Posts

Showing posts from April, 2025

યશ-આરોહી ફરીથી આવ્યા છે બનીને ‘મીઠડા મહેમાન’

Image
‘ચાલ જીવી લઈએ’ બાદ રૂપેરી પડદે ફરીથી જોવા મળશે આ કલાકારોની જુગલબંદી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતી ફિલ્મ જગત માટે એપ્રિલ મહિનો એક એવી ફિલ્મ લઈને આવ્યો છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના એકથી એક દિગ્ગજ કલાકારો અભિનય કરવાના છે. ફિલ્મનું ટાઈટલ છે ‘મીઠડા મહેમાન’ અને આ ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, આરોહી પટેલ, સોનાલી લેલે દેસાઈ અને ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહેલા જાણીતા રંગમંચના કલાકાર અને લેખક મિહિર રાજડા અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે. ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ચિન્મય પરમાર દ્વારા લખવામાં આવી છે અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ પહેલા ચિન્મય પરમાર બિગ બોક્સની સિરીઝની મોટાભાગની ફિલ્મો સાથે ક્રિએટિવ ડિરેક્ટર અથવા તો કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા, જેમાં ‘નાડી દોષ’, ‘રાડો’, ‘ત્રિશા ઓન ધ રોક્સ’, ‘ડેની જીગર’ અને ‘જગત’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘મીઠડા મહેમાન’ માં રાહુલ મુંજારિયાનું સંગીત છે અને આદિત્ય ગઢવી તથા જીગરદાન ગઢવીનો સ્વર ગાયક કલાકાર તરીકે માણવા મળશે.  ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ના ટ્રેલરને જોતા ખબર પડે છે કે આ ફિલ્મ ચાર અજાણ્યા લોકોની આસપ...
Image
ગુજરાતી વેબ સિરીઝની દુનિયા ધીમે ધીમે ઉછરી રહી છે પણ શું દર્શકોને એનો અંદાજો છે ખરો? ગુજરાતી માણસને જ્યારે ગુજરાતી સિનેમા જગતની કોઈપણ વાત પૂછવામાં આવે ત્યારે તેને માત્ર ગુજરાતી ફિલ્મો અથવા તો રંગમંચ પર ભજવાતા ગુજરાતી નાટકો જ ખબર હોય છે. એવામાં બદલાતા સમય સાથે ગુજરાતી વેબ સિરીઝોએ પણ ગુજરાતી પ્રજાને જાણે એક નવું નજરાણું પીરસ્યું છે. જોકે આજની મોટાભાગની પ્રજા ગુજરાતી વિશે ઘણું ઓછું જાણે છે અને નવી પેઢી હિન્દી કે કોરિયન ડ્રામા અને વેબ સિરીઝોમાંથી ઊંચી નથી આવતી. એવામાં આજે જાણીએ પાંચ જોવા જેવી ગુજરાતી વેબ સિરીઝ વિશે જે દરેક ગુજરાતીએ ક્યારેક તો જોવી જ જોઈએ. ‘બસ ચા સુધી’. આ વેબ સિરીઝનું શીર્ષક આજે તેની ઓળખ બની ગઈ છે કારણ કે આસ્થા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ વેબ સિરીઝના અત્યાર સુધી કુલ ત્રણ ભાગ આવી ચૂક્યા છે. જેમાં આર.જે. રુહાન, ભૂમિકા બ્રહ્મભટ્ટ, જીનલ બેલાણી, મોનલ ગજ્જર, ગૌરવ પાસવાલા, અલિશા પ્રજાપતિ, ભૂમિકા બારોટ અને આર.જે. હર્ષિલે વિવિધ સિઝનમાં અભિનય કર્યો છે. આ વેબ સિરીઝની ખાસિયત એ છે કે તેની દરેક વાર્તામાં ચા સાથે વાત કરવામાં આવે છે અને એમાંથી જ ઝઘડો, પ્રેમ અને મિત્રતા પર વાતને લઈ જવામાં ...

બોલીવુડમાં પદાર્પણ કરી રહ્યા છે નવા ગુજરાતી અભિનેતાઓ

Image
પ્રતીક ગાંધીએ કાઠું કાઠ્યું જેના બાદ આ ફાલ હવે જાનકી બોડીવાલા અને મિત્રા ગઢવી સુધી પહોંચ્યો છે અનેક એવા ગુજરાતી કલાકારો છે જે વર્ષોથી બોલીવુડમાં કામ કરી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મોની સાથે સાથે બોલીવુડમાં પણ પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં તેઓ સફળ રહ્યા છે, પછી એ પરેશ રાવલ હોય કે રત્ના પાઠક શાહ. આ ફાલ આજના નવા અભિનેતાઓનો આગળ વધારી રહ્યા છે અને પ્રતીક ગાંધીથી માંડીને જાનકી બોડીવાલાએનું યોગ્ય ઉદાહરણ છે. જોવા જઈએ તો બોલીવુડને સાચવવામાં અને નાણાકીય દ્રષ્ટિએ સદ્ધર બનાવવામાં ગુજરાતીઓનો બહુ મોટો ફાળો છે. ગુજરાતી પ્રજા મોટાભાગે વ્યવસાયિક ક્ષેત્રે વધુ જાગ્રત રહેતી હોય છે અને કદાચ એટલે જ તેઓ કલાક્ષેત્રે વધારે ધ્યાન નથી આપી શકતા પણ એ કલાને પોષવા માટે નાણાકીય સહાય પહેલેથી કરતા આવ્યા છે. જે સમયે ફિલ્મો બનવાની શરૂઆત થઈ હતી એ સમયે અનેક ફિલ્મોમાં પ્રોડ્યુસરથી માંડીને ફાઇનૅન્સર સુધીની જવાબદારી આ ગુજરાતી ધંધાધારી પ્રજા જ ભજવતી હતી. ન માત્ર ફિલ્મો પણ જૂની રંગભૂમિના ભરણપોષણમાં પણ ગુજરાતીઓનો ફાળો અનેક રીતે નોંધવો રહ્યો. મનહર રસ કપૂર, વિજય ભટ્ટથી માંડીને અભિષેક શાહ, અભિષેક જૈન અને કૃષ્ણદેવ યાજ્ઞિક જેવા સક્ષમ ડ...

