Posts

લંડનમાં શૂટ થયેલી ‘લાયક નાલાયક’ આજથી સિનેમા ઘરોમાં

Image
30 થી પણ વધારે કલાકારો લઈને આવ્યા છે કોમેડી ફિલ્મ ગુજરાતી સિનેમા જગતમાં એક બાજુ ગામડાની લોક સંસ્કૃતિને ઉજાગર કરતી 'કડકનાથ' જેવી ફિલ્મો લોકોના મન મોહી રહી છે ત્યાં આજે એ જ સિનેમાઘરોમાં અંદાજે 30 થી પણ વધારે કલાકારોને એક સાથે ચમકાવતી મલ્ટી સ્ટારર ફિલ્મ 'લાયક નાલાયક' રિલીઝ થઈ ચુકી છે. શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ ‘લાયક નાલાયક’ નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીતનું ભવ્ય લોન્ચિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના કલાકારો, નિર્માતાઓ, મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ફિલ્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલા ટીઝર અને ટ્રેલરને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ફિલ્મ પ્રત્યેની આતુરતા વધુ વધી છે. ‘લાયક નાલાયક’ની સૌથી વિશેષ વાત એ છે કે ફિલ્મનું અંદાજે 95 ટકા શૂટિંગ લંડનના વિવિધ આકર્ષક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. ભવ્ય દૃશ્યો અને ઉચ્ચ કક્ષાના નિર્માણ સાથે ફિલ્મ દર્શકોને એક અલગ જ સિનેમેટિક અનુભવ કરાવશે તેવી અપેક્ષા છે.  ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના અનેક જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભ...

21 વર્ષે આવ્યા દેવલો અને જીવલી

Image
નવી ટેક્નોલોજીના વાઘા પહેરી રી-રિલીઝ થઈ  ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ 21 વર્ષ બાદ આજે ફરીથી એક એવી ફિલ્મ રી-રિલીઝ થવા જઈ રહી છે જેણે અને ગુજરાતી સિનેમા પ્રેમીઓની આંખ ભીની કરી દીધી હતી. હિતેન કુમાર અને રાજલક્ષ્મીને ચમકાવતી જશવંત ગાંગાણી લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ એટલે ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’.  વર્ષ 2005 માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ એક સફળ ફિલ્મ રહી હતી જે એક પ્રેમિકાના એના પ્રેમી સાથેના સુખી સંસારની લાગણીઓને દર્શાવતી હતી. સામાન્યપણે જશવંત ગાંગાણીની ફિલ્મોમાં આપણને પારિવારિક મૂલ્યો ખૂબ જ સારી રીતે જાણવા અને માણવા મળે છે અને આ ફિલ્મમાં પણ એ મૂલ્યો કાયમ રહ્યા છે, ફરક છે ફિલ્મની વાર્તામાં અને ખાસ કરીને તેના ક્લાઈમેક્સમાં.  જીવલી (રાજલક્ષ્મી) અને દેવલા (હિતેન કુમાર) ની આ પ્રેમ કથામાં જીવલીના કાકાનો ભાઈ ભુવન (દિનેશ લાંબા) મુખ્ય વિલનનું પાત્ર ભજવે છે. ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ અભિનેત્રીના એટલે કે સ્ત્રીપક્ષના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી છે અને એટલે જ તેના પરિવારની વાર્તા કેન્દ્રસ્થાને છે. જીવલીના મા બાપ ન હોવા છતાં તે કાકા કાકીની છત્ર છાયા...

