Posts

Showing posts with the label Gujarati Films

ઢોલીવૂડ એક મહિનાના નવરાત્રી વેકેશન પર

Image
‘ ફરી એક વાર’ રિલીઝ થયાના એક મહિના બાદ હવે કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થશે ગુજરાતની શાળામાં નવરાત્રીનું વેકેશન એક સમયે આપવામાં આવતું જેથી કરીને નવરાત્રીનો લ્હાવો મનભરી માણી શકાય પણ ક્યારે એવું જોયું છે કે આખે આખી ઇન્ડસ્ટ્રી નવરાત્રી માણવા વેકેશન પર જતી રહે? હા, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે એક મહિના માટે જાણે નવરાત્રીના વેકેશન પર નીકળી ગઈ છે એમ કહી શકાય કેમ કે ગયા અઠવાડિયે ‘ફરી એક વાર’ નામની ફિલ્મ રિલીઝ થયા પછી ડાયરેક્ટ આવતા મહિને કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થનાર છે. તાજેતરમાં ઢોલીવૂડમાં ‘વશ લેવલ ટુ’ અને ‘બચુની બેનપણી’ (બહેનપણી નહીં) આ બે ફિલ્મો વચ્ચે ક્લેશ થયો હતો, તેમ છતાં આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરવામાં સફળ રહી હતી. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાર સુધીમાં પ્રાપ્ત આંકડાઓ મુજબ ‘વશ લેવલ 2’ એ હિન્દી અને ગુજરાતી ભાષામાં મળીને કુલ 13.26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જ્યારે ‘બચુની બેનપણી’ એ 09.26 કરોડ રૂપિયા કમાયા હતા. આ બંને ફિલ્મોની રિલીઝ બાદ ‘નાનખટાઈ’ અને ‘ફરી એક વાર’ આ બે ફિલ્મો રિલીઝ થઈ હતી અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ રિ-રીલીઝ થઈ હતી. હવે છેક એક મહિના ...

ગુજરાતી ફિલ્મોના દાદા મુનિ એટલે અરવિંદ પંડ્યા

Image
જબડું ચિરાઈ ગયું પણ એનાથી કારિકીર્દીમાં ક્યારેય વાંધો ન આવ્યો  ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડીયાનું નામ સુપરસ્ટાર તરીકે આલેખવામાં આવે છે પણ તેમનાથી પણ પહેલા ગુજરાતી સિનેમા જગતમાં કોઈ સુપરસ્ટાર થઈ ગયું હોય તો તે હતા અરવિંદ પંડ્યા જેમને ગુજરાતી સિનેમા જગતના દાદા મુનિ એટલે કે અશોક કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે.  અરવિંદભાઈ જો આજે જીવતા હોત તો આજે આપણે તેમનો 102 મો બર્થ ડે ઉજવી રહ્યા હોત. 1923 માં 21 માર્ચના રોજ આણંદના ભાદરણ ગામ ખાતે તેમનો જન્મ થયો હતો. માનું નામ આનંદી બા હતું અને પિતા ગણપતરાવ પંડ્યા બેંક ઓફ બરોડામાં મેનેજર હતા. સમય જતા મૂળ ખંભાતનું આ પરિવાર બરોડા સ્થાયી થયું અને બરોડાની ન્યુએરા સ્કૂલમાં અરવિંદનું શાળા જીવન વીત્યું. કોલેજનું શિક્ષણ મેળવવા તેઓ માયાનગરી મુંબઈ આવ્યા અને અહીંની પ્રતિષ્ઠિત કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લીધું ત્યાંથી તેમણે સંસ્કૃત વિષયમાં ડિગ્રી મેળવી. અહીં તેઓ તેમના ભાઈ પુંઢરીકરાવ સાથે રહેતા.  સામાન્યપણે આપણે કહેતા હોઈએ છીએ કે જિંદગીમાં ક્યારે પણ, કોઈપણ શીખેલી વસ્તુ કે કલા વ્યર્થ જતી નથી. આ વાત અરવિંદ પંડ્યા મા...

