Posts

નહીં રાજાની, નહીં રાણીની, આ વાર્તા છે અસરાનીની

Image
1980ના ગાળામાં જેમણે ઢોલીવૂડ ગજાવ્યું હતું એ અસરાની 2025ની જુલાઈમાં પોતાની છેલ્લી ગુજરાતી ફિલ્મ કરી ગયા હતા ‘અમદાવાદનો રિક્ષાવાળો’ બસ એટલું જ કહીએ ત્યાં કિશોર કુમારનો સ્વર અને અમદાવાદના અલગ અલગ લોકેશન પર રીક્ષા હાંકતા અસરાનીનો ચહેરો યાદ આવી જાય. 1977 માં આવેલી ફિલ્મ ‘મા બાપ’ નું આ ગીત સુપરડુપરહિટ થતા તેમના માટે આજીવન ઓળખ બની જાય છે. ન માત્ર આ ગીત પણ આ ફિલ્મ જ એક હિટ ફિલ્મ હતી જેની વાર્તાથી માંડીને કલાકારોના અભિનય અને ગીતો ખૂબ જ વખણાયા હતા.  20 મી ઓક્ટોબર ના રોજ ગોવર્ધન અસરાનીએ આ ફાની દુનિયામાંથી વિદાય તો લીધી પણ તેઓ પોતાની પાછળ મૂકી ગયા છે ન માત્ર હિન્દી ફિલ્મોનો પણ ગુજરાતી ફિલ્મોનો બહુમૂલો ખજાનો. આ એક એવો ખજાનો છે જે એ સમયે તૈયાર થયો જ્યારે ગુજરાતી સિનેમા એના કપરા કહી શકાય એવા સમયમાંથી પસાર થઈ રહી હતી. 1980 ના સમયમાં ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી ઉપરાંત અન્ય નવા કલાકારો પ્રવેશી ચૂક્યા હતા. મહેશ-નરેશ કનોડીયાની સાથે, હિતેન કુમાર સહિત કિરણ કુમાર, રાજીવ, અસરાની, અરુણા ઈરાની, રીટા ભાદુરી, જયશ્રી ટી અને અરવિંદ પંડ્યા, પદ્મારાણી, વિષ્ણુકુમાર વ્યાસ જેવા પીઢ ક...

પારકાઓને પણ પોતાના કરી જાણે એ દીના પાઠક

Image
એક સમયે જે ફિલ્મોને નકારતા હતા તેમને જ એક સમયે નાણાકીય સંઘર્ષ સામે ટકી રહેવા ફિલ્મો સ્વીકારવી પડી બ્રિટીશ કાળમાં અંગ્રેજો સામે ભવાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓમાં દીના પાઠક પણ એક હતા અને એ માટે તેમને એક નહીં પણ ત્રણવાર જેલવાસો ભોગવ્યો હતો. 1947 માં દેશ આઝાદ થયો ત્યારબાદ 1949 માં સરકારે કેટલાક ડાબેરીઓની ધરપકડ કરી હતી જેમાં દીના પાઠક પણ સામેલ હતા અને ત્યારે તેમણે નવ માસ કારાવાસ ભોગવ્યો હતો. નાટ્યજીવ હોવાને લીધે આ જેલવાસો ભોગવ્યા બાદ 1949 માં જ તેમણે ફરીથી પોતાની નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. 1949માં તેમણે ‘લોકભવાઈ’ નામનું નાટક લખ્યું એનું દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતે આ નાટકને વધાવી લીધું હતું અને તે ખૂબ વખણાયું હતું.   1950માં દીના અમદાવાદ આવ્યાં અને ગુજરાત વિદ્યાસભાના નાટ્યવિદ્યામંદિરમાં નાટ્યશિક્ષિકા તરીકે જોડાયાં. 1952માં તેમણે નટમંડળની સ્થાપના કરી અને તેનાં નાયબ નિયામક બન્યાં. એ દરમ્યાન જ તેમણે ‘વિરાજવહુ’, ‘લોકશત્રુ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘મેના ગુર્જરી’ (જેની વાત આપણે પાછલા લેખ કરી હતી), ‘મિથ્યાભિમાન’ જેવા નાટકોમાં કામ કર્યું અને...

