Posts

લાલોની સફળતામાં ઓડિયન્સ સદા સહાયતે

Image
ઓછું બજેટે દમદાર બોક્સ ઓફિસ કલેક્શન કરી આપતી ફિલ્મો એ વાતની સાબિતી છે કે કોન્ટેન્ટ જ સર્વસ્વ છે ફિલ્મજગતમાં સફળતાનું માપદંડ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પરથી અંકાતું હોય છે. વળી કેટલીક ફિલ્મો એવી હોય છે જે આ બોક્સ ઓફિસ કલેક્શનથી આગળ વધીને લોકોના મનમાં ઘર જતી હોય છે. દોઢ મહિના પહેલા રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલાો : શ્રીકૃષ્ણ સદા સહાયતે’ એવી જ એક ફિલ્મ બનીને આજે ઢોલીવૂડમાં છવાયેલી છે, જેણે મોટાભાગના દરેક રેકોર્ડ તોડી દીધા છે. ઓછા બજેટમાં બનેલી ફિલ્મો જ્યારે રેકોર્ડ બ્રેક કમાણી કરે ત્યારે ફિલ્મનો કોન્ટેન્ટ એકછત્રી શાસન કરતો જોવા મળે છે. લાલો જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ ફિલ્મ સતત દોઢ મહિના સુધી મોટા પડદા પર ટકી શકશે અને 50 કરોડથી પણ વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી શકશે.  અંકિત સખીયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તુલસીના પાત્રમાં રીવા રાચ્છ, શ્રીકૃષ્ણ એટલે કે લાલોના પાત્રમાં શ્રૃહદ ગોસ્વામી અને તુલસીના પતિ લાલોના પાત્રમાં કરણ જોષીએ મુખ્ય અભિનય કર્યો છે. કાઠિયાવાડી ભાષામાં બનેલી અને મોટાભાગે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં શૂટ થયેલી આ ફિલ્મની વાર્ત...

ઢોલીવૂડના બાળકલાકારો અને બાળફિલ્મો

Image
બાળકોના દ્રષ્ટિકોણથી ફિલ્મને રજૂ કરવાનો ફિલ્મમેકરનો કિમીયો મોટાભાગે કામ કરી જતો હોય છે, ધ લાસ્ટ શૉ એનું ઉત્તમ ઉદાહરણ છે ફિલ્મી દુનિયા ખરેખર એટલી રોમાંચક હોય છે કે નાનપણથી જ ઘણા લોકો આ ઇન્ડસ્ટ્રીમાં આવવાના સપના જોતા હોય છે. આ સિલસિલો અત્યારથી નહીં પણ વર્ષોથી ચાલતો આવ્યો છે. મીના કુમારી, નરગીસ, તબસ્સુમ, શ્રીદેવી, ડેઝી ઈરાની, નાઝથી માંડીને કમલ હસન, રિશી કપૂરથી માંડીને રિતિક રોશન સુધીના અનેક એવા કલાકારો છે જેમણે પોતાની ફિલ્મી સફર એક બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. ગુજરાતી સિનેમા જગતમાં પણ એવા ઘણા બાળ કલાકારો છે જે આજે એક નામાંકિત અને પ્રતિષ્ઠિત અભિનેતા બની ચૂક્યા છે. ભવિષ્યમાં ગુજરાતી સિનેમાના રૂપેરી પડદે સંભવિત કલાકારના રૂપે જોવા મળનારા આજના બાળ કલાકારોને આજે બાલદિનના અવસર પર ઓળખવાનો પ્રયાસ કરીએ અને સાથે કેટલીક એવી ગુજરાતી ફિલ્મો તરફ પણ દૃષ્ટિ કરીએ જેમાં બાળકોના દ્રષ્ટિકોણને કેન્દ્રસ્થાને રાખીને ફિલ્મ બનાવવામાં આવી છે. આ વર્ષમાં રિલીઝ થયેલી વંદના પાઠકની સુપરહિટ ફિલ્મ ‘જલેબી રોક્સ’ દરેક ગુજરાતીએ જોઈ હશે. આ ફિલ્મમાં વંદના પાઠકની અમેરિકામાં ભણતી દીકરી તરીકે આપણે જીયા ભટ્ટને અભિનય કરતી જોઈ શકીએ...

પ્રમોશન, સ્ટંટ અને નકામી માથાકૂટ...