આવતા ત્રણ મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો જાણી લો

Image
કોમેડી સાથે એક્શન ડ્રામા લઈને આવ્યો છે આ મહિનો જેમાં 21 વર્ષ બાદ રી-રિલીઝ થશે એક ફિલ્મ વર્ષના શરૂઆતના છ મહિનામાં ગુજરાતી સિનેમા જગતમાં અંદાજે 50 જેટલી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને હવે આવનારા છ મહિનામાં હજુ અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.  જુલાઈ મહિનાના ચાર અઠવાડિયામાં છ ફિલ્મ રિલીઝ થવાની છે એમાં પહેલા અઠવાડિયામાં જ એટલે કે આજે ત્રીજી જુલાઈએ બે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પહેલી ફિલ્મ 'કર્માનું રહસ્યમ' એ ક્રાઈમ ફિલ્મ છે જે આસિફ સિલાવતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ઉત્સવ નાયક અને સપના વ્યાસ, મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેમની સાથે અરવિંદ વેગડા, બંસી રાજપુત, મકરંદ શુક્લા અને ખુદ આસિફ સિલાવત અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ સાથે 'અઘરું છે યાર' નામની ડ્રામા ફિલ્મ રિલીઝ થશે જે તપન પટેલે ડિરેકટ કરી છે. આ ફિલ્મમાં જયદીપ ગાંગાણી તથા ઉર્વશી ચૌહાણ, મેહુલ બુચ, ઓમ ભટ્ટ અને અન્ય કલાકારો જોવા મળશે. આ ઉપરાંત બીજા અઠવાડિયામાં 'રંગા' અને 'શાતિર' નામની બે ક્રાઈમ ફિલ્મ રિલીઝ થશે જે અનુક્રમે શ્રીકાંત ચૌધરી અને રૂપીન શાહે ડિરેકટ કરી છે. આ બે અઠવાડિયા બાદ થોડી હલકી ફુલકી કોમેડી ફિલ્...

સમયસર વળતર માટે કલાકાર-કસબીઓનો સંઘર્ષ યથાવત્

Image
આર્ટ ડિરેક્ટર કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવૂડમાં કલાકાર-કસબીઓને સમયસર વળતર ન મળી રહ્યું હોવાની ચર્ચા ફરી જાગી વાદવિવાદ સાથે ચર્ચા વિચારણા એ દરેક ઇન્ડસ્ટ્રીનો એક ભાગ હોય છે. હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક ચર્ચા વિચારણાઓનો દૌર ચાલી રહ્યો છે, જેણે ફિલ્મના અનેક સ્ટેક હોલ્ડર્સને અનેક વિષયો પર વિચારવા માટે મજબૂર કરી દીધા છે.  ગુજરાતી ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવુડમાં કાલકારો અને ટેક્નિશ્યનોને તેમનું યોગ્ય વળતર સમયસર મળી રહે એવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો પણ તેમને સપોર્ટ આપી રહ્યા છે. વાસ્તવમાં કુંજ ઠક્કરના નિધન પહેલા તેઓ શારીરિક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્ય સામે પણ સંઘર્ષ કરી રહ્યા હોવાની વાત સામે આવી હતી અને ખાસ તો તેમની મહેનતના પૈસા સમયસર ન મળ્યા હોવાનું સામે આવ્યું હતું જેના લીધે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા કલાકાર કસબીઓને સમયસર મહેનતાણું ન મળી રહ્યા હોવાની ચર્ચા ફરી એકવાર જાગી હતી. કુંજ ‘પાતકી’, ‘શસ્ત્ર’, ‘ડ્રામેબાજ’, ‘તીખી મીઠી લાઇફ’ જેવી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.  કુંજના સમ...

નલિની જયવંતની એકમાત્ર ગુજરાતી ફિલ્મ એટલે 'વારસદાર'

Image
આ એક ફિલ્મ થકી નલિની જયવંતે ગુજરાતી ફિલ્મોમાં પોતાની છાપ છોડી અને ગીતને પોતાનો સ્વર પર આપ્યો ગુજરાતી ફિલ્મજગતમાં ૧૯૪૮માં રજૂ થયેલી ફિલ્મ 'વારસદાર' એક મહત્વપૂર્ણ સામાજિક ફિલ્મ તરીકે આજની તારીખે પણ ઓળખાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન મગનલાલ ઠક્કરે કર્યું હતું, જ્યારે તેનું નિર્માણ લક્ષ્મીચંદ શાહે શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શનના બેનર હેઠળ કર્યું હતું. ફિલ્મની કથા દામુ સાંગાણીએ લખી હતી અને સંગીત ગુજરાતી ફિલ્મસંગીતના પ્રખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસે આપ્યું હતું. ફિલ્મ 'વારસદાર' માં હરસુખ કિકાણી અને નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા અમદાવાદના એક શ્રીમંત વેપારી બિહારીલાલ અને તેના ભત્રીજા વિનય (હરસુખ કિકાણી) ની આસપાસ ફરે છે જે બેરોજગાર હોવાથી બિહારીલાલની સાથે રહે છે. આ દરમિયાન વિનયનો પરિચય નીલા (નલિની જયવંત) નામની યુવતી સાથે થાય છે. સટ્ટામાં ઘણાં પૈસા ગુમાવી ચૂકેલા નીલાના કાકા જયપ્રસાદ નીલાના લગ્ન નિઃસંતાન એવા બિહારીલાલ કરાવવાની યોજના બનાવે છે. નીલાને તેના કાકાની આ યોજના વિશે ખબર પડતા તે વિનયને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરે છે પણ, વિનય બિહારીલાલની મંજૂરી વિના કો...

