Posts

Showing posts with the label Ramesh Mehta

‘રાજા ભરથરી’ ની લોકપ્રિયતા આજે પણ યથાવત્

Image
1973 ની આ ફિલ્મ દમદાર ગીત-સંગીત અને ધારદાર સંવાદોથી ભરેલી હતી 1970-75 ના સમયમાં અનેક એવી ગુજરાતી ફિલ્મો બની જે લોકકથા પર આધારિત હતી. ‘જેસલ તોરલ’ (1971), ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ (1972), ‘હોથલ પદમણી’ (1974), ‘તાના રીરી’ (1975) જેવી અનેક ફિલ્મો આ ગાળામાં રિલીઝ થઈ. આ જ સમયમાં 1973માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, જય શ્રી ટી જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘રાજા ભરથરી’ પણ રિલીઝ થઈ હતી.  ડિરેક્ટર રવિન્દ્ર દવે દ્વારા બનવવામાં આવેલી આ ફિલ્મ ‘રાજા ભરથરી’ માં અવિનાશ વ્યાસનું સંગીત હતું. ગાયક કલાકારોમાં સુમન કલ્યાણપૂર, આશા ભોસલે, ઉષા મંગેશકર, સુલોચના વ્યાસ અને મહેન્દ્ર કપૂરે સ્વર આપ્યો હતો. ફિલ્મની કથા અને સંવાદ રમેશ મહેતાએ લખ્યા હતા. ધારદાર સંવાદ અને સંગીતને લીધે ફિલ્મની સફળતા સોળે કળાએ ખીલી હતી. વળી સ્ટારકાસ્ટમાં એ સમયની સૌથી લોકપ્રિય ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી આકર્ષણનું કેન્દ્ર હતી. ત્રિવેદી બંધુઓએ પણ ‘જેસલ તોરલ’ (1971) ની જેમ ફરી એકવાર એકસાથે મોટા પડદે જોવા મળ્યા હતા.  ઉજ્જૈનના રાજા ગંધર્વસેનાના મોટા પુત્ર, રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ અને રૂપન...

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' આજે પણ લોકપ્રિય છે

Image
જે જમાનામાં ફિલ્મોની ટિકિટ 10 થી 15 રૂપિયામાં મળતી હતી એ જમાનામાં આ ગુજરાતી ફિલ્મે 22 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. જે પ્રમાણે રંગબેરંગી મોર વચ્ચે સફેદ મોર આકર્ષક દેખાઈ આવે એ જ પ્રમાણે હાલમાં રિલીઝ થઈ રહેલી નવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો વચ્ચે રી-રિલીઝ થઈ રહેલી ફિલ્મો અલગ દેખાઈ આવે છે. ગયા અઠવાડિયે હજુ 'જય કનૈયા લાલ કી' ફિલ્મ રિલીઝ થઈ હતી એની સાથે જ 1998 ની સૌથી લોકપ્રિય અને સફળ એવી ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' રી-રિલીઝ કરવામાં આવી હતી. આ પહેલા ગયા વર્ષે હિતેન કુમારની જ સુપરહિટ ફિલ્મ 'મૈયરમાં મનડુ નથી લાગતુ'  રી-રિલીઝ કરવામાં આવી હતી. ગોવિંદભાઈ પટેલ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મના મુખ્ય નાયક, નાયિકા હતા હિતેન કુમાર અને  રોમા માણેક  જેમને આપણે રામ અને રાધાના પાત્રમાં અભિનય કરતા જોયા હતા. આ ઉપરાંત ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, પિંકી પરીખ, રમેશ મહેતા, સમીર રાજડા, રાજદીપ , ભૂમિકા શેઠ અને દેવેન્દ્ર પંડિતે પણ અભિનય કર્યો હતો. 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ગુજરાતી ફિલ્મ જગતમાં એક એવી ફિલ્મ છે જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમાજના...

1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ

Image
નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી.  નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ.  નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન...

ઓ હો હો હો... શું નામ રાખ્યા છે ગોરી?

Image
આ લહેકો જ કહી આપે છે કે હાસ્ય કલાકાર રમેશ મહેતાને ઓળખની જરૂરત નથી  ઓ હો હો હો... ઢોલીવુડની ફિલ્મોમાં આ લહેકો જ્યારે પણ સાંભળો ત્યારે એક પાતળો, લાંબો, મૂછળીયો, કેડિયુ કે બંડી સાથે ધોતીયુ પહેરેલો માણસ આંખ સામે ખડો થઈ જાય. ઓળખાણ આપવાની જરૂરત ન પડે પણ એવા ગુજરાતી સિનેજગતના દિગ્ગજ હાસ્યકલાકાર, ‘સીટી સમ્રાટ’ રમેશ મહેતાની આજે મનમૂકીને વાત કરીશું જેમની આવતા રવિવારે એટલે કે 23મી જૂને 92મી જન્મજયંતિ આવી રહી છે.  ગોંડલના નવાગામ ખાતે ગિરધારલાલ ભીમજી અને મુક્તાબહેન મહેતાના ઘરે જન્મેલા રમેશ નાનપણથી ભણતરમાં ઓછો પણ ગણતરમાં વધારે રસ ધરાવતા. નિશાળે જવું ઝાઝુ ગમતું નહીં પણ ઘરમાં સાહિત્યીક વાતાવરણ હોવાને લીધે રામાયણ, ગીતા અને સંસ્કૃતના શ્લોકો વાંચવા ઘણા ગમતા. ખુદ તેમના બાપુજીને નાટકનો શોખ હતો જે રમેશમાં પણ ઉતર્યો. ઘણા ઓછાને ખ્યાલ હશે કે રાજકોટમાં બાળપણ વિતાવી રહેલા રમેશ જ્યારે છ મહિનાના હતા ત્યારે તેમના મકાનની બાજુમાં જ ચાલતી નાટક કંપનીએ તેમનાં માતા-પિતાની સંમતિથી એક નાટકમાં બાળકના રોલમાં બાળ રમેશને રજૂ કરી દીધા હતા. ગિરધરલાલજીની નાટ્યકંપનીઓ સાથે સારી એવી ઓળખાણ હતી જેનો લાભ રમેશને મળ...