Image
ફિલ્મ રિલીઝ પહેલા સર્જાતી મુસીબત ફિલ્મ મેકર માટે અણધાર્યા પડકારો ખડા કરે છે જેની અસર ક્યારેક ફિલ્મની ગુણવત્તા પર પણ પડે છે. ફિલ્મ મેકિંગનું કામ એવું હોય છે કે એમાં દરેક તબક્કે પડકારો આવતા જ હોય છે. જે કામ ફિલ્મને પ્રમોટ કરવા માટે કરવામાં આવતું હોય છે એ જ કામ ક્યારેક ફિલ્મને મુસીબતમાં પણ મૂકી દીધું હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો ફિલ્મ ‘મિસરી’ સાથે થયો. 31મી ઓક્ટોબરે રિલીઝ થયેલી માનસી પારેખ અને રોનક કામદારની બીજી ફિલ્મ ‘મિસરી’ રિલીઝ થતા પહેલાં જ એક વિવાદ સર્જી બેઠી. આ ફિલ્મના કલાકારો ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, જેસલ જાડેજા અને માનસી પારેખ ગોહિલનો એક વીડિયો વાયરલ થયો જેમાં તેઓ અમદાવાદના રોડ પર રાતના સમયે બાઈક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં ટીકુ તલસાણીયા બાઇક પર ઊભા થઈને અને માનસી તારીખે ટાઇટેનિક પોઝ આપતી જોવા મળે છે. તો કેટલાક બાઇકર્સે તો હેલ્મેટ પણ પહેરી ન હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્શન મોડમાં આવતા કાર્યવાહી હાથધરી હતી જેના બાદ ટીકુ તલસાણીયા જેવા વરિષ્ઠ કલાકારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરવાની સાથે માફી પણ માંગી હતી. ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોની...

પોંજરામાં પોપટ બોલે... પણ કેટલા ??

Image
આ ગુજરાતી લોકગીત આજે ઢોલીવૂડનું પહેલું આઇટમ સોન્ગ બનીને રજૂ થઈ રહ્યું છે જેને દર્શકો માણતા અચકાતા નથી ‘હે ગોરી લીલું પીળું પાંજરુ ઘડાઓ, કે પાંજરામાં પોપટ બોલે’... આ લોકગીત દરેક ગુજરાતી જાણતો જ હશે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગીતને અલગ અલગ સંગીતકારોને તાલબદ્ધ કરીને, અલગ અલગ ગીતકારો પાસે ગવડાવ્યું છે. તો વળી ગીતકારોએ પણ મૂળ લોકગીતનો ભાવ જાળવી રાખી કેટલાક શબ્દિક સુધારા કરી નવી કડીઓ પણ રચી છે.  હાલના સમયમાં ઢોલીવૂડમાં આ ગીતની એક નવી ધૂન સાંભળવા મળી રહી છે જેને ફિલ્મ ‘ચણિયા ટોળી’ માં સામેલ કરવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે આ લોકગીતમાં સુધારા વધારા કરી એને આઇટમ નંબર તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને એ ગીત ગુજરાતી સિને જગતનું પહેલું આઇટમ નંબર સોન્ગ બની ગયું છે. આ આઇટમ નંબરમાં જાનકી બોડીવાલા, યસ સોની સાથે ડાન્સ કરતી જોવા મળે છે, જે યુવાઓમાં ઘણું લોકપ્રિય બની રહ્યું છે. રાકેશ બારોટ તથા જાહન્વી શ્રીમાંકરે આ ગીત ગાયું છે અને મનુ રબારીએ લખ્યું છે. તેમ છતાં ‘પાંજરામાં પોપટ બોલે’ એ લોકગીત આઇટમ નંબર બનતા પહેલા અનેકોવાર ફિલ્મો અને ગુજરાતી આલ્બમ રૂપે રજૂ થતું રહ્યું છે, જેના પર આજે આપણે નજર કરીએ....

નહીં રાજાની, નહીં રાણીની, આ વાર્તા છે અસરાનીની

Image
1980ના ગાળામાં જેમણે ઢોલીવૂડ ગજાવ્યું હતું એ અસરાની 2025ની જુલાઈમાં પોતાની છેલ્લી ગુજરાતી ફિલ્મ કરી ગયા હતા ‘અમદાવાદનો રિક્ષાવાળો’ બસ એટલું જ કહીએ ત્યાં કિશોર કુમારનો સ્વર અને અમદાવાદના અલગ અલગ લોકેશન પર રીક્ષા હાંકતા અસરાનીનો ચહેરો યાદ આવી જાય. 1977 માં આવેલી ફિલ્મ ‘મા બાપ’ નું આ ગીત સુપરડુપરહિટ થતા તેમના માટે આજીવન ઓળખ બની જાય છે. ન માત્ર આ ગીત પણ આ ફિલ્મ જ એક હિટ ફિલ્મ હતી જેની વાર્તાથી માંડીને કલાકારોના અભિનય અને ગીતો ખૂબ જ વખણાયા હતા.  20 મી ઓક્ટોબર ના રોજ ગોવર્ધન અસરાનીએ આ ફાની દુનિયામાંથી વિદાય તો લીધી પણ તેઓ પોતાની પાછળ મૂકી ગયા છે ન માત્ર હિન્દી ફિલ્મોનો પણ ગુજરાતી ફિલ્મોનો બહુમૂલો ખજાનો. આ એક એવો ખજાનો છે જે એ સમયે તૈયાર થયો જ્યારે ગુજરાતી સિનેમા એના કપરા કહી શકાય એવા સમયમાંથી પસાર થઈ રહી હતી. 1980 ના સમયમાં ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી ઉપરાંત અન્ય નવા કલાકારો પ્રવેશી ચૂક્યા હતા. મહેશ-નરેશ કનોડીયાની સાથે, હિતેન કુમાર સહિત કિરણ કુમાર, રાજીવ, અસરાની, અરુણા ઈરાની, રીટા ભાદુરી, જયશ્રી ટી અને અરવિંદ પંડ્યા, પદ્મારાણી, વિષ્ણુકુમાર વ્યાસ જેવા પીઢ ક...