દીના પાઠકનો સિક્કો આજે પણ કલાજગતમાં બોલે છે

Image
મુખ્ય અદાકારાથી માંડી ચરિત્ર અભિનય કરી પાત્રોને જીવંત કરનાર આ અદાકારાને આજની પેઢી કદાચ જાણતી પણ નહીં હોય શાહિદ કપૂરના કઝીન ભાઈ અને નસીરુદ્દીન શાહના દિકરા વિવાનનું નામ સૌ કોઈ જાણે છે પણ એના નાનીનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. રત્ના પાઠક શાહ અને દીના પાઠક આજે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી રંગમંચે તથા ફિલ્મ શ્રેત્રે સક્રિય છે અને આ બંને બહેનોની મહેનતને પાંખ આપવામાં તેમની જનેતા દીના પાઠકનું ભારોભાર યોગદાન છે.  દીના પાઠક જેમનું નામ સાંભળતા જ આંખ સામે ચહેરા પર જોમ જુસ્સાની સાથે થોડો ગુસ્સો, ભાલે મોટો ચાંદલો, ગુજરાતી સાડી પહેરેલી અને મોં માંથી કડવા વેણ કાઢતી એક પ્રૌઢ સાસુ અથવા જેઠાણી દેખાઈ આવે. સામાન્યપણે હિન્દી ફિલ્મોમાં આપણે પરિવારની એક દુખીયારી વડીલ અને પવિત્ર સ્ત્રીના રૂપમાં દુર્ગા ખોટે અને નિરુપા રૉયને નિહાળી છે પણ દીના પાઠકે એ જ શ્રેણીમાં એક નવો ચીલો ચીતરીને પોતાની અદાકારીના નવા સોપાન સર કર્યા છે. ચાર માર્ચ ૧૯૨૩ના રોજ અમરેલીના એક કપોળ વૈષ્ણવ કુટુંબમાં જન્મેલી દીનાએ પોતાની કારકિર્દીમાં 100 થી પણ વધારે હિન્દી અને 17 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો, નાટકો અને ટીવી સિરીયલ્સ કરી છે. ...

ઢોલીવૂડમાં જામી રહ્યું છે ડાન્સનું અસ્તિત્વ

Image
ગરબાથી બહાર નીકળી હવે બોલીવૂડની જેમ જોવા મળે છે હૂક સ્ટેપ્સ અને પ્રમોશનલ સોન્ગ્સ, ટૂંક સમયમાં આઇટમ સોન્ગ્સ પણ આવે તો નવાઈ નહીં આજના ઢોલીવૂડના અનેક એવા પાસા છે જે આપણને પહેલાની ગુજરાતી ફિલ્મોમાં નહોતા જોવા મળતા. 1931 માં જ્યારે પહેલી બોલપટ ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ ત્યાર બાદ ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોનો સીલસીલો શરૂ થયો હતો. એ તમામ ફિલ્મોની વાર્તા મોટાભાગે પૌરાણિક હતી. પુરુષો સ્ત્રીઓના પાત્ર ભજવતા. ગીત, સંગીત વાર્તાના હાર્દને સજીવન કરતું છતાં તેમાં નૃત્યની અછત વર્તાતી, પણ આજની ગુજરાતી ફિલ્મો ભાગ્યે જ એવી બનતી હશે જેમાં કોઈ ડાન્સ સોન્ગ ન હોય.  જે પ્રમાણે 1935-40 અને એ પછીની ઘણી હિન્દી ફિલ્મોના ગીતો હીરો-હીરોઇન એક જ જગ્યાએ અથવા તો એક જ ઝાડની આજુબાજુ ફરતા-ફરતા પૂરૂ કરી નાખતા એ જ પ્રમાણે ઢોલીવૂડમાં પણ શરૂઆતના સમયમાં અનેક ગીતો એકને એક જગ્યાએ રહીને પતાવી દેવામાં આવતા. ગુજરાતી ફિલ્મોમાં અને ખાસ કરીને કઈ ફિલ્મથી નૃત્ય દર્શાવવાનું શરૂ થયું એ જાણવું અને શોધવું અઘરું છે, તેમ છતાં ગુજરાતી ફિલ્મોમાં ડાન્સનો ઉપયોગ કરવાનું આઝાદી પછીના ગાળામાં શરૂ થયું એમ કહી શકાય કેમ કે ‘મહેંદી રંગ લાગ્યો’ ...

‘હેલ્લારો’ વિના નવરાત્રી ઉજવાય ખરી?

Image
દમદાર વાર્તા, ગીતો અને સિનેમેટોગ્રાફી હોવા છતાં આ ફિલ્મ અનેકો માટે પહેલી જ ફિલ્મ હતી એ વાત માન્યમાં આવે એવી નથી તાજેતરમાં 71 મા નૅશનલ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. શાહરુખ ખાન, વિક્રાંત મેસી, રાણી મુખર્જીના દબાદબા સાથે ગુજરાતી ફિલ્મોએ પણ દબદબો દેખાડ્યો હતો. 2023 માં આવેલી ફિલ્મ ‘વશ’ ને અને જાનકી બોડીવાલાને નૅશનલ એવોર્ડ્સ સુપરત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સિનેમાજગત માટે આ એક અતિમહત્ત્વનો પ્રસંગ કહેવાય પણ આ નૅશનલ એવોર્ડ્સ મેળવવાની રેસમાં ‘હેલ્લારો’ એ વર્ષો જૂનો દુકાળ નાબૂદ કર્યો હતો એ વાત પણ વીસરવા જેવી નથી. નવરાત્રોત્સવ ચાલી રહ્યા છે અને એવામાં ખાસ ગરબાને કેન્દ્રસ્થાને રાખીને બનેલી નૅશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ ની વાત ન કરીયે તો કેમ ચાલે. 2019માં આવેલી ફિલ્મ ‘હેલ્લારો’ અનેકોની પહેલી જ ફિલ્મ હતી એ વાત ઘણા લોકો જાણે છે. અમદાવાદ આકાશવાણીમાં સ્થાયી નોકરી કરતા અને રંગકર્મી એવા અભિષેક શાહ અને તેમના સાથીમિત્રોની આ પહેલી ફૂલલેન્થ ગુજરાતી ફિલ્મ હતી જે મૂળ હરફનમૌલા ફિલ્મ્સ અને સારથી પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. અભિષેક શાહે જ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અને વાર્તા પણ તેમણે જ તૈ...