સંગીતમય સરગમની અવિરત સાધના કરતી સાધના સરગમ

Image
ઘરથી મળેલી સંગીતમય તાલિમ અને વસંત દેસાઈની દૂરંદેશીએ એક બાળકીને વિશ્વફલક લઈ જવામાં પાયાની ભૂમિકા ભજવી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવા અનેક કલાકારોના યોગદાનથકી ઉન્નત થયેલી છે જે ગુજરાતી નથી. ગુજરાતી ન હોવા છતાં સવાયા ગુજરાતીની જેમ તેઓ અહીં દૂધમાં સાકરની જેમ ભળી ગયા. અદાકારોને પરભાષાની જેટલી તકલીફ થાય એટલી તકલીફ ગાયકને પણ થાય, તેમ છતાં ગાયક કલાકારો આ ભાષાની મર્યાદાથી આગળ વધી પોતાની અલગ છાપ ઉપજાવે છે. સંગીતની સાધના કરી સાત સૂરોનો સરગમ છેડતી એવી જ એક ગાયિકા એટલે સાધના ઘાણેકર જેને આપણે સાધના સરગમના નામથી ઓળખીયે છીએ. વસંત દેસાઈ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં આવેલા દાભોલમાં એક સંગીત પરિવારમાં સાધનાનો જન્મ આજની તારીખે 1969 માં થયો. તેની માતા નીલા ઘાણેકર એક શાસ્ત્રીય ગાયિકા અને સંગીત શિક્ષીકા હતી. ઘરમાં જ શિક્ષીકા હોવાને લીધે સંગીતની શરૂઆતની તાલિમ તેમને પોતાની માતા પાસેથી જ મળી હતી. મજાની વાત એ છે કે તેમની માતાએ સાધનાને સંગીત શીખવાડવા સંગતમાં ઉપયોગી થવા એવું એક નાનું તાનપુરા બનાવી આપ્યું હતું, જે વગાડવા ક્યારેક સાધનાથી દોઢ વર્ષ નાનો ભાઈ બેસી જતો તો ક્યારેક તબલા પર પણ તાલની બંદિશ વ...

વિજ્ઞાનથી પરિપૂર્ણ છે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા

Image
સાઉન્ડ રેકોર્ડિંગ, ક્રોમા, સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદથી ફિલ્મની સુંદરતામાં વધારો કરવામાં મદદ મળી રહે છે દર્શકોને ફિલ્મ જોવામાં અને માણવામાં જેટલો આનંદ આવે છે એટલો જ આનંદ એક ફિલ્મ મેકરને ફિલ્મ બનાવવામાં અને એની તમામ પ્રક્રિયામાં સામેલ થવાથી આવે છે. ફિલ્મ મેકિંગની પ્રક્રિયા જટિલ તો છે પણ સાથે સાથે કંઈક નવીનતમ કાર્ય કરવા માટે પણ પ્રેરે છે. એક જ વાર્તાને અલગ અલગ દ્રષ્ટિકોણથી કહેવાની દરેક વાર્તાકાર અને ડિરેક્ટરની ખાસિયત હોય છે. વળી, ફિલ્મ મેકિંગમાં એવી ઘણી નાની-નાની કાર્યપ્રણાલી આવરેલી હોય છે જેને સામાન્ય દર્શકવર્ગ જાણતું સુદ્ધા નથી. ટૂંકમાં કહીયે તો ફિલ્મ મેકિંગની પ્રક્રિયા વિજ્ઞાનથી પરિપૂર્ણ છે.   ઢોલીવૂડના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી ભારતીય ફિલ્મ મેકિંગની વાત કરીયે તો આઝાદી પહેલાની ખાસ કરીને ફિલ્મ ક્ષેત્રની શરૂઆત થઈ ત્યારની ફિલ્મો પર નજર કરતા માલૂમ થાય છે કે હીરો-હીરોઇન એક જ જગ્યાએ ઊભા રહી ગીત ગાતા. અથવા એવા ગીતો જોવા મળે છે જેમાં કલાકારોની ગીત દરમ્યાન ઓછી હલનચલન હોય. વાસ્તવમાં એ સમયે ગીત રેકોર્ડ કરવાની પ્રક્રિયા ઘણી મુશ્કેલ હોવાને લીધે આ કિમીયો ઉપયોગમાં લેવામાં આવતો....

ફિલ્મને સફળ બનાવે છે ટેક્નોલોજી અને સ્વીકારવૃત્તિ

Image
એક સમયે પુરૂષ પ્રધાન સમાજની માન્યતાઓ તોડી ‘કંકુ’ વિશ્વકક્ષાએ ખ્યાતિ મેળવવામાં સફળ રહી અને બીજી બાજુ ‘ડેની જીગર’ જેવી સ્પૂફ ફિલ્મ લેટેસ્ટ ટેક્નોલોજી હોવા છતાં ગુજરાતી પ્રજાને હજમ ન થઈ સ્વાભાવિકપણે ગુજરાતી સિનેજગત આજે એવી ફિલ્મો બની રહી છે જે આજના યુવાવર્ગને આકર્ષે. હીરોની બે બાઇક પર પગ રાખીને એન્ટ્રી કરવાના કિસ્સા 90ના દાયકામાં ગયા. આજે ફિલ્મની વાર્તા મુજબ ફિલ્મના નાયકની મોટા પડદા પર એન્ટ્રી નક્કી થાય છે અને જો ‘ડેની જીગર’ જેવી કોઈ સ્પૂફ ફિલ્મ હોય કે એક્શન ફિલ્મ હોય તો ટેક્નોલોજી વિના હીરો કે વિલનની ભવ્ય એન્ટ્રી કે અન્ય કોઈપણ સિકવન્સ બતાવવા સંભવ જ નથી.  આપણે હોલીવુડની ફિલ્મોમાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર, જેકી ચેન, વિન ડીઝલ જેવા અનેક એક્ટરને એક મોટી બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગ પર કૂદતા, મહાસાગરોમાં તરતા, જ્વાળામુખીથી કે ડાયનાસોન, એનાકોન્ડા જેવા વિકરાળ જીવથી બચીને ભાગતા જોયા છે. દેખાવમાં આપણને આ તમામ ફિલ્મો રોચક લાગે છે પણ એ માટે એની પાછળ ડિરેક્ટરની દૂરંદેશી, એડિટિંગ અને ખાસ તો ટેક્નોલોજીનો કમાલ હોય છે. વળી, ત્યાંની ફિલ્મોનું બજેટ પણ આપણી બોલીવૂડની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન કર...

