Posts

Showing posts with the label Arvind Pandya. Mansarovar 1946

એક ઐતિહાસિક ગુજરાતી ગીત અને અરવિંદ પંડ્યા વચ્ચે શું સંબંધ છે?

Image
આજની તારીખે કોઈપણ એવી ગુજરાતી મહેફિલ નહીં હોય જ્યાં એ ગીત ન ગવાતુ હોય કેમ કે વિલન પર ફિલ્માવાયેલું એ રોમેન્ટિક ગીત અજરાઅમર છે જે સમયે ભારત દેશ આઝાદીની ચળવળમાં વ્યસ્ત હતો એવા સમયે અરવિંદ પંડ્યાનો સિતારો ચમકવાનો શરૂ થયો હતો. 1946 અને 1947 માં પહેલા હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં ગાયક તથા અભિનેતા તરીકે તેમની કારકિર્દી શરૂ થઈ. 1946 માં હિન્દી ફિલ્મ ‘માનસરોવર’ અને 1947 માં ગુજરાતી ફિલ્મ ‘ભક્ત સૂરદાસ’ કર્યા બાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મો કરી.  અરવિંદ પંડ્યાના સંગીત સાથે જોડાયેલી એક વાત 1946 ની છે. આકાશવાણીમાં એ સમયે સંઘ ગાનનું એક ગ્રુપ બનાવવાનું કામ સંગીતકાર અજીત મર્ચન્ટને સોંપવામાં આવ્યું હતું. અજીત મર્ચન્ટ અને અરવિંદ પંડ્યા કોલેજકાળના મિત્રો હતા એટલે સ્વાભાવિક છે કે અજીતભાઈ અરવિંદભાઈના સંગીતથી પરિચિત હતા અને પ્રભાવિત પણ હતા. જ્યારે અજીતભાઈને ઓલ ઇન્ડિયા રેડિયોનું કામકાજ મળ્યું ત્યારે તેમણે અરવિંદભાઈને એ પ્રોજેક્ટમાં સામેલ કર્યા. અજીતભાઈની મદદથી અરવિંદભાઈને સ્વતંત્ર કડીઓ ગાવાની તક પણ મળતી. તેમના સંગીતથી ખુદ આકાશવાણી સંગીત વિભાગના અધિકારી દિનકર રાવ પણ પ્રભાવિત થ...

ગુજરાતી ફિલ્મોના દાદા મુનિ એટલે અરવિંદ પંડ્યા

Image
જબડું ચિરાઈ ગયું પણ એનાથી કારિકીર્દીમાં ક્યારેય વાંધો ન આવ્યો  ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડીયાનું નામ સુપરસ્ટાર તરીકે આલેખવામાં આવે છે પણ તેમનાથી પણ પહેલા ગુજરાતી સિનેમા જગતમાં કોઈ સુપરસ્ટાર થઈ ગયું હોય તો તે હતા અરવિંદ પંડ્યા જેમને ગુજરાતી સિનેમા જગતના દાદા મુનિ એટલે કે અશોક કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે.  અરવિંદભાઈ જો આજે જીવતા હોત તો આજે આપણે તેમનો 102 મો બર્થ ડે ઉજવી રહ્યા હોત. 1923 માં 21 માર્ચના રોજ આણંદના ભાદરણ ગામ ખાતે તેમનો જન્મ થયો હતો. માનું નામ આનંદી બા હતું અને પિતા ગણપતરાવ પંડ્યા બેંક ઓફ બરોડામાં મેનેજર હતા. સમય જતા મૂળ ખંભાતનું આ પરિવાર બરોડા સ્થાયી થયું અને બરોડાની ન્યુએરા સ્કૂલમાં અરવિંદનું શાળા જીવન વીત્યું. કોલેજનું શિક્ષણ મેળવવા તેઓ માયાનગરી મુંબઈ આવ્યા અને અહીંની પ્રતિષ્ઠિત કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લીધું ત્યાંથી તેમણે સંસ્કૃત વિષયમાં ડિગ્રી મેળવી. અહીં તેઓ તેમના ભાઈ પુંઢરીકરાવ સાથે રહેતા.  સામાન્યપણે આપણે કહેતા હોઈએ છીએ કે જિંદગીમાં ક્યારે પણ, કોઈપણ શીખેલી વસ્તુ કે કલા વ્યર્થ જતી નથી. આ વાત અરવિંદ પંડ્યા મા...