નિર્વ્યસની + સાહિત્યપ્રેમી + ફૂડી = મલ્હાર ઠાકર
‘છેલ્લો દિવસ’ મળી તો ખરી પણ એક શરત સામે હતી આ ઉપરાંત એક એવી ફિલ્મ ઓફર થઈ જે કો’ક કારણસર ન કરી શક્યો અને પછીથી એ જ ફિલ્મ બની ઢોલીવુડની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ... કઈ છે એ ફિલ્મ? જે પ્રમાણે બોલીવુડમાં કોઈ પાત્રનું નામ વિજય હોય તો અમિતાભ બચ્ચન યાદ આવે, રાહુલ હોય તો શાહરૂખ ખાન યાદ આવે એમ ઢોલીવુડમાં જો કોઈ વિકી નામ કહે તો મલ્હાર ઠાકરનું નામ અચૂક યાદ આવે. જી હા, આજે ગુજરાતી દર્શકોના લોકલાડિયા અભિનેતા અને નિર્માતા મલ્હાર ઠાકરનો જન્મદિન છે અને આજે આપણે મલ્હાર ઠાકરની કેટલીક અજાણી વાતોને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું. આજની ગુજરાતી યુવા જનતાના મન પર મલ્હાર ઠાકરનું એકચક્રી શાસન છે. ગુજરાતના સિદ્ધપૂર ખાતે 1990માં મલ્હાર ઠાકરનો જન્મ થયો. પિતા સરકારી નોકરી કરતા જ્યારે માતા એનજીઓમાં સર્વિસ કરતા. સિદ્ધપૂરથી અમદાવાદ સ્થાયી થયેલા મલ્હારનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદની સી. એન. વિદ્યાલયમાં થયું અને ત્યારબાદ એચ. કે. કોલેજની આર્ટ્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું. આ કોલેજમાં પણ મલ્હારે એડમિશન ખાસ એટલા માટે લીધું હતું કારણ કે અહીં જાણીતા લેખક, ડિરેક્ટર, કવિ સૌમ્ય જોશી ભણાવતા હતા અને તેમના મ