો છે જે રંગમંચ સાથે સંકળાયેલા છે, પણ ગુજરાતી રંગભૂમિ અને ઢોલીવૂડનો સંબંધ વર્ષો જૂનો છે. વર્ષ 1932 માં પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ એ પહેલા રંગભૂમિનો ગોલ્ડન પિરીયડ ચાલી રહ્યો હતો. મુંબઈમાં દેશી નાટક સમાજ,પારસી નાટક સમાજ, નાટક ઉત્તેજક મંડળી, ભાંગવાડીના નામનો સિક્કો પડતો. માસ્ટર અશરફ ખાન, છગન રોમિયો, કાઠિયાવાડી કૂબતર, મોતીબાઈ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, ભગવાનદાસ જેવા અનેક રંગકર્મી, ગીતકાર, સંગીતકાર તરીકે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા. એ સમયની વાર્તા, ગીતો એવા તે ફેમસ થતાં અનેકોવાર વન્સમોરની ચિચયારીથી રાતો પસાર થતી અને પો ફાટી નીકળતો.  જોકે સમય જતા કેટલાક...