પારકાઓને પણ પોતાના કરી જાણે એ દીના પાઠક

Image
એક સમયે જે ફિલ્મોને નકારતા હતા તેમને જ એક સમયે નાણાકીય સંઘર્ષ સામે ટકી રહેવા ફિલ્મો સ્વીકારવી પડી બ્રિટીશ કાળમાં અંગ્રેજો સામે ભવાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓમાં દીના પાઠક પણ એક હતા અને એ માટે તેમને એક નહીં પણ ત્રણવાર જેલવાસો ભોગવ્યો હતો. 1947 માં દેશ આઝાદ થયો ત્યારબાદ 1949 માં સરકારે કેટલાક ડાબેરીઓની ધરપકડ કરી હતી જેમાં દીના પાઠક પણ સામેલ હતા અને ત્યારે તેમણે નવ માસ કારાવાસ ભોગવ્યો હતો. નાટ્યજીવ હોવાને લીધે આ જેલવાસો ભોગવ્યા બાદ 1949 માં જ તેમણે ફરીથી પોતાની નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. 1949માં તેમણે ‘લોકભવાઈ’ નામનું નાટક લખ્યું એનું દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતે આ નાટકને વધાવી લીધું હતું અને તે ખૂબ વખણાયું હતું.   1950માં દીના અમદાવાદ આવ્યાં અને ગુજરાત વિદ્યાસભાના નાટ્યવિદ્યામંદિરમાં નાટ્યશિક્ષિકા તરીકે જોડાયાં. 1952માં તેમણે નટમંડળની સ્થાપના કરી અને તેનાં નાયબ નિયામક બન્યાં. એ દરમ્યાન જ તેમણે ‘વિરાજવહુ’, ‘લોકશત્રુ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘મેના ગુર્જરી’ (જેની વાત આપણે પાછલા લેખ કરી હતી), ‘મિથ્યાભિમાન’ જેવા નાટકોમાં કામ કર્યું અને...

દીના પાઠકનો સિક્કો આજે પણ કલાજગતમાં બોલે છે

Image
મુખ્ય અદાકારાથી માંડી ચરિત્ર અભિનય કરી પાત્રોને જીવંત કરનાર આ અદાકારાને આજની પેઢી કદાચ જાણતી પણ નહીં હોય શાહિદ કપૂરના કઝીન ભાઈ અને નસીરુદ્દીન શાહના દિકરા વિવાનનું નામ સૌ કોઈ જાણે છે પણ એના નાનીનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. રત્ના પાઠક શાહ અને દીના પાઠક આજે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી રંગમંચે તથા ફિલ્મ શ્રેત્રે સક્રિય છે અને આ બંને બહેનોની મહેનતને પાંખ આપવામાં તેમની જનેતા દીના પાઠકનું ભારોભાર યોગદાન છે.  દીના પાઠક જેમનું નામ સાંભળતા જ આંખ સામે ચહેરા પર જોમ જુસ્સાની સાથે થોડો ગુસ્સો, ભાલે મોટો ચાંદલો, ગુજરાતી સાડી પહેરેલી અને મોં માંથી કડવા વેણ કાઢતી એક પ્રૌઢ સાસુ અથવા જેઠાણી દેખાઈ આવે. સામાન્યપણે હિન્દી ફિલ્મોમાં આપણે પરિવારની એક દુખીયારી વડીલ અને પવિત્ર સ્ત્રીના રૂપમાં દુર્ગા ખોટે અને નિરુપા રૉયને નિહાળી છે પણ દીના પાઠકે એ જ શ્રેણીમાં એક નવો ચીલો ચીતરીને પોતાની અદાકારીના નવા સોપાન સર કર્યા છે. ચાર માર્ચ ૧૯૨૩ના રોજ અમરેલીના એક કપોળ વૈષ્ણવ કુટુંબમાં જન્મેલી દીનાએ પોતાની કારકિર્દીમાં 100 થી પણ વધારે હિન્દી અને 17 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો, નાટકો અને ટીવી સિરીયલ્સ કરી છે. ...