ફિલ્મ એક પણ રજૂઆત ત્રણ

Image
'જોગીદાસ ખુમાણ' પર બનેલી ત્રણે ફિલ્મો પોતપોતાની વિવિધ ખાસિયતોને કારણે સફળત રહી  ગુજરાતી સિનેમા જગતમાં ઘણી ફિલ્મો એવી રહી છે જે અનેકવાર નિર્માણ પામી છે અને એમાંની એક ફિલ્મ એટલે 'જોગીદાસ ખુમાણ'. આ ફિલ્મ 1948 થી લઈને 1975 સુધી ત્રણ વાર બની ચૂકી છે અને ત્રણેય વાર આ ફિલ્મ સફળતાના શિખરો સર કરી શકી છે.  સૌથી પહેલા વર્ષ 1948 માં રૂપ છાયાના નેજા હેઠળ આ ફિલ્મ નિર્માણ પામી હતી જેનું દિગ્દર્શન મધુસુદન અને મનહર રસકપૂરે કર્યું હતું. ફિલ્મની મુખ્ય વાર્તા અને તેના સંવાદ કવિ જામન એટલે કે ગુજરાતી રંગભૂમિના અગ્રણી અને ક્રાંતિકારી નાટ્યકાર જમનાદાસ મોરારજી સંપટે લખ્યા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ, દલપત, વિમલ, ચાંપશીભાઈ નાગડા, રતીકુમાર વ્યાસ, ચીમનલાલ, સંજય, નર્મદાશંકર, બળવંત લોબાન, કુસુમ ઠક્કર, પ્રમિલા, ફૂલરાણી અને કુમુદ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો જ્યારે આજની તારીખના લોકપ્રિય સંગીતકાર લક્ષ્મીકાંતે આ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. 1948 ની આ ફિલ્મમાં ગીતો અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, પ્રહલાદ પારેખ તથા કૈલાશ પંડ્યાએ લખ્યા હતા જેમાં રતીકુમાર વ્યાસ, આમિરભાઈ કર્ણાટકી, ઇન્દુ ...

ઢોલીવૂડને પુર્નજીવીત કરવામાં ‘જેસલ તોરલ’ મોખરે

Image
1971 માં રિલીઝ થેયલી ફિલ્મ વિશે સૌ કોઈ જાણે છે પણ 1948 ની ફિલ્મ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે લોકકથાઓ પર બનતી ફિલ્મો હંમેશા સફળ રહે છે. ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને અનુપમાને ચમકાવતી સુપરહીટ ફિલ્મ ‘જેસલ તોરલ’ સૌ કોઈને યાદ હશે પણ ભાગ્યે જ લોકોને ખબર હશે કે 1971 માં આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા 1948 માં આ જ નામે પહેલી ‘જેસલ તોરલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. 1948 માં નિર્માતા પી.બી. ઝવેરીના કીર્તિ પીક્ચર્સ દ્વારા ‘જેસલ તોરલ’ નામની બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું ડિરેક્શન ચતુર્ભુજ દોશીએ સંભાળ્યું હતું. આ ગીતના સંવાદો ગીતો અને તેની વાર્તા પ્રફુલ દેસાઈએ લખી હતી. ફિલ્મના મુખ્ય પાત્રમાં રાણી પ્રેમલતા સતી તોરલના પાત્રમાં જોવા મળી હતી જ્યારે છન્ના લાલ, ચીમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમીલ અને મૂળચંદ (ખીચડી) જેવા કલાકારો અન્ય પાત્રમાં અભિનય કરતા જોવા મળ્યા હતા.  આ ઉપરાંત 1971 માં આવેલી ‘જેસલ તોરલ’ ની વાત કરીએ તો આ એક એવી ફિલ્મ હતી જેણે ઢોલીવૂડના પુર્નજન્મમાં પાયાની ભૂમિકા ભજવી. ન માત્ર એટલું જ પણ ફિલ્મના ડિરેક્ટર રવિન્દ્ર દવેને આ ફિલ્મ બ...