સંજીવ કુમારની છેલ્લી ગુજરાતી ફિલ્મ રહી ‘મારે જાવું પેલે પાર’
આ ફિલ્મ બાદ હરિભાઈ એકપણ ગુજરાતી ફિલ્મ ન કરી શક્યા પણ તેમની આ સફળ ફિલ્મો સિવાય ગુજરાતી ફિલ્મનો ઈતિહાસ જરૂરથી અધૂરો કહેવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ‘શૈતાન’ (2024) ફિલ્મ રિલીઝ થઈ હતી જે 2023 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની ઓફિશ્યલ રિમેક હતી. આ બંને ફિલ્મમાં વાર્તા ઉપરાંત જાનકી બોડીવાલા કોમન હતી. જાનકીએ પોતે ‘વશ’ માં જે પાત્ર ભજવ્યું હતું એ જ પાત્ર તેણે ‘શૈતાન’ માં પણ ભજવ્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો કે એક જ કલાકારે પોતાનું એકને એક પાત્ર ઓરિજીલ અને રિમેક એમ બંને ફિલ્મોમાં ભજવ્યું હોય એવા કિસ્સા આપણે ત્યાં ગણ્યાગાઠ્યા જોવા મળતા હોય છે. જોકે સંજીવ કુમાર પણ એવા જ કલાકારોમાંના એક છે જેમણે એક જ વાર્તાની ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં વિસ્મૃતિ દોષવાળી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને બંને ફિલ્મોએ સફળતાના તમામ શિખરો સર કર્યા હતા. બોલીવુડની એ ફિલ્મ એટલે 1970 માં આવેલી ફિલ્મ ‘ખિલૌના’ અને 1978 માં આવેલી આ જ ફિલ્મની ગુજરાતી રિમેક ‘મારે જાવું પેલે પાર’, જે હરિભાઈની છેલ્લી ગુજરાતી ફિલ્મ બની રહી. ‘મારે જાવું પેલે પાર’ ની વાત શરૂ કરતા પહેલા એ જાણી લઈએ આ ફિલ્મની વાર્તાનો દબદબો વાસ્તવમાં કેટ