Posts

Showing posts with the label Ratna Pathak Shah

પારકાઓને પણ પોતાના કરી જાણે એ દીના પાઠક

Image
એક સમયે જે ફિલ્મોને નકારતા હતા તેમને જ એક સમયે નાણાકીય સંઘર્ષ સામે ટકી રહેવા ફિલ્મો સ્વીકારવી પડી બ્રિટીશ કાળમાં અંગ્રેજો સામે ભવાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓમાં દીના પાઠક પણ એક હતા અને એ માટે તેમને એક નહીં પણ ત્રણવાર જેલવાસો ભોગવ્યો હતો. 1947 માં દેશ આઝાદ થયો ત્યારબાદ 1949 માં સરકારે કેટલાક ડાબેરીઓની ધરપકડ કરી હતી જેમાં દીના પાઠક પણ સામેલ હતા અને ત્યારે તેમણે નવ માસ કારાવાસ ભોગવ્યો હતો. નાટ્યજીવ હોવાને લીધે આ જેલવાસો ભોગવ્યા બાદ 1949 માં જ તેમણે ફરીથી પોતાની નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. 1949માં તેમણે ‘લોકભવાઈ’ નામનું નાટક લખ્યું એનું દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતે આ નાટકને વધાવી લીધું હતું અને તે ખૂબ વખણાયું હતું.   1950માં દીના અમદાવાદ આવ્યાં અને ગુજરાત વિદ્યાસભાના નાટ્યવિદ્યામંદિરમાં નાટ્યશિક્ષિકા તરીકે જોડાયાં. 1952માં તેમણે નટમંડળની સ્થાપના કરી અને તેનાં નાયબ નિયામક બન્યાં. એ દરમ્યાન જ તેમણે ‘વિરાજવહુ’, ‘લોકશત્રુ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘મેના ગુર્જરી’ (જેની વાત આપણે પાછલા લેખ કરી હતી), ‘મિથ્યાભિમાન’ જેવા નાટકોમાં કામ કર્યું અને...

દીના પાઠકનો સિક્કો આજે પણ કલાજગતમાં બોલે છે

Image
મુખ્ય અદાકારાથી માંડી ચરિત્ર અભિનય કરી પાત્રોને જીવંત કરનાર આ અદાકારાને આજની પેઢી કદાચ જાણતી પણ નહીં હોય શાહિદ કપૂરના કઝીન ભાઈ અને નસીરુદ્દીન શાહના દિકરા વિવાનનું નામ સૌ કોઈ જાણે છે પણ એના નાનીનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. રત્ના પાઠક શાહ અને દીના પાઠક આજે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી રંગમંચે તથા ફિલ્મ શ્રેત્રે સક્રિય છે અને આ બંને બહેનોની મહેનતને પાંખ આપવામાં તેમની જનેતા દીના પાઠકનું ભારોભાર યોગદાન છે.  દીના પાઠક જેમનું નામ સાંભળતા જ આંખ સામે ચહેરા પર જોમ જુસ્સાની સાથે થોડો ગુસ્સો, ભાલે મોટો ચાંદલો, ગુજરાતી સાડી પહેરેલી અને મોં માંથી કડવા વેણ કાઢતી એક પ્રૌઢ સાસુ અથવા જેઠાણી દેખાઈ આવે. સામાન્યપણે હિન્દી ફિલ્મોમાં આપણે પરિવારની એક દુખીયારી વડીલ અને પવિત્ર સ્ત્રીના રૂપમાં દુર્ગા ખોટે અને નિરુપા રૉયને નિહાળી છે પણ દીના પાઠકે એ જ શ્રેણીમાં એક નવો ચીલો ચીતરીને પોતાની અદાકારીના નવા સોપાન સર કર્યા છે. ચાર માર્ચ ૧૯૨૩ના રોજ અમરેલીના એક કપોળ વૈષ્ણવ કુટુંબમાં જન્મેલી દીનાએ પોતાની કારકિર્દીમાં 100 થી પણ વધારે હિન્દી અને 17 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો, નાટકો અને ટીવી સિરીયલ્સ કરી છે. ...

બચુની બેનપણી કરાવશે બેંગકોકની સફર

Image
બેંગકોકની સુંદરતા અને બચુભાઈની મસ્તી ફિલ્મને મજેદાર બનાવે છે  ગુજરાતી સિનેમા જગત માટે 27 મી ઓગસ્ટ ખાસ દિવસ રહ્યો હતો કેમ કે આ દિવસે બે મોટી ફિલ્મો વચ્ચે ક્લેશ થયો હતો. એકબાજુ 27 મી ઓગસ્ટે નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'વશ'નો પાર્ટ 2 રિલીઝ થયો હતો અને બીજીબાજુ સિદ્ધાર્થ રાંદેરિયાની ધમાકેદાર કોમેડી ફિલ્મ 'બચુની બેનપણી' પણ રિલીઝ થઈ હતી.  કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા ગણેશ ચતુર્થીના દિને 'બચુની બેનપણી' નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે રત્ના પાઠક શાહ, દેવર્ષી શાહ, યુક્તિ રાંદેરિયા, ગોપી દેસાઈ અને અન્ય કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે. ગુજરાતી સિનેમા જગતની એકમાત્ર ફિલ્મ જે 2000 અઠવાડિયાથી થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે - 'ચાલ જીવી લઈએ' - કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા જ બનાવવામાં આવી હતી અને એમાં પણ સિદ્ધાર્થભાઈ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ચાલ જીવી લઈએ' માં ઉત્તરાખંડની સુંદરતાને વાર્તામાં વણી લેવામાં આવી હતી અને અહીં 'બચુની બેનપણી' માં બેંગકોકના રમણીય દ્રશ્યોને સાંકડી લેવામા...