Posts

Showing posts with the label Ojas Rawal

લંડનમાં શૂટ થયેલી ‘લાયક નાલાયક’ આજથી સિનેમા ઘરોમાં

Image
30 થી પણ વધારે કલાકારો લઈને આવ્યા છે કોમેડી ફિલ્મ ગુજરાતી સિનેમા જગતમાં એક બાજુ ગામડાની લોક સંસ્કૃતિને ઉજાગર કરતી 'કડકનાથ' જેવી ફિલ્મો લોકોના મન મોહી રહી છે ત્યાં આજે એ જ સિનેમાઘરોમાં અંદાજે 30 થી પણ વધારે કલાકારોને એક સાથે ચમકાવતી મલ્ટી સ્ટારર ફિલ્મ 'લાયક નાલાયક' રિલીઝ થઈ ચુકી છે. શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ ‘લાયક નાલાયક’ નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીતનું ભવ્ય લોન્ચિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના કલાકારો, નિર્માતાઓ, મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ફિલ્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલા ટીઝર અને ટ્રેલરને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ફિલ્મ પ્રત્યેની આતુરતા વધુ વધી છે. ‘લાયક નાલાયક’ની સૌથી વિશેષ વાત એ છે કે ફિલ્મનું અંદાજે 95 ટકા શૂટિંગ લંડનના વિવિધ આકર્ષક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. ભવ્ય દૃશ્યો અને ઉચ્ચ કક્ષાના નિર્માણ સાથે ફિલ્મ દર્શકોને એક અલગ જ સિનેમેટિક અનુભવ કરાવશે તેવી અપેક્ષા છે.  ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના અનેક જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભ...

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

Image
માનસી પારેખની 20204ની રિલીઝ થયેલી આ બીજી ફિલ્મથી સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી ઢોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે અને એ દર્શકોને કેટલી ગમે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે આવનારા દિવસોમાં ગુજરાતી સિનેમામાં કેટલીક ધમાકેદાર ફિલ્મો આવી રહી છે. આ ધમાકેદાર ફિલ્મોની લિસ્ટમાંની એક ફિલ્મ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે ‘ઝમકુડી’. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલની માલિકીના સોલ સૂત્ર સ્ટુડિયોઝે ધવલ ઠક્કર સાથે મળીને પ્રોડ્યુસ કરેલી આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેનું ડિરેક્શન ઉમંગ વ્યાસે કર્યું છે.  ‘ઝમકુડી’ ની વાત કરીયે તો આ ફિલ્મમાં મા નસી પારેખ સાથે લીડ રોલમાં સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીએ અભિનય કર્યો છે, જોકે વિરાજની આ ડેબ્યુ ગુજરાતી ફિલ્મ છે. માનસી અને વિરાજની સાથે ફિલ્મમાં કોમેડીનો ફ્લેવર ઉમેરવા માટે સંજય ગોરડિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગલસાર સહિત ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળશે. તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલા જામનગરના યુવા કલાકાર ભૌમિક આહિરની આ છેલ્લી ફિલ્મ છે. આ પહેલા તે ‘વિકીડાનો વરઘોડો’ જેવી ફિલ્મો અને અનેક નાટક...

અભિનય ક્ષેત્રે રંગભૂમિ અને સિનેમામાં માત્ર માધ્યમનો ફરક છે

Image
અભિનય ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીએ કેટલાક વર્ષ રંગભૂમિ પર પસાર કરવા જોઈએ જેથી કરીને પોતાના મનગમતા કામકાજની બારીકી શીખવા મળે બુધવારે રંગભૂમિના કલાકારો અને ચાહકવર્ગે વર્લ્ડ થિયેટર ડે ઉજવ્યો. અન્ય પ્રાદેશિક ભાષાઓની સાથે આપણે ગુજરાતી ભાષી જનતા તરીકે ખરેખર નસીબવંતા છીએ કે આપણે રંગભૂમિના પ્રયોગોને જીવંત માણી શકીયે છીએ, જોકે કોરોનાકાળ બાદ હજુ પણ રંગભૂમિ વ્યવસ્થિતપણે બેઠી થવા પ્રયાસ કરી રહી છે. એવામાં ઘણાં કલાકારો આજે રંગભૂમિથી સિરીયલ્સ અને સિનેમા તરફ વળી રહ્યા છે, જેમાંના કેટલાક કલાકારોની આજે આપણે વાત કરશું.  આમ તો અઢળક રંગભૂમિના કલાકારો એવા છે જે ગુજરાતી સિનેમા તરફ વળ્યા છે તેમ છતાં આ સ્વિચઓવર કોણે, ક્યારે શરૂ કર્યું એ કહેવું અઘરું છે. રંગભૂમિ સાથે જોડાયેલા કલાકાર અને ફક્ત સિરીયલ્સ અને ફિલ્મો કરતા કલાકારો વચ્ચેનો ફરક સામાન્યપણે જોવા મળી જ જતો હોય છે. નસીરુદ્દીન શાહ અને રાજેશ ખન્ના વચ્ચે શું ફરક છે એ કહેવાની જરૂર પડતી નથી, કેમ કે તેમના નામ અને કામ પરથી જ તેમના અભિનયનો પરચો મળી રહે છે. ગુજરાતી કલાકારોની યાદી બનાવીયે તો એમાંથી અનેક કલાકારો આપણને એવા મળશે જે રંગભૂમિ સાથે...