ગુજરાતી ફિલ્મો, સાહિત્ય અને સાહિત્યકારોનો સંબંધ ઘણો જૂનો છે

Image
‘પૃથિવીવલ્લભથી’ માંડી આ યાત્રા હવે ‘રેવા’ અને ‘કમઠાણ’ સુધી આવી પહોંચી છે એનો અનેરો આનંદ છે પણ આ ગતિ, કાચબાગતિ રહી છે  કોઈપણ વાર્તાને કેન્દ્રસ્થાને રાખીને વાત કરશો તો એ વાર્તાનો તંતુ તમને કશેકના કશેક જોડાયેલો જોવા મળશે જ. એક પરિવાર, એક વ્યક્તિના સંઘર્ષની વાર્તા પહેલા પણ બનતી અને આજે પણ બને છે. એક વાર્તાને અલગ અલગ રૂપમાં કહેવાથી માત્ર તેનું પ્રારૂપ બદલાય છે અને જે-તે ફિલ્મ દ્વારા ફિલ્મમેકર્સ જનતા સુધી પહોંચાડવા માંગતા સંદેશ બદલાય છે અને આ પ્રક્રિયા માત્ર ગુજરાતી જ નહીં અપિતુ કોઈપણ ભાષાની ફિલ્મમાં જોવા મળે છે.  ગુજરાતી ફિલ્મ જગતમાં આજે અનેક એવી વાર્તાઓ જોવા મળે છે જે તદન નવી જ હોય છે. જોકે વાર્તા નવી નથી હોતી પણ તેને કહેવાનો, પ્રસ્તુત કરવાનો નજરિયો અલગ હોય છે. દાખલા તરીક કહીયે તો મહાત્મા ગાંધીની જીવની પર અનેક ફિલ્મો બની છે જેમાં તેમની કારકિર્દી અને મહાનતા બતાવવામાં આવી છે. વળી, કેટલીક ફિલ્મો ગાંધીજીના જીવન પર એવી પણ બની છે જેમાં તેમના કામકાજ પર સવાલ ખડા કરવામાં આવ્યા છે અને એક અલગ દ્રષ્ટિકોણથી ગાંધીજીને મોટા પડદા પર ચિતરવામાં આવ્યા છે.      કહેવાનો ભાવ...

‘મળેલા જીવ’ નવલકથા તરીકે હિટ પણ ફિલ્મ તરીકે નહીં

Image
પન્નાલાલ પટેલની આ વાર્તા પરથી રૂપિયા 80,000 માં ફિલ્મ બની તો ખરી તેમ છતાં મુદલ પણ રિકવર ન કરી શકી           ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી સાહિત્ય જગતને આજે જરા દૂરનો સંબંધ છે એમ કહી શકાય. આમ કહેવાનું કારણ માત્ર એટલું કે આજની તારીખમાં તમને ગુજરાતી ફિલ્મ જગતમાં ગુજરાતી સાહિત્ય જગત સાથે સંકળાયેલી વ્યક્તિ ઘણી ઓછી જોવા મળે છે. એક સમયે ગુજરાતી ફિલ્મ જગતમાં એવી ફિલ્મો બનતી, કે જેમાં ખુદ એ સાહિત્યકાર રસ લેતા અને પોતાનું યેન કેન પ્રકારેણ યોગદાન પણ આપતા.  ગુજરાતી સાહિત્ય જગતના એક એવા સર્જક અને એના સર્જનની આજે વાત કરવી છે જેમની નવલકથા લગભગ 20થી પણ વધારે વખત પુનઃપ્રકાશિત થઈ ચૂકી છે, અનેક ભાષામાં એ નવલકથાના અનુવાદ પણ થયા છે અને રંગમંચથી માંડીને સિનેમા સુધી પોતાનો જાદુ બિખેરવામાં સક્ષમ રહી છે. આ સર્જકની 34મી પુણ્યતિથી છઠ્ઠી એપ્રિલે જ વીતી છે માટે તેમને યાદ કરતા તેમની નવલકથાઓની વાત કરવાનું એક સરસ ઉપક્રમ આપણને સાંપડ્યું છે. આ સર્જક છે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પન્નાલાલ પટેલ અને તેમનું સર્જન છે ‘મળેલા જીવ’. ‘મળેલા જીવ’ નવલકથા પરથી કરવામાં આવેલા પ્રયોગો અને ...