Posts

Showing posts with the label Aruna Irani

1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ

Image
નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી.  નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ.  નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન...

સંયુક્ત પરિવારના સબળા પાસાને ઉજાગર કરશે ‘જલસો’

Image
‘હાઉસફૂલ 5’ જેવી બોલીવુડની મલ્ટિસ્ટારર ફિલ્મોની આડઅસર આપણા ઢોલીવુડ પર ન પડે તો સારુ ગુજરાતી ફિલ્મ જગતમાં આજે એક મલ્ટિસ્ટારર ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ‘જલસો’. જૂન મહિનાની આ પહેલી ફિલ્મ પબ્લિક ફિગર અને નામાંકિત હોસ્ટ કોમલ નાહટા દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય કલાકાર તરીકે પૂજા જોશી અને ભાવિન ભાનુશાલીની જોડી પહેલીવાર મોટા પડદા પર એકસાથે જોવા મળશે. રાજીવ રૂઈઆએ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. મે મહિનામાં ‘શસ્ત્ર’ રિલીઝ થયા બાદ પૂજા જોશીની આ વર્ષની આ બીજી ફિલ્મ છે જ્યારે ભાવિન ભાનુશાલી આ ફિલ્મ થકી ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ‘જલસો’ બાદ ભાવિનની ‘વ્હાલી’ નામની બીજી ગુજરાતી ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની છે જેમાં તેની સાથે માઝલ વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ‘જલસો’ની વાત કરીએ તો ‘જલસો’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં પૂજા અને ભાવિન ઉપરાંત ધર્મેશ વ્યાસ, મોરલી પટેલ, સોનાલી લેલે દેસાઈ, છાયા વોરા, ઉત્સવ નાયક, નક્ષરાજ, હેમાંગ દવે, હેમંત પાંડે, ઓજસ રાવલ, મલ્હાર ઠાકર, કિરુષ દેબો (મુન્નાભાઈ એમબીબીએસમાં ડૉ. રુસ્તમનું પાત્ર બજવનાર કલાકાર), અરુણા ઈરાની, ઈશિકા શીર્ષટ, જય પટેલ, હિતેન ત...

સંજીવ કુમારની છેલ્લી ગુજરાતી ફિલ્મ રહી ‘મારે જાવું પેલે પાર’

Image
આ ફિલ્મ બાદ હરિભાઈ એકપણ ગુજરાતી ફિલ્મ ન કરી શક્યા પણ તેમની આ સફળ ફિલ્મો સિવાય ગુજરાતી ફિલ્મનો ઈતિહાસ જરૂરથી અધૂરો કહેવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ‘શૈતાન’ (2024) ફિલ્મ રિલીઝ થઈ હતી જે 2023 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની ઓફિશ્યલ રિમેક હતી. આ બંને ફિલ્મમાં વાર્તા ઉપરાંત જાનકી બોડીવાલા કોમન હતી. જાનકીએ પોતે ‘વશ’ માં જે પાત્ર ભજવ્યું હતું એ જ પાત્ર તેણે ‘શૈતાન’ માં પણ ભજવ્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો કે એક જ કલાકારે પોતાનું એકને એક પાત્ર ઓરિજીલ અને રિમેક એમ બંને ફિલ્મોમાં ભજવ્યું હોય એવા કિસ્સા આપણે ત્યાં ગણ્યાગાઠ્યા જોવા મળતા હોય છે. જોકે સંજીવ કુમાર પણ એવા જ કલાકારોમાંના એક છે જેમણે એક જ વાર્તાની ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં વિસ્મૃતિ દોષવાળી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને બંને ફિલ્મોએ સફળતાના તમામ શિખરો સર કર્યા હતા. બોલીવુડની એ ફિલ્મ એટલે 1970 માં આવેલી ફિલ્મ ‘ખિલૌના’ અને 1978 માં આવેલી આ જ ફિલ્મની ગુજરાતી રિમેક ‘મારે જાવું પેલે પાર’, જે હરિભાઈની છેલ્લી ગુજરાતી ફિલ્મ બની રહી. ‘મારે જાવું પેલે પાર’ ની વાત શરૂ કરતા પહેલા એ જાણી લઈએ આ ફિલ્મની વાર્તાનો દબદબો વાસ્તવમાં કેટ...