ઢોલીવૂડ એક મહિનાના નવરાત્રી વેકેશન પર

Image
‘ ફરી એક વાર’ રિલીઝ થયાના એક મહિના બાદ હવે કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થશે ગુજરાતની શાળામાં નવરાત્રીનું વેકેશન એક સમયે આપવામાં આવતું જેથી કરીને નવરાત્રીનો લ્હાવો મનભરી માણી શકાય પણ ક્યારે એવું જોયું છે કે આખે આખી ઇન્ડસ્ટ્રી નવરાત્રી માણવા વેકેશન પર જતી રહે? હા, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે એક મહિના માટે જાણે નવરાત્રીના વેકેશન પર નીકળી ગઈ છે એમ કહી શકાય કેમ કે ગયા અઠવાડિયે ‘ફરી એક વાર’ નામની ફિલ્મ રિલીઝ થયા પછી ડાયરેક્ટ આવતા મહિને કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થનાર છે. તાજેતરમાં ઢોલીવૂડમાં ‘વશ લેવલ ટુ’ અને ‘બચુની બેનપણી’ (બહેનપણી નહીં) આ બે ફિલ્મો વચ્ચે ક્લેશ થયો હતો, તેમ છતાં આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરવામાં સફળ રહી હતી. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાર સુધીમાં પ્રાપ્ત આંકડાઓ મુજબ ‘વશ લેવલ 2’ એ હિન્દી અને ગુજરાતી ભાષામાં મળીને કુલ 13.26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જ્યારે ‘બચુની બેનપણી’ એ 09.26 કરોડ રૂપિયા કમાયા હતા. આ બંને ફિલ્મોની રિલીઝ બાદ ‘નાનખટાઈ’ અને ‘ફરી એક વાર’ આ બે ફિલ્મો રિલીઝ થઈ હતી અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ રિ-રીલીઝ થઈ હતી. હવે છેક એક મહિના ...

એ હાંભળો સો... રામલો અને રતન પાછા આવ્યા સે

Image
ઢોલીવૂડની સૌથી મોંઘી કહેવાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ નવા રૂપરંગ સાથે આજથી થઈ રી-રિલીઝ જય અને વીરુની વાત કરો તો ‘શોલે’ (1975) ફિલ્મ યાદ આવે, રાજ અને સીમરનની જોડી યાદ કરો તો ‘ડીડીએલજે’ (1995) પિક્ચર યાદ આવે,  એ જ પ્રમાણે રામ અને રતનની વાત કરો તો ‘મૈયરમાં મનડું નથી લાગતું’ (2001) ફિલ્મ યાદ આવે અને આ ફિલ્મને આજે યાદ કરવાનું કારણ માત્ર એટલું કે આજે 25 વર્ષે ‘મૈયરમાં મનડું નથી લાગતું’ એક નવા રૂપરંગમાં રી-રીલીઝ થઈ રહી છે. ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મમાં મેગાસ્ટાર હિતેન કુમાર સાથે આનંદી ત્રિપાઠી (મૂળ નામ અપેક્ષા) ની જોડી ખૂબ વખાણવામાં આવી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડિત, જયેન્દ્ર મહેતા, જેમીની ત્રિવેદી, ચારુબેન પટેલ, દુર્ગા ભટ્ટ, રેખા પરમાર, મહેશ જોશી, ઝાકીર ખાન, નિલેશ સુખડિયા, કેસ્ટો ઈકબાલ, દિનેશ લાંબા અને મહેમાન કલાકાર તરીકે ફિરોઝ ઈરાની જોવા મળ્યા હતા જ્યારે બાળ કલાકાર તરીકે જીગ્નેશ ગાંગાણી અને તુષારિકા રાજ્યગુરૂએ અભિનય કર્યો હતો. તુષારિકા રાજ્યગુરૂ આજની તારીખમાં આપણને ગુજરાતી સિનેમા જગતમાં અનેક ફિલ્મોમાં અભિનેત્રી જોવા મળી છે જેમાં ‘ત્રણ એક્કા’ (...