એક ઐતિહાસિક ગુજરાતી ગીત અને અરવિંદ પંડ્યા વચ્ચે શું સંબંધ છે?

Image
આજની તારીખે કોઈપણ એવી ગુજરાતી મહેફિલ નહીં હોય જ્યાં એ ગીત ન ગવાતુ હોય કેમ કે વિલન પર ફિલ્માવાયેલું એ રોમેન્ટિક ગીત અજરાઅમર છે જે સમયે ભારત દેશ આઝાદીની ચળવળમાં વ્યસ્ત હતો એવા સમયે અરવિંદ પંડ્યાનો સિતારો ચમકવાનો શરૂ થયો હતો. 1946 અને 1947 માં પહેલા હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં ગાયક તથા અભિનેતા તરીકે તેમની કારકિર્દી શરૂ થઈ. 1946 માં હિન્દી ફિલ્મ ‘માનસરોવર’ અને 1947 માં ગુજરાતી ફિલ્મ ‘ભક્ત સૂરદાસ’ કર્યા બાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મો કરી.  અરવિંદ પંડ્યાના સંગીત સાથે જોડાયેલી એક વાત 1946 ની છે. આકાશવાણીમાં એ સમયે સંઘ ગાનનું એક ગ્રુપ બનાવવાનું કામ સંગીતકાર અજીત મર્ચન્ટને સોંપવામાં આવ્યું હતું. અજીત મર્ચન્ટ અને અરવિંદ પંડ્યા કોલેજકાળના મિત્રો હતા એટલે સ્વાભાવિક છે કે અજીતભાઈ અરવિંદભાઈના સંગીતથી પરિચિત હતા અને પ્રભાવિત પણ હતા. જ્યારે અજીતભાઈને ઓલ ઇન્ડિયા રેડિયોનું કામકાજ મળ્યું ત્યારે તેમણે અરવિંદભાઈને એ પ્રોજેક્ટમાં સામેલ કર્યા. અજીતભાઈની મદદથી અરવિંદભાઈને સ્વતંત્ર કડીઓ ગાવાની તક પણ મળતી. તેમના સંગીતથી ખુદ આકાશવાણી સંગીત વિભાગના અધિકારી દિનકર રાવ પણ પ્રભાવિત થ...

ગુજરાતી ફિલ્મોના દાદા મુનિ એટલે અરવિંદ પંડ્યા

Image
જબડું ચિરાઈ ગયું પણ એનાથી કારિકીર્દીમાં ક્યારેય વાંધો ન આવ્યો  ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડીયાનું નામ સુપરસ્ટાર તરીકે આલેખવામાં આવે છે પણ તેમનાથી પણ પહેલા ગુજરાતી સિનેમા જગતમાં કોઈ સુપરસ્ટાર થઈ ગયું હોય તો તે હતા અરવિંદ પંડ્યા જેમને ગુજરાતી સિનેમા જગતના દાદા મુનિ એટલે કે અશોક કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે.  અરવિંદભાઈ જો આજે જીવતા હોત તો આજે આપણે તેમનો 102 મો બર્થ ડે ઉજવી રહ્યા હોત. 1923 માં 21 માર્ચના રોજ આણંદના ભાદરણ ગામ ખાતે તેમનો જન્મ થયો હતો. માનું નામ આનંદી બા હતું અને પિતા ગણપતરાવ પંડ્યા બેંક ઓફ બરોડામાં મેનેજર હતા. સમય જતા મૂળ ખંભાતનું આ પરિવાર બરોડા સ્થાયી થયું અને બરોડાની ન્યુએરા સ્કૂલમાં અરવિંદનું શાળા જીવન વીત્યું. કોલેજનું શિક્ષણ મેળવવા તેઓ માયાનગરી મુંબઈ આવ્યા અને અહીંની પ્રતિષ્ઠિત કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લીધું ત્યાંથી તેમણે સંસ્કૃત વિષયમાં ડિગ્રી મેળવી. અહીં તેઓ તેમના ભાઈ પુંઢરીકરાવ સાથે રહેતા.  સામાન્યપણે આપણે કહેતા હોઈએ છીએ કે જિંદગીમાં ક્યારે પણ, કોઈપણ શીખેલી વસ્તુ કે કલા વ્યર્થ જતી નથી. આ વાત અરવિંદ પંડ્યા મા...